ગાઝામાં ઇઝરાયેલ દ્વારા ચાલી રહેલા નરસંહારમાં વધુ 27 નાગરિકનાં મોત થયા છે. મદદ માટેની કતારમાં ઊભેલા ભૂખ્યા લોકો ઉપર ફિલિસ્તીની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. 20 મહિનાથી ચાલતા જંગમાં ઇઝરાયેલ દ્વારા અત્યાર સુધી 55 હજારથી વધુ નાગરિકોને મારી નાખ્યા છે. જોકે આનાથી વધુ સંખ્યા હોય તેમ પણ માનવામાં આવી રહ્યું છે. હવે હમાસના નેતાઓને દુનિયામાંથી શોધીને તેમને મારી નાખવાની યોજના છે.
ગાઝામાં ઇઝરાયેલના અભિયાનમાં હમાસના નેતાઓ અને કમાંડરોને નિશાન બનાવાયા છે. હવે વિદેશોમાં બચેલા નેતોઓને મારવાની નીતિ ઘડી કાઢવામાં આવી છે. મધ્યમોના અહેવાલ અનુસાર, ઇઝરાયેલ દ્વારા ખાન યુનીસમાં એક સુરંગ ઉપર બોમ્બ ફેંકીને અલ કસ્સામ બ્રિગેડ કમાન્ડર મોહમ્મદ સિનવાર અને રાફા બ્રિગેડ કમાન્ડર મોહમ્મદ શબનહની પુષ્ટિ બાદ ઇઝરાયેલી સેના જનરલ સુરક્ષા અને મોસાદ સહિતના ચાર નેતાઓને ખતમ કરવાની ફિરાકમાં છે.
હવે ઓસામા હમદાનની હત્યાનો વારો ?
ઇઝરાયેલનું નિશાન હવે અલ કસ્સમ ગાઝા બ્રિગેડના અલ દિન અલ હદાદ છે. જેની હત્યાનો અવારનવાર પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત લેબેનોનમાં હમાસના નેતૃત્વ કરવાવાળા અને હમાસના પોલિટિકલ બ્યુરોનો ભાગ રહેલા ઓસામા હમદાન પણ ઇઝરાયેલના નિશાન ઉપર છે.
શાંતિ પ્રક્રિયાના નેતાઓનો ભોગ લેવાય છે
હમાસ હાલમાં સૌથી વધુ કતારમાં સમય વિતાવે છે અને શાંતિ વાર્તા માટે હમાસ ડેલિગેશનનો એક ભાગ છે. પહેલા પણ ઇઝરાયેલે ઈસ્માઈલ હાનિયાને મારીને સાબિત કર્યું હતું કે તેઓ શાંતિપ્રક્રિયાના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.