રાજકોટના વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓમાં સમાજ અને રાષ્ટ્રની ભાવના જાગે તે માટે શાળા સંચાલકો દ્વારા વિવિધ અનોખા કાર્યક્રમોનું વિવિધ રીતે આયોજન થતું હોય છે. રક્ષાબંધન નિમિતે સમાજને સંદેશો દેવા માટે અને વિદ્યાર્થીઓમાં પર્વની ભાવના જાગે તે માટે ૪પ ફૂટની વિશાળ અનાજની રાખડી વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. જે અનાજ બાદમાં વિવિધ સેવા સંસ્થાઓને આપી દેવામાં આવશે.
રાજકોટ વિરાણી હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા પોકેટ મનીમાંથી વિવિધ અનાજ અને કઠોળ જેવા કે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, મસૂર, ખીચડી અને સાડી વગેરેની મદદથી 45 ફૂટ લાંબી 200 સ્કોર ફૂટ કરતા વધારે મોટી તિરંગા રાખડી બનાવી હતી. જેમાં લગભગ સાડા ચારસો કિલો જેટલું અનાજ અને કઠોળા વાપરવામાં આવ્યું હતું. આ અનાજ અને કઠોળ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટમાં અર્પણ કરવામાં આવશે.
તેમજ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા જણાવે છેકે પક્ષીઓને લાયક અનાજ રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે અર્પણ કરવામાં આવશે. જો શાળામાં રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો માત્ર વિજેતા વિદ્યાર્થીઓ ખુશ થાય છે જ્યારે અહીં શાળાના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ આ સેવાયજ્ઞમાં પોતાની યથા યોગ્ય આહુતિ આપી ‘જોય ઓફ શેરિંગ’ અને ‘વી કેર, વી શેર’ અંતર્ગત પોતાનો આનંદ વ્યકત કર્યો હતો અત્રે નોંધનીય છે કે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી આવી વિશાળ રાખડી બનાવવામાં આવે છે અને એકત્રિત થયેલ આ વસ્તુઓનું જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ છે. આ ઉપરાંત તમામ ધોરણના વિદ્યાર્થી પ્રતિનિધિ શાળાના પટાંગણમાં રહેલ વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષાબંધન વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી. હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, શાળાના ટ્રસ્ટી રસીલાબેન રામાણી, પ્રવિણાબેન ચોવટીયા, ગુણવંતભાઈ ભાદાણી, જયંતીભાઈ રાજકોટિયા, સીજે ગ્રુપના ચિરાગભાઈ જલારામ વગેરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. તથા વિદ્યાર્થીઓને અને સમગ્ર શાળાને આ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ રાખડી બનાવવા ઓટોકેડના શિક્ષક શ્રુતભાઈ જોશી, અનિલાબેન, કિરણબેન,દયાબેન, દેવાંશીબેન, દિવ્યાબેન, મનીષાબેન તથા ટેકનિકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.