3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ રમાશે . રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે આ ટાઈટલ મેચમાં ટક્કર થશે.
ફાઈનલ મેચ પહેલા RCBના કેપ્ટન રજત પાટીદારે મીડિયા સાથે વાત કરતા ટાઈટલ જીતવાની આશા વ્યક્ત કરી. આ દરમિયાન તેને ધાકડ મિડલ ઓર્ડર બેટ્સમેન ટિમ ડેવિડને પ્લેઈંગ ઈલેવનમાં રમવા પર મોટું નિવેદન આપ્યું છે.
મીડિયા સાથે વાત કરતાં રજત પાટીદારે ટિમ ડેવિડની ઉપલબ્ધતા અંગે કહ્યું કે તેના રમવા અંગે હજુ સુધી મેડિકલ ટીમે કોઈ નિર્ણય લીધો નથી. રજત પાટીદારે તેના રમવાની પુષ્ટિ કરી નથી.
રજત પાટીદારે વિરાટ કોહલી વિશે શું કહ્યું?
વિરાટ કોહલી 18 વર્ષથી RCB માટે રમી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી બેંગ્લુરુ ટીમ અને વિરાટ કોહલીને IPL ટ્રોફી મળી નથી. રજત પાટીદારે કહ્યું કે વિરાટની હાજરી RCB પ્લેયર્સ માટે પ્રેરણાનો સ્ત્રોત રહી છે અને આખી ટીમ આ વખતે વિરાટ કોહલી માટે ખિતાબ જીતવા માટે પોતાનો દમ લગાવી દેશે.
11 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી પંજાબની ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ અત્યાર સુધીમાં ત્રણ IPL ફાઈનલ રમી છે, પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે. 2009, 2011 અને 2016 માં, RCB ટ્રોફી જીતવાની ખૂબ નજીક આવીને હારી ગયું. પંજાબ કિંગ્સની વાત કરીએ તો, પંજાબે અત્યાર સુધી એકમાત્ર IPL ફાઈનલ 2014માં રમી છે, જેમાં પંજાબ KKR સામે હારી ગયું હતું. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં પંજાબની ટીમ 11 વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે.
IPLમાં શાનદાર છે વિરાટ કોહલીના આંકડા
IPLમાં વિરાટ કોહલીના આંકડા શાનદાર રહ્યા છે, તે આ લીગમાં 8,000 રનનો આંકડો પાર કરનાર પહેલો બેટ્સમેન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં IPLમાં 8,618 રન બનાવ્યા છે, જેમાં 8 સદીનો સમાવેશ થાય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની એવરેજ 39.53 છે અને તે 300 છગ્ગા પૂરા કરવાથી માત્ર 9 છગ્ગા દૂર છે.