- ભારતીયો મોટી સંખ્યામાં સ્વીડન છોડી રહ્યા છે
- ભારતીયો સ્વીડન છોડવા પાછળ અનેક તર્ક વિતર્કો
- ભારત સૌથી મોટો પ્રવાસી સમુદાય બની ગયો
ભારતીયોએ લગભગ તમામ દેશોમાં પોતાની છાપ છોડી છે. પોતાના કૌશલ્યના આધારે તેઓ વિદેશોમાં પોતાનો ઝંડો ઊંચકી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. ભારતીયો મોટી સંખ્યામાં સ્વીડન છોડી રહ્યા છે. આ ચોંકાવનારું છે કારણ કે છેલ્લા બે દાયકામાં પહેલીવાર ભારતીયો આટલી મોટી સંખ્યામાં સ્વીડન છોડી રહ્યા છે. ભારતીયો સ્વીડન છોડવા પાછળ અનેક તર્ક વિતર્કો આપવામાં આવી રહ્યા છે. ચીન, ઈરાક અને સીરિયાને પાછળ છોડીને ભારત સૌથી મોટો પ્રવાસી સમુદાય બની ગયો છે.
પ્રથમ છ મહિનામાં દેશ છોડી દીધો
સ્ટેટિસ્ટિક્સ સ્વીડન દ્વારા આઉટલેટ ‘ધ લોકલ’ને આપવામાં આવેલા ડેટા અનુસાર, 1998 પછી પહેલીવાર ભારતીયોએ વર્ષનાં પ્રથમ છ મહિનામાં સ્વીડનમાં દેશ છોડી દીધો છે. આનાથી ભારતીયો સૌથી મોટા સ્થળાંતર સમુદાય બન્યા છે, જે ચીન, ઈરાક અને સીરિયા કરતા પણ વધારે છે. સ્વીડનના આંકડા અનુસાર, 2023માં સ્વીડનમાં ભારતીયોની વસ્તી 58,094 હતી.
સ્વીડન છોડનારા ભારતીયોની સંખ્યામાં વધારો
ભારતીય મૂળના લગભગ 2,837 લોકો જાન્યુઆરીથી જૂન વચ્ચે સ્વીડન છોડીને ગયા છે. ગયા વર્ષની સરખામણી કરીએ તો સ્વીડન છોડનારા ભારતીયોની સંખ્યામાં 171 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે 1,046 ભારતીયોએ સ્વીડન છોડ્યું હતું.
કેટલા ભારતીયોને સ્વીડનમાં રહેવા માટે વિઝા આપવામાં આવ્યા
1998 થી 2010 સુધીમાં, કુલ 24,034 ભારતીયોને સ્વીડનમાં રહેવા માટે વિઝા આપવામાં આવ્યા હતા. યુરોપિયન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ વર્ક વિઝા માટે 61.2% (14,705) ભારતીયો સ્વીડન આવ્યા હતા. જયારે સ્ટડી વિઝા 25.8% (6,200) , કૌટુંબિક કારણોસર 9.6% (2,307) , દત્તક 3.1% (747) , તો માનવીય કારણોસર 0.3% (75) લોકો સ્વીડન આવ્યા હતા.
કયા કારણોસર લોકો સ્વીડન છોડી રહ્યા છે?
સ્વીડન-ઈન્ડિયા ટ્રેડ કાઉન્સિલના જનરલ સેક્રેટરી અને સીઈઓ રોબિન સુખિયાએ જણાવ્યું હતું કે માત્ર આ આંકડાઓના આધારે તારણો કાઢવાનું અકાળ ગણાશે. રોબિને વધુમાં કહ્યું કે અમને નથી લાગતું કે આની પાછળ અત્યારે કોઈ ચોક્કસ કારણ છે. આખું વર્ષ રાહ જોવી પડશે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં રહેવાની કિંમત, એપાર્ટમેન્ટની અછત, આઈટી સેક્ટરમાં છટણી, સખત કામનું શેડ્યૂલ વગેરે સામેલ હોઈ શકે છે. ગયા વર્ષની સરખામણીમાં 2024ના પ્રથમ છ મહિનામાં વર્ક વિઝાની સંખ્યામાં 20%નો ઘટાડો થયો છે. તે જ સમયે, પ્રથમ વખત, ભારતીય નાગરિકો માટે વર્ક પરમિટ 30% સુધી ઘટાડવામાં આવી છે.


