By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    19 minutes ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    1 hour ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: હનુમાનજી પંચપ્રાણ રક્ષક છે અને પંચધર્મા પણ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

હનુમાનજી પંચપ્રાણ રક્ષક છે અને પંચધર્મા પણ છે

Last updated: 2025/04/24 at 2:50 AM
2 months ago
Share
હનુમાનજી પંચપ્રાણ રક્ષક છે અને પંચધર્મા પણ છે
SHARE

હનુમાનજી `રામચરિત માનસ’ના પંચપ્રાણના રક્ષક છે. ભરત, સીતા, લક્ષ્મણ, રીંછ અને વાનર તથા સુગ્રીવ; એ પાંચેયના પ્રાણની રક્ષા જો કોઈએ કરી હોય તો `માનસ’ના હનુમાને કરી છે. બીજું, શ્રી હનુમાનજી પંચધર્મા છે. ત્રીજું, મારી અને તમારી માફક સમગ્ર પ્રપંચ, સમગ્ર બ્રહ્માંડ પંચતત્ત્વ સંયુક્ત છે એટલા માટે હનુમાનજી પંચભૂતમય છે. પંચપ્રાણના રક્ષક છે; પંચધર્મા છે. `માનસ’ના પંચધર્મા આ હનુમાન છે.

પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા,

પર નિંદા સમ અઘ ન ગરીસા.

`માનસ’કાર કહે છે કે દુનિયામાં આ પરમ ધર્મ જો કોઈ હોય તો તે અહિંસા છે. હનુમાનજી અહિંસાધર્મા છે. હું સમજી શકું છું કે તમારા મનમાં ગરબડ થશે કે હનુમાને તો આટલા બધાને માર્યા છે! અભિયાનની શરૂઆતમાં એમણે સિંહિકાને મારી. લંકાપ્રવેશ વખતે એમણે લંકિની પર મુષ્ટિપ્રહાર કર્યો. અશોકવાટિકામાં અક્ષયકુમારને તો નિર્વાણ જ આપી દીધું! અને લંકાના રણયુદ્ધમાં તો તમે જાણો છો કે હનુમાને કેટલાયને માર્યા! તો પછી હનુમાન અહિંસાધર્મા કેવી રીતે? એવું હું કેવી રીતે કહી શકું? જે લોકો ખૂબ જ હિંસા કરતા હતા એ વધારે હિંસા ન કરે એટલા માટે બદનામી વહોરીને પણ એમણે કોઈ-કોઈને માર્યા. જો એમને ન માર્યા હોત તો અસંખ્ય હિંસા થઈ જાત. ગોસ્વામીજી કહે છે, સમાજની હિંસા અટકવી જોઈએ. અંદરથી હનુમાન અહિંસાધર્મા છે. હનુમાનજીનો બીજો ધર્મ `માનસ’નો

આગમ નિગમ પ્રસિદ્ધ પુરાના,

સેવા ધરમુ કઠિન જગુ જાના.

તુલસી કહે છે, સેવાનો ધર્મ અત્યંત કઠિન છે. હનુમાનજીએ જે સેવા કરી છે અને નિરંતર પ્રાણવાયુના રૂપમાં આપણા સૌની જે સેવા કરી રહ્યા છે હવાના રૂપમાં, એટલા માટે સેવાધર્મ. ત્રીજા ધર્મ `માનસ’નો

ધરમુ ન દૂસર સત્ય સમાના,

આગમ નિગમ પુરાન બખાના.

હનુમાનજી સત્યધર્મા છે. `હેમશૈલાભદેહં’ સો ટચનું સોનું છે. એમના સત્યધર્મા પ્રત્યે કોઈ આંગળી ઉઠાવી શકે તેમ નથી. એક ધર્મની વ્યાખ્યા છે. `માનસ’માં, જે ચોથો ધર્મ છે, `ધર્મ કિ દયા સરિસ હરિજાના.’ દયા સમાન કોઈ ધર્મ નથી. અમારે ત્યાં લોકો કહે છે,

દયા ધરમ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન,

તુલસી દયા ન છોડીએ

જબ લગ ઘટ મેં પ્રાન.

હનુમાનજી દયાનિધાન છે. કેવા દયામૂર્તિ છે હનુમાન! અને `પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ.’ પરહિત માટે તારો અવતાર છે અને પર એટલે પરમ. `રાજ કાજ લગિ તવ અવતારા.’ જે પરમ તત્ત્વ છે એના માટે તારો અવતાર છે અને એટલે તું ઊતર. હનુમાનજી પંચપ્રાણના રક્ષક, પંચધર્મા, પંચભૂતમય અને પંચમુખ શંકરના અવતાર છે. પંચમુખ છે હનુમાન અને હનુમાનજી પંચપાવિત્ર્ય છે. હનુમાનજી આમ તો પવિત્ર જ પવિત્ર છે. અખંડ બ્રહ્મચર્યની શુદ્ધ મૂર્તિ એટલે પરમ પવિત્ર. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ શુદ્ધ સંકલ્પ પ્રતિમા. હનુમાનજી પંચપાવિત્ર્ય ધારણ કરે છે. એક દેહપાવિત્ર્ય, દેહની પવિત્રતા. સુવર્ણ; સો ટચનું સુવર્ણ શુદ્ધ માનવામાં આવે છે અને `હેમશૈલાભદેહં.’ એ સુવર્ણદેહ છે એટલે દેહપાવિત્ર્ય. એમની સેવાકાઈ, રામના અંગી સમજીને એમણે સૌની સેવા કરી, પરંતુ એમના દેહને ઝૂકવાનું મૂળ કેન્દ્ર કેવળ રામ. મહામોહ, બાકી અંગ બનીને સેવા કરી. આ પરમાત્માનાં જ બધાં અંગ છે. એમની સેવા તો હનુમાને વાયુરૂપે કરી, પરંતુ મુખ્યત્વે એ રામકિંકર રહ્યા. એમનું દેહપાવિત્ર્ય; એમનો દેહ આમતેમ ન ગયો. બીજું હનુમાનજીનું દિલપાવિત્ર્ય. દિલપાવિત્ર્યનો અર્થ શું? આપણા હૃદયમાંથી જેટલી માત્રામાં અવગુણ નીકળી જાય એટલું દિલ વધારે પવિત્ર થતું જાય છે.

અતુલિતબલધામં હૈમશૈલાભદેહં

દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ્

સકલગુણનિધાનં વાનરાણામધીશં

રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ.

જાનકીજીને લંકામાં જ્યારે હનુમાનજીએ ખબર આપી કે રાવણકુળનો વિનાશ થઈ ચૂક્યો છે. અનુજ સહિત રાઘવ કુશળ છે. ત્યારે જાનકીજીએ હનુમાનજીને કહ્યું,

સુનુ સુત સદગુન સકલ

તવ હૃદયં બસહું હનુમંત.

એટલા માટે હનુમાન દિલપાવિત્ર્યના પ્રતીક છે. ત્રીજું, હનુમાનજી દિમાગ પાવિત્ર્ય ધારણ કરી રહ્યા છે. એમના વિચાર જુઓ! સુવિચાર, શુભ વિચાર અને સદ્વિચાર ત્રણેયના તેઓ ઉપાસક છે. સુવિચાર કોને કહેવાય? સદ્વિચાર કોને કહેવાય? શુભ વિચાર કોને કહેવાય? એની વ્યાખ્યામાં જવું નથી, પરંતુ હનુમાનજીમાં દિમાગ પાવિત્ર્ય છે અને મને ખૂબ જ સારું લાગે છે કે હનુમાનજીએ ચોથું પાવિત્ર્ય ધારણ કર્યું છે દર્દપાવિત્ર્ય. પીડાની પવિત્રતા એ બહુ જ આવશ્યક છે. પીડિત તો આપણે બધા જ છીએ, પરંતુ પવિત્ર પીડા કોણે અનુભવી છે? બીજા સાથે કોઈ નાતો ન હોય અને એ પીડિત હોય ત્યારે દર્દ અનુભવાય એ દર્દપાવિત્ર્ય છે. મા જાનકી અશોકવૃક્ષ નીચે રડી રહ્યાં હતાં અને જ્યારે તેઓ મરવાની અણી પર હતાં ત્યારે હનુમાનજી મહારાજ સીતાજીનાં દુ:ખને સહન ન કરી શક્યાં. એકદમ દુ:ખી થઈ ગયા. એ દર્દપાવિત્ર્ય છે અને પાંચમું પાવિત્ર્ય છે દવાપાવિત્ર્ય. ઔષધિની પવિત્રતા; જે હનુમાનજી પાસે હતી. આ દ્રોણાચલ પર્વત, એમાં ઔષધિ છે સંજીવની. એ પર્વત વર્ષોથી ત્યાં છે. આજુબાજુવાળા લોકોને ખબર નહીં પડી હોય કે આમાં સંજીવની છે? આજુબાજુવાળા તો મરતા જ રહ્યા! અથવા તો કોઈ વૈદ ન મળ્યા? વૈદ પણ ત્યાં તો હશે કે ભાઈ, આટલી ઔષધી છે અહીં. એનો ઉપયોગ કરો તો કોઈ મરે નહીં, પરંતુ ઔષધી પણ કોઈ એવા હાથે આપવામાં આવે છે ત્યારે એ દવાપાવિત્ર્યનું કામ કરે છે.

લાય સજીવન લખન જિયાયે,

શ્રીરઘુબીર હરષિ ઉર લાયે.

તો હનુમાનજી પંચપ્રાણરક્ષક, પંચધર્મા, પંચભૂતમય, પંચમુખ અને પંચપાવિત્ર્ય છે, એવું ગુરુકૃપાથી મને સમજાયું છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
આંતરરાષ્ટ્રીય

Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
Iran Israel conflict: તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ, ઇરાન પર ઇઝરાયલનો હુમલો
WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?