નાસ લેવાનું લિકવીડ ઇન્જેકશન મારફત પગમાં આપી દેતા સ્વસ્થ થયેલું બાળક મોતને ભેટયું હતું
મૂળ બિહારનાં ચંપારણ જિલ્લાના રહેવાસી ગોંડલ પંથકમાં ખેતમજુરી કરતો હોય જે શ્રમિક યુવકના પાંચ માસના બાળકને ન્યુમોનિયા થતાં રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની સતત એક માસ સુધી સારવાર ચાલુ રહેતા આ પાંચ માસનું બાળક સ્વસ્થ બની ગયું હતું અને બીજા દિવસે તો રજા આપવાની હતી ત્યારે જ બાળકને નાસ આપવાનું લિકવીડ ઇન્જેકશનમાં ભરી પગમાં લગાવાતા બે કલાક બાદ સ્વસ્થ બાદ મોતને ભેટયો હતો. માતાના સૂચન બાદ પણ નર્સ અને નર્સિંગ વિદ્યાર્થીએ તેમની વાત માની ન હતી. જે અંગેની તપાસ પૂર્ણ થયા બાદ આજરોજ બેદરકાર નર્સ અને નર્સિંગ સ્ટાફના વિદ્યાર્થી વિરૂધધ પોલીસે ગુનો નોંધ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ વિરેન્દ્રભાઈ ગોંડલમાં વેલ્ડીંગ કામ કરે છે. તેને સંતાનમાં બે – પુત્ર હતાં. જેમાંથી નાના રાજને ન્યુમોનિયા અને ટી.બી. થઈ જતાં ગોંડલની હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માંટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં ડોકટરો તેને મોઢાના માસ્ક વડે દરરોજ ત્રણ વખત ઈન્જેકશન આપતા હતાં.
ગઈ તા. 4 જુલાઈનાં રોજ બપોરે તેને મોઢાનાં માસ્કને બદલે ડાબા પગની નસમાં ઈન્જેકશન આપી દેવાતા તેની તબીયત લથડી હતી. જેથી પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો. જયાં બે દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યું નિપજયું હતું.
આ કેસમાં તબીબી બેદરકારીનો આક્ષેપ થતાં એ.ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાજને આનંદ કોલેજનાં નર્સિંગનાં છાત્ર પિન્ટુ અને વોર્ડમાં નર્સ તરીકે નોકરી કરતી એકતાએ બેદરકારી દાખવી મોઢાનાં માસ્કને બદલે સીધુ પગની નસમાં ઈન્જેકશન આપી દેતા મોત નિપજયું હતું. આ માહિતીનાં આધારે બન્ને વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસે મૃતક રાજની માતા સોનમકુમારીની ફરીયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.