ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો તે ઈઝરાયલ પર મિસાઈલ હુમલા ચાલુ રાખશે, તો “તેહરાન સળગાવી દેવામાં આવશે.” આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઈરાને ઈઝરાયલ દ્વારા પરમાણુ, મિસાઈલ અને સૈન્ય ઠેકાણાઓના જવાબમાં ઘણી મિસાઈલો છોડી.
એક હાઈ લેવલ બેઠકમાં જેમાં ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ના ચીફ ઓફ સ્ટાફ એયાલ ઝમીર, મોસાદના ચીફ ડેવિડ બારનેઆ અને અન્ય લશ્કરી અધિકારીઓ સામેલ હતા, કાત્ઝે કહ્યું કે “ઈરાની સરમુખત્યારશાહી પોતાના નાગરિકોને બંધક બનાવી રહી છે અને એવી પરિસ્થિતિ ઊભી કરી રહી છે જેમાં ખાસ કરીને તેહરાનના રહેવાસીઓને ભારે કિંમત ચૂકવવી પડશે.”
જો મિસાઈલો છોડવામાં આવશે, તો તેહરાન બળી જશે!
કાત્ઝે ઈરાની સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈને સીધી ચેતવણી આપતા કહ્યું કે “જો ખામેનેઈએ ઈઝરાયલી નાગરિકો પર મિસાઈલો છોડવાનું ચાલુ રાખ્યું તો તેહરાન બળી જશે.” IDF મુજબ ઈરાને ગઈ રાતથી ઈઝરાયલ પર લગભગ 200 બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. આમાંથી મોટાભાગની ઈઝરાયલી હવાઈ સંરક્ષણ દ્વારા નાશ પામી હતી, પરંતુ લગભગ 25% મિસાઈલોને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ અટકાવી શકાઈ ન હતી અને કેટલીક ખુલ્લી જગ્યાઓમાં પડી હતી.
ઈઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે કેટલીક મિસાઈલો ડિફેન્સ સિસ્ટમને ચકમો આપીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી હતી, જેના કારણે તેલ અવીવ, રમાત ગાન અને રિશોન લેઝિયન જેવા શહેરોમાં જાનમાલનું નુકસાન થયું હતું. આ હુમલાઓમાં ત્રણ ઈઝરાયલી નાગરિકોના મોત થયા છે અને લગભગ 70 લોકો ઘાયલ થયા છે. પરંતુ IDF એ જણાવ્યું હતું કે તમામ લશ્કરી અને હવાઈ દળના થાણા સામાન્ય રીતે કાર્યરત છે.
ઈરાને ઈઝરાયલ પર છોડ્યા 100 થી વધુ ડ્રોન
ઈરાન દ્વારા શુક્રવારે છોડેલા 100 ડ્રોન સિવાય રાત્રે ઘણા અન્ય ડ્રોન પણ છોડવામાં આવ્યા હતા, જેને ઈઝરાયેલી વાયુસેના અને નૌકાદળ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન IDF ચીફ એયાલ જામીર અને ઈઝરાયેલી વાયુસેના ચીફ ટોમર બારે કહ્યું કે “તેહરાન પહોંચવાનો રસ્તો હવે સ્પષ્ટ થઈ ગયો છે.” સેનાએ કહ્યું કે હવે ઈઝરાયેલી ફાઈટર પ્લેન પણ તેહરાનમાં ઓપરેશન કરી શકે છે.
IDF કહે છે કે ઈઝરાયલી વાયુસેનાએ તેહરાનમાં ઈરાનની એયર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યો છે, જેનાથી ઈઝરાયલી વિમાનોને ત્યાં વધુ આઝાદી મળી છે. ટોમર બારે કહ્યું કે “અમે એક જ દિવસમાં સેંકડો લક્ષ્યોને નિશાન બનાવ્યા, જેમાં ડઝનબંધ એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે.”
આ હુમલાઓ અમારા માટે ખૂબ જ રણનૈતિક અને રાષ્ટ્રીય મહત્વના છે.” તેમને કહ્યું કે પહેલીવાર યુદ્ધ શરૂ થયા પછી, ઈઝરાયેલી લડાકુ વિમાનો 1,500 કિલોમીટર દૂરથી તેહરાન ઉપર ઉડાન ભરી શક્યા અને તેના સંરક્ષણ લક્ષ્યો પર હુમલો કરી શક્યા.