તાઇવાનની સાથે વધી રહેલા તણાવની વચ્ચે ચીને જાપાનને ધમકી આપી છે. ચીનના વિદેશી મંત્રી વાંગ યીએ જાપાન પર એટમ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી છે. ચીની વિદેશી મંત્રીએ જણાવ્યુ છે કે, તેઓ જાપાને પોતાના નાગાસાકી અને હિરોશિમાના ઇતિહાસને ભૂલવું ન જોઇએ. અમે તેનાથી પણ વધુ દર્દ આપીશું. ચીનના વિદેશી મંત્રીએ અમેરિકાના ટૈરિફ વિશે પણ વાત કરી હતી. અને સાથે જ જાપાન પર પણ નિશાન સાધ્યુ હતુ.
ચીને જાપાનને હિરોશિમા-નારાસાકીની અપાવી યાદ
ચીનના વિદેશી મંત્રી વાંગ યીએ કહ્યુ છે કે તાઇવાન અમારા દેશનો હિસ્સો છે. તાઇવાનના લોકો ટોક્યોના ઇશારે ઉડાન ભરી રહ્યા છે. જાપાન જાણી જોઈને ચીનમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ તાઇવાન અમારા દેશનો મુખ્ય હિસ્સો છે. અને આવા અસ્થિર વાતાવરણમાં ચીન ચુપ નહી બેસે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું, “તાઇવાન આપણા દેશનો ભાગ છે. તાઇવાનના લોકો ટોક્યોના ઇશારે ઉડાન ભરી રહ્યા છે. જાપાન જાણી જોઈને ચીનમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ચીન ચૂપ રહેશે નહીં. વાંગ યીએ કહ્યું કે એશિયાઈ ખંડના કોઈપણ દેશ વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. અહીં બધું બરાબર છે. તેમણે વધુમાં કહ્યું, “ચીનનો પ્રયાસ સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે. અમે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યા છીએ અને ભવિષ્ય માટે પણ એવું જ ઇચ્છીએ છીએ. ચીન ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવે અને બંને દેશો વચ્ચે શાંતિ કરાર થાય. જોકે, આ સમય દરમિયાન વાંગ યીએ યુક્રેનમાં શાંતિ રક્ષા દળો મોકલવા અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું.
વધુ દર્દ આપીશું: ચીન
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ચીને જાપાનને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. ચીને જાપાનના ક્ષેત્રમાં ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો મોકલ્યા હતા, ત્યારબાદ જાપાની અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. તે જ સમયે, જાપાને ચીન પર ઉશ્કેરણીનો આરોપ પણ લગાવ્યો. થોડા દિવસો પહેલા ચીન અને તાઇવાનના નૌકાદળો વચ્ચે અથડામણ થઈ હતી અને ચીને પ્રશાંત મહાસાગરમાં મજબૂત મોરચો બનાવ્યો છે. તે જ સમયે, યુનાઇટેડ સ્ટેટ્સ પણ તાઇવાનને ટેકો આપી રહ્યું છે. તાઇવાનએ અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદવાનો નિર્ણય કર્યો. જોકે, ચીનનું કહેવું છે કે તાઇવાન જાપાનની તાકાતનો લાભ ઉઠાવી રહ્યું છે અને વધુ મજબૂત બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.


