ઈમરજન્સીને 50 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ‘સંવિધાન હત્યા દિવસ 2025’ કાર્યક્રમને સંબોધિત કર્યો, જેમાં તેમને ‘The Emergency Diaries – Years that Forged a Leader’નું અનાવરણ કર્યુ. અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેને સંવિધાન હત્યા દિવસ નામ આપ્યું, જેથી આવનારી પેઢીને પણ આ યાદ રહે. સંવિધાન હત્યા દિવસ થોડો કઠોર અને નિર્મમ શબ્દ છે.
યુવાકાળમાં દેશ માટે સંઘર્ષ કરનારા એક 24/25 વર્ષના યુવા આજે દેશના વડાપ્રધાન છે
તેમને કહ્યું કે 12 જૂને ગુજરાતમાં જનતા મોર્ચાનો પ્રયોગ સફળ સાબિત થયો હતો અને કોંગ્રેસની સત્તાનો અંત આવ્યો અને જનતા પાર્ટીની સરકાર બની હતી. તેનાથી ગભરાઈને 25 તારીખે ઈમરજન્સી લગાવવામાં આવી અને કારણ બતાવવામાં આવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા જોખમમાં છે પણ સમગ્ર દુનિયા જાણતી હતી કે રાષ્ટ્રની સુરક્ષાને કંઈ થયું નહતું, તેમની ખુરશી ખતરામાં હતી. ગૃહમંત્રીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી 24/25 વર્ષની ઉંમરમાં કાર્યકર્તા તરીકે નાનાજી દેશમુખના માર્ગદર્શનમાં ગુજરાતમાં ઈમરજન્સીમાં કાર્યરત રહ્યા. તે સાધુ, સરદારજી, હિપ્પી જેવા વેશમાં રહીને કામ કરતા રહ્યા, હું દેશના યુવાઓને અપીલ કરૂ છું કે એક વખત તમે આ પુસ્તકને જરૂર વાંચો, જેથી તમને જાણ થાય કે યુવાકાળમાં દેશ માટે સંઘર્ષ કરનારા એક 24/25 વર્ષના યુવા આજે દેશના વડાપ્રધાન છે.
કોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરાવી હતી
તેમને કહ્યું 12 જૂને અલ્હાબાદ કોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી અને કહ્યું 6 વર્ષ ચૂંટણી ના લડી શકાય. તે દિવસે ગુજરાતમાં જનતા મોર્ચાનું સફળ આયોજન થયું અને જેને ગુજરાતથી કોંગ્રેસના સુપડાં સાફ કર્યા. એક રાતમાં 10,000 રાજકીય કાર્યકર્તાઓને પહેલા જ દિવસે જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આજે અમે આઝાદી પછી ભારતના ઈતિહાસના એક કાળા અધ્યાયને યાદ કરવા માટે એકત્રિત થયા છે. જે રીતે ઈમરજન્સીમાં દેશને જેલખાના બનાવી મુકી દીધો હતો, દેશની આત્મા શાંત થઈ ગઈ હતી. કોર્ટના કાન બહેરા થઈ ગયા, લેખકોની કલમોમાંથી શાહી કાઢી લેવામાં આવી. તે સમગ્ર સમયગાળાનું વર્ણન ફક્ત કઠોર શબ્દોમાં કરવું જોઈએ, ત્યારે જ યુવા પેઢીને ખબર પડશે કે શું થયું હતું.