ઉત્તરી સીરિયામાં મનબીજ શહેરની સીમમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ કૃષિ શ્રમિકોને લઈ જઈ રહેલા વાહન પાસે થયો હતો. ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો મોત થયા જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક નાગરિક સંરક્ષણ અને યુદ્ધ મોનિટરિંગ સંસ્થાએ આ વિશે માહિતી આપી છે. ડિસેમ્બરમાં બશર અસદની હકાલપટ્ટી બાદ ઉત્તરપૂર્વીય અલેપ્પો પ્રાંતના મનબીજમાં હિંસાની ઘટનાઓ બની છે. ‘સીરિયન નેશનલ આર્મી’ તરીકે ઓળખાતા તુર્કી સમર્થિત જૂથો યુએસ સમર્થિત કુર્દિશની આગેવાની હેઠળની ‘સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ’ સાથે અથડામણ યથાવત છે.
સીરિયામાં કેવી સ્થિતિ છે?
સીરિયામાં કેવી સ્થિતિ છે તેનાથી આખી દુનિયા વાકેફ છે. આતંકવાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો પ્રભાવ ઓછો થયો છે, પરંતુ હજુ પણ આતંકવાદી પ્રવૃત્તિઓનો અંત આવ્યો નથી. સીરિયામાં વારંવાર આતંકવાદી હુમલાના કિસ્સાઓ જોવા મળે છે.
દક્ષિણી પ્રાંત દારામાં બોમ્બ બ્લાસ્ટ
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સીરિયાના દક્ષિણ પ્રાંત દારાના મહાઝા શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ રોડ કિનારે થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. દારા પહેલા ઉત્તરી સીરિયન શહેર અઝાઝ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. માર્કેટમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.


