UNમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતમાં મુસ્લિમો સાથે હેરાનગતિ કરાતા હોવાના દાવા કર્યા હતા. પરંતુ એક પત્રકારે તેમના દાવા પર પ્રશ્નો ઉભા કરીને પર્દાફાશ કર્યો હતો. જેને કારણે દુશ્મન દેશનું વૈશ્વિક સ્તરે અપમાન થયુ હતુ. પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારે બિલાવલ ભુટ્ટોને સવાલ કર્યો હતો. જેમાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરાયો હતો. જેમાં પત્રકારે બિલાવલ ભુટ્ટોને પૂછ્યુ હતુ કે, શું મુસ્લિમનોને કરાતી હેરાનગતિ અંગે અને પહલગામ આતંકવાદી હુમલા અંગે તમે શું કહેશો. તો તેના જવાબમાં બિલાવલ ભુટ્ટો અસમંજસમાં દેખાયા હતા. અને જવાબ આપવા અસમર્થ હતા.
ખોટા દાવાઓનો થયો પર્દાફાશ
પાકિસ્તાનને પોતાનું અપમાન કરવાનું ગમતું હોય અને એક આદત પડી ગઇ હોય તેમ લાગી રહ્યુ હતુ. કારણ કે ભારતને નીચું બતાવવા મોહમાં પાકિસ્તાન પોતાનું અપમાન કરાવી લે છે. UNમાં દુશ્મન દેશનું અપમાન થયુ છે. તેના પાયાવિહોણા દાવા ફરીવાર વૈશ્વિક સ્તરે સામે આવ્યા છે. આ વૈશ્વિક સ્તર પર તેણે ભારત વિશે ખોટા દાવા કર્યા હતા. અને જણાવ્યુ હતુ કે, ભારતમાં મુસ્લિમોની હેરાનગતિ થઇ રહી છે. અને મુસ્લિમોને ‘રાક્ષસ’ કહેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના તમામ ખોટા દાવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
પત્રકારના પ્રશ્નોએ બિલાવલને મુક્યા મુંઝવણમાં
પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારે પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યુ હતુ કે, ભારતમાં મુસ્લિમોને ‘રાક્ષસ’ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. તેના કોઇ પુરાવા છે. ત્યારે બિલાવલ ચુપ બેસી રહ્યા હતા. બાદમાં બીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યુ હતુ કે, પહલગામ આતંકી હુમલો મુસ્લિમોને બદનામ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન મામલે બંનેન દેશે પત્રકાર પરિષદ યોજી હતી. જે બાદ કર્નલ સોફિયા કુરેશીએ પણ બ્રીફિંગ કરી હતી. ત્યારે તમે આ અંગે શું કહેશો. ત્યારે પણ બિલાવલ જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. તેઓએ માત્ર એટલું જ કહ્યુ હતુ કે, ઓપરેશનની વાત સાચી છે. આમ જેટલું પાડોશી દેશ ભારતને ખોટા સાબિત કરવા પ્રયત્ન કરે છે. તેટલું જ પાકિસ્તાનનું અપમાન થાય છે. હવે પોતાના કાવતરાંમાંથી પાકિસ્તાન બહાર આવે તે જરુરી છે.