ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકને સંબોધીત કરી હતી. તેમણે ઇઝરાયલ પર નિશાન સાધતા કહ્યુ કે આ યુદ્ધ અમારા પર થોપી દેવામાં આવ્યુ છે. અબ્બાસ અરાગચીએ પોતાના ભાષણમાં ઇરાનને એક શાંતિ ઇચ્છતો દેશ બતાવ્યો અને ઇરાને માનવ સભ્યતા, સંસ્કૃત્તિ અને નૈતિકતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે.
અરાગચીએ કહ્યું, ‘આજે 10 કરોડની વસ્તી ધરાવતો આ દેશ એક મોટા હુમલાનો ભોગ બન્યો છે
અરાગચીએ કહ્યું, ‘આજે 10 કરોડની વસ્તી ધરાવતો આ દેશ એક મોટા હુમલાનો ભોગ બન્યો છે. આ હુમલો એવા શાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે જે છેલ્લા બે વર્ષથી પેલેસ્ટાઇનમાં ભયંકર નરસંહાર કરી રહ્યું છે અને તેના પડોશી દેશોની જમીનો પર કબજો જમાવી ચૂક્યું છે. હું તમને બધાને તમારી કાનૂની અને નૈતિક જવાબદારી યાદ કરાવવા માંગુ છું. માનવ અધિકાર પરિષદના દરેક સભ્ય અને નિરીક્ષક દેશે આ ગંભીર અન્યાય સામે ઉભા રહેવું જોઈએ.’
ઇઝરાયલે કોઈપણ કારણ વગર ઇરાન પર હુમલો કર્યો છે
તેમણે કહ્યું, ‘ઇઝરાયલે કોઈપણ કારણ વગર ઇરાન પર હુમલો કર્યો છે, જે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની કલમ 2 (4) નું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને આ પરિષદના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ એક ગેરકાયદેસર અને બળજબરીથી લાદવામાં આવેલું યુદ્ધ છે, જે શુક્રવાર, 13 જૂનની સવારે શરૂ થયું હતું. ઇઝરાયલે આપણા સૈનિકો, યુનિવર્સિટી પ્રોફેસરો અને સામાન્ય લોકો પર હુમલો કર્યો. આપણા સેંકડો નાગરિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા. ઇઝરાયલે રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો અને જાહેર માળખા પર હુમલો કર્યો.
ઇઝરાયલે રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો અને જાહેર માળખા પર હુમલો કર્યો
આપણી શાંતિપૂર્ણ પરમાણુ સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી, જ્યારે આ IAEA ની દેખરેખ હેઠળ છે અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર તેમના પર હુમલો કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તેમના પર હુમલો કરવો એ એક ગંભીર યુદ્ધ ગુનો છે અને તેના પરિણામે કિરણોત્સર્ગી લીક થઈ શકે છે જે પર્યાવરણ અને આરોગ્ય માટે જોખમી છે.