2022થી ચાલી રહેલા રશિયા-યુક્રેનનું યુદ્ધ હવે દિવસેને દિવસે વધુ આક્રમક બનતુ જાય છે. હાલમાં જ રશિયાએ યુક્રેનના મુખ્ય વિસ્તારો પર 400 થી વધુ ડ્રોન અને 40થી વધુ બેલેસ્ટીક મિસાઈલથી હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીએ ટ્વિટર પર એક આક્રોશથી ભરેલું નિવેદન જાહેર કર્યું છે. તેમણે જાહેર કર્યું છે કે યુક્રેનની વાયુસેનાએ ઘણી મિસાઈલો અને ડ્રોન હુમલામાં સફળતા મેળવી છે. પરંતું ત્રણ ઈમરજન્સી સેવા કરી રહેલા કર્મચારીઓ અને 49 લોકોના મૃત્યુ થયા છે. કાટમાળની સફાઈ અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીએ આગળ જણાવ્યું હતું કે રશિયા પોતાની નીતિમાં ફેરફાર કરી રહ્યું નથી. તે સામાન્ય લોકોને પણ નિશાન બનાવી રહ્યું છે. આ યુદ્ધ ફક્ત યુક્રેનનું નહીં પણ માનવતાનું યુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે રશિયાનો આંતરાષ્ટ્રીય સ્તરે પર્દાફાશ થવો જોઈએ. અમેરિકા, યુરોપ અને આખી દુનિ.યાએ તેના પર દબાણ લાવવુ પડશે. જો વૈશ્વુક નેતા ચૂપ છે તો આ પણ એક મિલીભગત છે. હવે એક્શન લેવાનો અને જવાબ આપવાનો સમય છે, યુદ્ધ કરવાનો નહીં.
રશિયા-યુક્રેનનું ઈન્ટરનેશનલ કનેક્શન
યુક્રેને પહેલા જ કહી દીધુ હતુ કે તે એકલા લડી લડીને થાકી ગયુ છે. તેણે નાટો, યુરોપીય સંઘ, અમેરિકા અને અન્ય સહયોગી દેશોને વિનંતી કરી કે તે રશિયાપરના આર્થિક પ્રતિબંધો વધુ કડક કરો. રાજકીય સ્તરે દબાણ લાવો અને તેને વાટાઘાટો માટે મનાવો