બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિના પ્રેસ સચિવે આ માહિતી આપી છે. આ નિર્ણય પ્રમુખ શહાબુદ્દીન અને ‘વિદ્યાર્થી આંદોલન’ના સંયોજકો વચ્ચેની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર રહ્યા હતા. પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે વચગાળાની સરકારના અન્ય સભ્યોના નામ વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવશે. આ દરમિયાન ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન બાંગ્લાદેશ પરત ફરી રહ્યો છે. તેઓ સાંજે ઢાકામાં એક રેલીમાં ભાગ લેશે. તારિક વર્ષોથી લંડનમાં રહેતો હતો, પરંતુ શેખ હસીનાની હિજરત બાદ હવે તે પોતાના દેશ પરત ફરી રહ્યો છે. આ હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા હતા. શહેરોમાં મોટા પ્રમાણમાં આગચંપીની ઘટના યથાવત છે.


