બાંગ્લાદેશના સૂફી જૂથોએ સોમવારે પયગંબર મોહમ્મદના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. તાજેતરમાં સૂફી દરગાહો પર થયેલા હુમલા બાદ સુરક્ષા કડક કરવામાં આવી હતી. દક્ષિણપંથી જૂથોએ દરગાહને બિન-ઇસ્લામિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાવ્યું હતું. રાજધાની ઢાકા અને અન્ય મોટા શહેરોમાં સેના અને અર્ધલશ્કરી દળના જવાનોને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે સૂફી જૂથોની રેલી પર વધારાની દેખરેખ રાખી હતી. સૂફી જૂથોએ દક્ષિણપંથી ઈસ્લામિક સંગઠનોને મુસ્લિમ સંતોનું સન્માન કરવાની અપીલ કરી હતી. તેમણે ઇસ્લામમાં પ્રેમ અને આંતરધર્મ સમરસતાનો પ્રચાર કરનારા સંતોની ભૂમિકાને યાદ અપાવી હતી.
સ્લામિક ધર્મગુરુ સૈયદ સૈફુદ્દીન અહેમદે વિનંતી કરી
ઈદ-એ-મિલાદુન નબી રેલી પહેલા ઈસ્લામિક ધર્મગુરુ સૈયદ સૈફુદ્દીન અહેમદે કહ્યું કે, “જે લોકોએ સૂફી દરગાહો પર હુમલો કર્યો છે અથવા સ્થળોમાં આગચંપી કરી છે, અમે તેમને વિનંતી કરીએ છીએ કે, તેઓ આવી જઘન્ય પ્રવૃત્તિઓથી દૂર રહે.” સૈફુદ્દીને વચગાળાની સરકારને મંદિરોની સલામતી સુનિશ્ચિત કરવા અને જે નુકસાન થયું છે તેનું પુનઃનિર્માણ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, પયગંબર મોહમ્મદ સર્વસમાવેશકતાનો ઉપદેશ આપે છે અને કટ્ટરવાદનો અસ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે, કટ્ટરપંથીઓ હવે સામાજિક શાંતિ અને સદભાવના નષ્ટ કરવા પર તત્પર છે. સૂફી જૂથો પયગંબર મોહમ્મદનો જન્મદિવસને મિલાદુન નબીની ઉજવણી કરે છે. જ્યારે દક્ષિણપંથી ઇસ્લામિક જૂથો આવી પ્રથાઓનો વિરોધ કરે છે.
હવે દરગાહ, સંસ્કૃતિ અને સભ્યતાઓ તૂટી રહી છે
ગયા અઠવાડિયે ઉત્તર-પૂર્વ સિલહટમાં પ્રખ્યાત સૂફી સંત શાહ પરાનની દરગાહ પર થયેલા હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી કે, વિદ્યાર્થી પ્રેરિત ચળવળ ભેદભાવ તોડવા માટે છે. પરંતુ હવે દરગાહ, સંસ્કૃતિ અને સભ્યતાઓ તૂટી રહી છે.
કડક કાર્યવાહી કરવાનો આદેશ
આ ઘટનાઓ બાદ વચગાળાની સરકારના વડાના કાર્યાલયે સૂફી દરગાહો તથા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો પર નફરતી ભાષણો અને હુમલાઓ સામે ચેતવણી જારી કરી હતી અને કાયદા અમલીકરણ એજન્સીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.


