ગેરકાયદે ઉભા થયેલા ત્રણ બાંધકામોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઇ
ઘણા સમયથી રાજકોટ શહેરમાં મનપા દ્વારા ડિમોલીશન કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. તેનો આજે પુન: પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ મનપાની દબાણ હટાવ ટુકડી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સવારના ભાગે પહોંચી ગઇ હતી. પુરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અધિકારીઓના કાફલાએ દબાણ હટાવ ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં મિલકત ધારકોએ અવરોધો સર્જવાની કોશીષ કરી હતી. પરંતુ પોલીસની સુરક્ષાના કારણે કોઇ કારી ફાવી ન હતી અને ત્રણ ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી.
આ અંગે મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડનં ૪ અને પમાં મનપા તંત્ર દ્વારા સંત કબીર રોડ, કૈલાશ ધારા મેઇન રોડ સહિત અન્ય બે જગ્યાઓ પર બિન કાયદેસર મકાન નું બાંધકામ ખડકી દેવતા મનપાની અલગ અલગ ટીમ દ્વારા આજ રોજ જગ્યાએ પહોંચી ને ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
આજરોજ રાજકોટના સંતકબીર રોડ પર આવેલ કૈલાશ ધારા મેઈન રોડ ખાતે એક 4માળનું નવું બાંધકામ 4મહિના પહેલા માલિક રાજકુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું .જેમાં જોગવાઇ મુજબ ખુલ્લી જગ્યા છોડયા વગર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેને મનપાની દબાણ હટાવ ટુકડીએ દૂર કરવા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત અન્ય બે જગ્યાઓએ જ આ વિસ્તારમાં બાંધકામ દૂર કરવામાં આવશે તેવી માહિતી મનપાના સિટી એન્જીનિયર પરેશ અઢીયાના જણાવ્યા મુજબ શહેરમાં ગેરકાયદે દબાણો અંગે સર્વે થઇ રહ્યો છે અને આજે સામાકાંઠા વિસ્તારમાં ત્રણ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે અને ભવિષ્યમાં જેમને નોટીસો આપવામાં આવી છે તેમના દ્વારા સ્વૈચ્છીક રીતે બાંધકામ દૂર કરવામાં નહી આવે તો મનપા તંત્ર દબાણ હટાવ દૂર કરવા ઓપરેશન હાથ ધરશે.
વધુમાં RMC ના સીટી એન્જિનિયર પરેશ ભાઈ અઢીયા એ જણાવતા કહ્યું હતું કે મંજૂરીને પાત્ર ના હોય તેવું માર્જિનનું કામકાજ દૂર કરવામાં આવ્યું છે. જે બાંધકામમાં નિયમ મુજબ 9 મીટરના રોડ પર આગળની બાજુ એથી બે મીટર જગ્યા મુકવાની થતી હોય છે છે જગ્યા છોડવામાં ના આવી હતી અને પાછળની સાઈડથી એક મીટરનું બાંધકામ માલિક દ્વારા વધારે કરવામાં આવેલ. માલિક દ્વારા જી પ્લસ ટુ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળનું વધારાનું બાંધકામ માલિક દ્વારા કરવામાં આવતા નિયમ અનુસાર આરએમસી દ્વારા જીપીએમસી એક્ટ 260,260(1) હેઠળ ની અને એપીએમસી એક્ટ કલમ 267 હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી અને આ જગ્યા પર બાંધકામ કરવા માં ન આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં કામ ચાલુ રાખવામાં આવેલ જેથી અગાઉ જીપીએમસી 260(2) હેઠળ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ અને જાતે દૂર કરવાનું જણાવવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા આજ રોજ આરએમસીની ટીમ દ્વારા માર્જિનનું બાંધકામ દૂર કરવામાં આવે છે.