By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાન અવિનાશી છે, તેમનો કદાપિ નાશ થતો નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાન અવિનાશી છે, તેમનો કદાપિ નાશ થતો નથી

agragujaratnews
Last updated: 2024/09/15 at 3:44 AM
2 years ago
Share
ભગવાન અવિનાશી છે, તેમનો કદાપિ નાશ થતો નથી
SHARE

ત્રિભિ: ગુણમયૈ: ભાવૈ: એભિ: સર્વમ ઇદમ જગત II

મોહિતમ ન અભિજાનાતિ મામ એભ્ય: પરમ અવ્યયમ II 7/13 II

અર્થ : આ આખું જગત ત્રણ ગુણોવાળા ભાવોથી મોહિત છે, માટે તેઓથી પર મને અવિનાશીને તત્ત્વથી કોઇ જાણતું નથી.

સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણે ગુણો માત્ર અને માત્ર મનુષ્ય જીવન સાથે જ સંકળાયેલા છે. એમને પશુ, પંખી કે અન્ય કોઇ યોનિ સાથે કશી લેવાદેવા નથી. જગતના બધા જ લોકો આ બધા જ ગુણોથી અથવા તો કોઇ એક કે બે ગુણોથી મિશ્રિત જીવન જ જીવે છે.

કોઇ પણ મનુષ્ય આ ગુણથી રહિત હોઇ શકતો નથી. તમે જગતના કોઇ પણ દેશ કે રાજ્યમાં જશો, જ્યાં પણ માનવજીવન હશે ત્યાંના મનુષ્યોમાં આ ગુણ તમને જોવા મળશે જ. ભગવાન કહે છે કે તમે બધા ભલે આ ગુણોના ભાવ ધરાવો છો, પણ હું તો આ ગુણોથી અલિપ્ત છું. મને આ ગુણ કંઇ અસર કરી શકતા નથી. તે કહે છે હું આ ગુણથી પર છું એટલે કે આ ગુણ ભગવાનને તેમની મોહ-માયામાં લઇ જતા નથી. ભગવાન અવિનાશી છે. તેમનો કદાપિ નાશ થતો નથી. જેને આ ગુણની અસર થાય તે અવિનાશી રહી શકે નહિ, કારણ કે આ ગુણ દ્વારા જ જગતમાં નવા નવા પ્રશ્નો, સમસ્યાઓ અને તેનાં સારાં કે નરસાં પરિણામો જોવા મળે છે. માણસોએ તેમનામાં ઊંચનીચ અને જાતિઓના જે ભેદનું જે નિર્માણ કરેલ છે તે પણ કદાચિત આ ગુણોને જ આભારી છે.

આ ગરીબ આ ધનવાન, આ યોગી, પેલો ભોગી, આ રાજા અને આ ગુલામ, આ શેઠ અને આ નોકર. આવી બધી જે સમાજવ્યવસ્થા આપણે આજે જોઇએ છીએ તેના માટે કારણભૂત છે આ ત્રણેય ગુણ. આપણે એ સમજવાનું છે કે જેમ ભગવાન આ ગુણથી પર રહી શકે છે તે રીતે આપણે પણ ખાસ કરીને રજોગુણ અને તમોગુણથી તો બને એટલા દૂર જ રહેવું જોઇએ. જો તમારે મોક્ષ જોઇતો હોય તો આ ગુણોથી દૂર જ રહેજો.

દૈવી હ્યેષાગુણમયી મમ માયા દુરત્યયા II

મામેવ એ પ્રપદ્યંતે માયામેતાંતરન્તિ તે II 7/14 II

અર્થ : કેમ કે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે. જે મનુષ્ય મારા શરણે આવે છે તે જ એ માયારૂપી નદીને તરી જાય છે.

સાત્ત્વિક, રાજસી અને તામસી એવા ત્રણ ગુણવાળી આ જગતની માયા જબરી અટપટી છે. તે મનુષ્યને તહસનહસ કરી શકે છે. તેની પાછળ જવા માટે ડગલે ને પગલે મોહનાં કારણો રહેલાં છે. આજે તો રૂપ અને રંગની બોલબાલા છે. સત્તા અને સુંદરી તેમજ સંપત્તિની પાસે કશી વફાદારીની અપેક્ષા રાખવાની હોતી નથી છતાં લોકો જાણે કે તેની પાછળ આંધળી દોટ મૂકીને પડ્યા હોય તેવું લાગે છે. સાત્ત્વિકતા કે ભક્તિ તરફ તો જોવાની ફુરસદ નથી. જગતની માયા આગળ ભલભલા મહાપુરુષો, સંતો, યોગીઓ અને શૂરવીરો પણ કેવાક ફસાયા છે અને પડી ભાંગેલા છે તેના દાખલાઓથી ઇતિહાસ ભરેલો પડ્યો છે. તે છતાં આજના લોકો આ બધું જાણીને પણ તે તરફ એટલે કે માયાના વળગણ તરફ જઇ જ રહ્યા છે. જોકે, ભગવાને આ શ્લોકમાં આ દુષ્કર માયાથી બચવાનો ઉપાય બતાવ્યો છે તે ઉપાય છે ભગવાનનું શરણું લેવું. જે મનુષ્ય ઇશ્વરને શરણે જાય છે, પોતાના અહં, ઘમંડ બધું જ ભૂલી જઇને ભગવાનનો સાચો ભક્ત બની જાય છે, તે ભગવાનની કૃપાથી પેલી માયારૂપી નદીને પાર કરી દે છે. માયાનગરીથી બચવું મુશ્કેલ છે, અઘરું છે, પણ અશક્ય નથી. જો આપણે શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારી લઇશું તો સંસારની માયાનગરીને આપણે જરૂરથી તરી શકીશું.

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
રાજકોટ

બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી

Editor By Editor 1 day ago
કાળઝાળ ગરમીમાં રોગચાળાનો હાહાકાર, સૌથી વધારે તાવના ૭૫૮ દર્દીઓ સારવારમાં
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન
ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?