- વડોદરાના સાવલીનગરમાં ધાર્મિકસ્થળ પર પથ્થરમારો
- અસામાજીક તત્વોએ ખાડિયાબજારમાં કર્યો પથ્થરમારો
- પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
વડોદરામાં મોડી રાત્રે ફરી એકવાર કોમી છમકલું થયું હતું. વડોદરાના સાવલીનગરમાંઆવેલ નાથીબીબી કી મસ્જિદ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સાવલીનગરમાં ધાર્મિકસ્થળ પર પથ્થરમારો
મળતી માહિતી મુજબ વડોદરાના સાવલી નગરમાં આવેલ નાથીબીબી કી મસ્જિદ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવમાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા નાથીબીબી કી મસ્જિદ ઉપર નમાઝ દરમિયાન પથ્થરમારો કરીને સાવલી નગરની શાંતિ ડહોળવા નાકામ પ્રયત્નો કર્યા હતા. આ મામલાની પોલીસને જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


