દેશ આજે તેના 76મા બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને બંને ગૃહોના સાંસદો હાજર રહ્યા હતા.
9 ભાષામાં બંધારણના અનુવાદિત સંસ્કરણોનું વિમોચન કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રસ્તાવના વાંચીને કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામી સહિત નવ ભાષાઓમાં બંધારણના અનુવાદિત સંસ્કરણોનું વિમોચન કર્યું.
બંધારણ દિવસ ઉજવવાનો નિર્ણય અર્થપૂર્ણ- રાષ્ટ્રપતિ
બંધારણ દિવસ પર સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ દિવસે 26 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભાના સભ્યોએ ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કર્યું. આ દિવસે, આપણે ભારતના લોકોએ, આપણા બંધારણને અપનાવ્યું.” સ્વતંત્રતા પછી, બંધારણ સભાએ ભારતની વચગાળાની સંસદ તરીકે પણ સેવા આપી. બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર આપણા બંધારણના મુખ્ય શિલ્પકારોમાંના એક હતા. બાબા સાહેબની 125મી જન્મજયંતીના વર્ષમાં, એટલે કે, 2015 માં, વાર્ષિક 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો… આ નિર્ણય ખૂબ જ અર્થપૂર્ણ હતો


