ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ઇંગ્લેન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝને હવે એક નવું નામ આપવામાં આવ્યું છે.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું ઉદ્ઘાટન
મીડિયા રિપોર્ટ અનુસાર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ ચેમ્પિયનશિપ કે જેનું નામ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે, એનુ સત્તાવાર ઉદ્ઘાટન સચિન અને એન્ડરસન પોતે 11 જૂનના રોજ લોડ્સના મેદાનમાં કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી લીડ્સના હેડિંગલેમાં 5 ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. મેચ પહેલા આવેલી આ નવી અપડેટથી ક્રિકેટ રસિકો ચોક્કસથી ખુશ થયા હશે.
કેમ રાખવામાં આવ્યું આ નામ?
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 188 મેચો રમીને સૌથી સફળ બોલર તરીકે પોતાનું નામ નોંધાવનાર ખેલાડી એટલે કે જેમ્સ એન્ડરસન, જેમને જુલાઈ 2024માં ક્રિકેટ જગતમાંથી નિવૃતિ જાહેર કરી હતી. ભારતીય ક્રિકેટર અને વિશ્વ ક્રિકેટ જગતનું એક એવું નામ એટલે સચિન તેંડુલકર, જેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીમાંથી એક માનવામાં આવે છે, જેમને 200 ટેસ્ટ મેચ રમીને 2013 માં નિવૃતિ જાહેર કરી હતી. બંને ખેલાડીઓએ એક લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે રમીને ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખ્યું હતું.
ટેસ્ટ ક્રિકેટના બંને મહાન ખેલાડી
આ બંને મહાન ખેલાડીઓને સન્માન આપવા માટે ઇંગ્લેન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ મહત્વનો નિર્ણય લીધો છે. સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 51 શતક અને 68 અર્ધ શતક ફટકારીને 15,921 પોતાના ખાતામાં નોંધાવ્યા છે. જ્યારે જેમ્સ એન્ડરસને 188 ટેસ્ટ મેચોમાં 704 વિકેટનો રેકોર્ડ એમના નામે કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો રેકોર્ડ છે. આજ કારણથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.