ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા સંઘર્ષ પર પહેલીવાર અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના ઉપ વિદેશમંત્રીએ કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વ વાળા સર્વદળીયપ્રતિનિધિ મંડળને કહ્યું કે અમેરિકા આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ભારત સાથે મજબૂતી પૂર્વક ઉભુ છે. મહત્વનું છે કે પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ભારતના સ્પષ્ટ વલણથી વાકેફ કરાવવા આખુ પ્રતિનિધિમંડળ અમેરિકામાં છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર કહ્યું કે ડૉ. શશી થરૂરના નેતૃત્વમાં સર્વદળીય પ્રતિનિધિ મંડળઅમેરિકાના ઉપ વિદેશ મંત્રી સાથે સ્પષ્ટ અને સારી વાતચીત થઇ. જેમાં ભારતીય પ્રતિનિધિમંડળે પહલગામ આતંકવાદી હુમો અને ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપી હતી. ઉપવિદેશ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આ બેઠક શાનદાર રહી. મે પુષ્ટિ કરી છે કે અમેરિકા આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ભારતની સાથે મજબૂતીથી ઉભુ છે . બંને દેશોમાં વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા વેપાર અને વાણિજ્યિક સંબંધોનો વિસ્તાર કરવા માટે અમેરિકા- ભારતના રણનીતિક સંબંધો પર ચર્ચા કરી.
ઓપરેશન સિંદૂરને અમેરિકાનું સમર્થન
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટૈમી બ્રૂસે કહ્યું કે ઉપવિદેશમંત્રી લૈંડાઉને આતંકવાદ વિરુદ્ધની લડાઇ અને બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીમાં ભારત માટે અમેરિકાના મજબૂત સમર્થનની પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે શશી થરૂરે અમેરિકી સિનેટની વિદેશ સંબંધ સમિતિના સભ્ય સિનેટર કોરી બુકર સાથે પણ ફોનથી વાતચીત કરી હતી. મહત્વનું છે કે શશી થરૂરના નેતૃત્વ વાળા પ્રતિનિધિમંડળમાં સરફરાજ અહમદ, ગંટી હરીશ મધુર બાલયોગી, શશાંકમણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા, મિલિંદ દેવડા, તેજસ્વી સૂર્યા અને અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સંધૂનો સમાવેશ થાય છે.