By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    40 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના રસ્તાઓ પર ૧૨૦૦૦ ખાડા!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના રસ્તાઓ પર ૧૨૦૦૦ ખાડા!

agragujaratnews
Last updated: 2024/09/10 at 7:15 PM
9 months ago
Share
રાજકોટના રસ્તાઓ પર ૧૨૦૦૦ ખાડા!
oplus_2
SHARE

મનપાના સત્તાવાર રિપોર્ટમાં શરમજનક વહિવટી તંત્રની પોલ ખૂલી : ભ્રષ્ટાચારના ભયંકર ગાબડાં

રાજકોટ મનપાનું તંત્ર એટલી હદે શડીયલ થઇ ગયું છે કે રસ્તાના નામે લોટ, પાણીને લાકડાંનો વહિવટ ચાલે છે. શહેરના ૬૦ રાજમાર્ગોનો મનપાએ સર્વે કરી કેટલાક ગાબડાં છે જે રીપેર કરવા પડે તેમ છે તેની વિગતનો રિપોર્ટ બહાર પાડયો છે. આ રિપોર્ટમાં રાજકોટમાં ૧૨ હજાર ખાડાઓ બુરવા લાયક હોવાનું ખુદ મનપા તંત્રના રિપોર્ટમાં જાહેર થયું છે. રાજકોટમાં તંત્રના મતે ભારે વરસાદથી અન દેખીતી રીતે નબળા કામથી મનપાએ મુખ્ય આશરે ૬૦ રાજમાર્ગોનો સર્વે કરાવતા તેમાં ૧૨,૦૦૦થી વધુ ખાડાઓ પડયાનો સત્તાવાર રીપોર્ટ આજે ઇજનેરી સૂત્રોએ જાહેર કર્યો છે. પ્રજાની કમનસીબી એ છે કે રાજકોટમાં ગત ત્રણ વર્ષમાં રૂ.૨૯પ કરોડ રસ્તાકામમાં પ્રજાની તિજોરીમાંથી ખર્ચાયા છે છતાં એક સારો રસ્તો શોધવો મુશ્કેલ છે.

સિટી એન્જીનિયરોએ જણાવ્યા મુજબ સાતમ-આઠમ પર ભારે વરસાદ પછી ગત ચાર-પાંચ દિવસથી સર્વે હાથ ધરાયો હતો. જેના પ્રાથમિક અહેવાલ મુજબ કુલ ૨૦૭૫ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી શહેરના ગૌરવપથ કાલાવડ રોડ સહિતના કુલ 3૨.૮૪ કિ.મી.ના રસ્તા જર્જરિત થઇ ગયા છે અને મનપાને રૂ.૫૭ કરોડનું નુકશાન થયું છે. વેસ્ટઝોન અને ઇસ્ટઝોનમાં ખાડાનું પ્રમાણ વધારે છે. આ રસ્તાની હવે જેટ પેચરથી એટલે કે કોલ્ડ મિકસથી મરમ્મત હાથ ધરાશે. આ પધ્ધતિ ખાસ કરીને રસ્તા  ભેજયુકત હોય ત્યારે તેને ડ્રાઇ કરીને ડામરને ગરમ કર્યા વગર પાથરીને મરમ્મત કરાવવા વપરાય છે. ગંભીર વાત એ છે કે જે રસ્તા કામ માટે પાંચ વર્ષની ગેરેંટી લેવાઇ હતી તેવા ૪૦૦ મીટરના રસ્તામાં પણ ખાડા પડી ગયા છે. હવે ગેરેંટીના નામ પર એજન્સીના ખર્ચે તે રિપેર કરાવાશે. પરંતુ તેનાથી પ્રજાને કોઇ રાહત નથી. કારણ કે આ ખાડા પરથી પસાર થઇને જે વેદના ભોગવી તેનું વળતર પ્રજાને ચૂકવાશે નહી. એજન્સીને બ્લેકલીસ્ટ કરાશે નહી. જવાબદાર અધિકારીનો ખુલાસો પણ પુછાશે નહી.

રસ્તાનું આ નુકશાન કેટલું વ્યાપક છે. તેનો અંદાજ એ પરથી આવે કે ૧૨૦૦૦ ખાડાથી શહેરના લગભગ તમામ મુખ્ય રાજમાર્ગો જ પાંચ કિ.મી.ના કાલાવડ રોડ પર પચાર ખાડાથી આખો રસ્તો જ જોખમી બની જાય છે. આ રીતે આ બાર હજારથી વધુ ખાડાઓના કારણે રાજકોટમાં કોઇ રસ્તા સારા રહ્યા નથી. મહાપાલિકાને વરસાદથી રસ્તાનું નુકશાન રૂ.૫૭ કરોડ અંદાજાયું છે અને તે રકમ મેળવવા સરકાર પાસે ગ્રાન્ટ મંગાશે પરંતુ બીજી તરફ પ્રજાજનોને આ રસ્તા પર ટુ વ્હીલરો ખાબકતાં કમ્મરના દુ:ખાવા સહિત ઓર્થોપેડીક સારવાર કરાવવી પડી છે અને ટાયર સહિત વાહનોને નુકશાન થયું છે તે અબજો રૂપિયાનું છે અને તેનો કોઇ સર્વે નથી, કારણ કે સરકાર તેમાં કોઇ જ રાહત આપવાની નથી.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TNPL 2025: 'અમ્પાયર સાથે દલીલ,ગ્લોવ્ઝ ફેંક્યા અને બેટ માર્યું…',અશ્વિનને મળી આ સજા
સ્પોર્ટ્સ

TNPL 2025: 'અમ્પાયર સાથે દલીલ,ગ્લોવ્ઝ ફેંક્યા અને બેટ માર્યું…',અશ્વિનને મળી આ સજા

By 6 days ago
India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'
Business:ઘઉંની સરકારી ખરીદી 300 લાખ ટનથી વધુ, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ
Lufthansa Airline : જર્મની પરત ફરી ફ્લાઇટ, હૈદરાબાદમાં લેન્ડિંગની ન મળી પરમિશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?