લોસ એન્જલસના જંગલોમાં ભારે પવન આગને વધુ ભડકાવી રહ્યા છે. એવું લાગે છે કે આ સુવર્ણ શહેરને કોઇની નજર લાગી ગઈ હોય! એક સમયે આ શહેર રોશનીના પ્રકાશથી ઝળહળતું હતું, જે હવે અગ્નિની ગરમીનો સામનો કરી રહ્યું છે. આગને કારણે અમેરિકન ફિલ્મ ઉદ્યોગ (હોલીવુડ)ને ભારે નુકસાન થઈ રહ્યું છે.
હાલની પરિસ્થિતિ આખું શહેર તબાહ
એક તરફ જંગલોમાં આગ ભભૂકી રહી છે. બીજી તરફ ઉંચી જ્વાળાઓ, આકાશમાં કાળા ધુમાડાના વાદળ.. અને ચોતરફ અરાજકતા. છેલ્લા ચાર દિવસથી કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જંગલની આગે લોસ એન્જલસ શહેરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું છે. ચોતરફ વિનાશના દ્રશ્યો દેખાય છે. અત્યાર સુધીમાં જંગલની આગમાં ૧૧ લોકોના મોત થયા છે અને ૧૦ હજારથી વધુ ઘરો અને અન્ય ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે, હજારો વાહનો પણ આગમાં બળી ગયા છે. લગભગ 1.5 લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે, તો જંગલના જીવોને કેટલું નુકશાન થયું છે તેનો તો કોઈ અંદાજ જ લગાવી શકાય તેમ નથી. જ્યારે મોટી સંખ્યામાં લોકોને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહેવાયુ છે.
હવામાન વિભાગની હતી આગાહી
આ વિનાશક જંગલની આગ કેલિફોર્નિયામાં સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચેના પેસિફિક પેલિસેડ્સના 1200 એકરથી વધુ વિસ્તારને ઘેરી લે છે. શુક્રવારે મોડી રાત્રે જંગલમાં લાગેલી આગની ભીષણ જ્વાળાઓ લોસ એન્જલસના રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી, જેના કારણે ગભરાટ ફેલાયો. અગ્નિશામકોએ લગભગ 30,000 લોકોને તાત્કાલિક પેસિફિક પેલિસેડ્સ છોડી સલામત સ્થળે જવાની અપીલ કરી હતી. આ સમયગાળા દરમિયાન, લગભગ ૧૩ હજાર ઇમારતો અને ઘરો પણ જોખમમાં આવી ગયા. કેલિફોર્નિયાના જંગલમાં આગ લાગતા પહેલા રાષ્ટ્રીય હવામાન સેવાએ 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી લોસ એન્જલસ કાઉન્ટીના મોટાભાગના ભાગોમાં ગંભીર આગની સ્થિતિ માટે ચેતવણી જારી કરી હતી.
વેન્ચુરા કાઉન્ટીમાં 60 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ કાર્યરત
વેન્ચુરા કાઉન્ટીમાં લાગેલી આગ 50 એકર વિસ્તારને ઘેરી લીધી છે; તેને બુઝાવવા માટે 60 થી વધુ ફાયર બ્રિગેડ કંપનીઓને મોકલવામાં આવી છે. વેન્ચુરા કાઉન્ટી ઉપરાંત, કેનેથમાં પણ આગ ફાટી નીકળી છે, જે 800 એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. લોસ એન્જલસ કાઉન્ટી ફાયર સેફ્ટી ચીફ એન્થોની મેરોને પણ એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે આગ ઓલવવા માટે પાણીની અછત હતી. તેમણે કહ્યું, ‘મારી પાસે એવા અહેવાલો છે કે લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ આ આગને કારણે પાણીની અછતનો સામનો કરી રહ્યું છે.’ અમે પીડબ્લ્યુડી સાથે સંકલનમાં છીએ. એન્થોની મેરોને લોકોને અપીલ કરી કે તેઓ સ્થળ ખાલી કરવાના વહીવટીતંત્રના આદેશોનું પાલન કરે.


