By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિશ્વકપ ક્રિકેટ :પાકિસ્તાનને આતંકવાદી હૂમલાના બદલામાં બિરિયાનીની દાવત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

વિશ્વકપ ક્રિકેટ :પાકિસ્તાનને આતંકવાદી હૂમલાના બદલામાં બિરિયાનીની દાવત

agragujaratnews
Last updated: 2023/10/29 at 9:58 AM
2 years ago
Share
વિશ્વકપ ક્રિકેટ :પાકિસ્તાનને આતંકવાદી હૂમલાના બદલામાં બિરિયાનીની દાવત
SHARE
  • જે પ્રજા તેના ઇતિહાસને ભૂલી જાય છે તેને ઇતિહાસ કદી જ માફ નથી કરતો

  • પાકિસ્તાની આતંકવાદી હૂમલાનો કાળો ઇતિહાસ લાંબો છે. કંદહાર વિમાન અપહરણ, સંસદ ઉપર હૂમલો, અક્ષરધામ હૂમલો, મુંબઇ ર૬-૧૧ની ઘટના આપણે જ ભુલી જઇએ તો વિશ્વ શા માટે યાદ રાખે?

  • પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હૂમલાની ભારતની ભૂમિ ઉપર કલંકિત કેટલીક ઘટનાના ઘાવ અને તેની તવારીખ સૌ પ્રથમ યાદ કરી લઇએ.

ઘટના -૧ : કંદહાર પ્લેન હાઇજેક  : ર૪ ડિસેમ્બરથી ર૯ ડિસેમ્બર ૧૯૯૯. ભારતિય સહિત ૧૭૬ મુસાફરોને ભારતની ભૂમિ ઉપર દિલ્હી વિમાની મથશેથી પ્લેન હાઇજેક કરીને લઇ જવાયા. એક યાત્રિકને ત્રાસવાદીઓએ મારી નાંખ્યો હતો.અનેકને ઇજા કરી હતી.દુબઇ વગેરે સ્થળે થઇ છેલ્લે કંદહારમાં સોદો થયો.વાજપી સરકારના વિદેશ પ્રધાન જસવંતસિંહ અફઘાનિસ્તાન ગયા. દંડવત થઇને અપહ્રુતોની મુકિત કરાવી. બદલામાં મુસ્તાના મસુદ અઝહર સહિત ત્રાસવાદીને કાશ્મિરની જેલમાથી મુકત કરવામાં આવ્યા. આ કાળી નાગે  ભારતને ફરી ડંખ આપ્યા..પાકિસ્તાનમાં રહી ભારતના સંસદ ઉપરના હુમલા અને મુંબઇ ર૬-૧૧ના હુમલાને અંજામ આપવામાં મદદ કરી.

ઘટના –ર : ભારતના સંસદ ગૃહ ઉપર હૂમલો. તારીખ ૧3 ડિસેમ્બર ર૦૦૧. પાંચ પાકિસ્તાની ત્રાસવાદીએ હૂમલો કર્યો હતો. દિલ્હી પોલીસના ૬ સુરક્ષા કર્મીઓ અને સંસદ સુરક્ષા સેવાના બે જવાનોના મોત થયા હતા.

ઘટના – 3 : મુંબઇ ટેરર એટેક : તારીખ ર૬-૧૧-ર૦૦૮ સતત ચાર દિવસ તબાહી મચાવી. પાકિસ્તાનથી ત્રાસવાદીઓ આવ્યા. ગોળીબાર અને બોમ્બમારાથી ભારતની આર્થિક રાજધાની ઉપર સતત ચાર દિવસ મોતની હોળી ખેલી. ૧૭પ લોકોને મારી નાંખ્યા હતાં. જેમા મુંબઇ પોલીસના જવાનો અને સૈન્યના અધિકારી તથા સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. એક માત્ર જીવતા પકડાયેલા પાકિસ્તાની અજમલ કસાબે પાકિસ્તાથી તાલીમ લઇને આવ્યાનું કહયુ હતું.

ઘટના – ૪ : અક્ષરધામ હૂમલો : તારીખ ર૪ સપ્ટેમ્બર ર૦૦રફ પાકસ્તાની આતંકીઓએ હૂમલો કર્યો હતો. 33 ભારતિયોને ગોળીએ મારી નાંખવમાં આવ્યા હતાં. ૮૦ થી વધુ ઘાયલ થયા હતાં. જેમાં વધુમા વધુ ગુજરાતી હતાં. બે દિવસ પાકિસ્તાની આતંકવાદીઓએ આતંક મચાવ્યા બાદ તમામને સુરક્ષા દળઓએ ઠાર કર્યા હતાં.

ઘટના -પ: પુલવામા હુમલો : તારીખ ૧૪ ફેબ્રુઆરી : હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદી. હૂમલામાં ભારતના સીઆરપીએફના ૪૦ જવાનોના મોત થયા હતાં. હુમલો ભારતના શ્રીનગર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ઉપર થયો હતો.

વિશ્વકપ ક્રિકેટ મેચ : તારીખ ૧૪ ઓકટોબર:સ્થળ અમદાવાદ. ભારતે ક્રિકેટના વિશ્વ કપ  મેચમાં પાકિસ્તાનને હરાવ્યુ. ફરક એટલો હતો. આ રમત હતી. ઉપરની પાંચેય ઘટના સાચી હતી.

પાકિસ્તાન સાથે રમત-ગમત,વેપાર,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના તમામ વ્યહવારોનો વિરોધ કરનાર ભારતિય સૈન્યના નિવૃત મેજર અને પાકિસ્તનના પ્રખર ટીકાકાર યુ-ટયુબર મેજર ગૌરવ આર્યએ પાકિસ્તાન સાથે ભારત સરકારના ક્રિકેટના બિરિયાની કલ્ચરનો જાહેર વિરોધ કર્યો છે. બાળ ઠાકરેના ગયા બાદ પાકિસ્તાનનો સાચો વિરોધ કરનાર નેતા દેશમાંથી અદ્રશ્ય થઇ ગયા છે. વિશ્વકપના સરકાર અને બીસીસીઆઇ યોજીત ઝાકઝમાળ પ્રચાર અને ગૂલશોરમાં મેજર ગૌરવ આર્યની વિરોધનો સૂર દબાઇ ગયો. ભારતિય મિડિયાએ પણ વિશ્વકપના કવરેજ દ્વારા મનોરંજન ઉપર જ ભાર આપ્યો. મેજર ગૌરવ આર્ય સાચુ જ કહે છે કે, સરહદ ઉપર જવાનો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે શહિદ થાય તેથી ભારતની પ્રજાને શું ફરક પડે છે. ?  સરહદની સુરક્ષાનો ઠેકો માત્ર સૈનિકોનો જ છે. ભારતની સરેરાશ પ્રજાનો નહિ.

મેજર ગૌરવ આર્ય તમારો બળાપો સાચો છે. પણ આ બાબતમાં સરકાર કે બીસીસીઆઇનો એકલાનો વાંક કાઢવાની જરૂર નથી. ઇતિહાસ માટે એમ કહેવાય છે કે જે પ્રજા તેમના ઇતિહાસને યાદ નથી રાખતી એ પ્રજાને ઇતાહાસ કદી માફ નથી કરતો. દુશ્મન દેશની ક્રિકેટ ટીમને બિરિયાની દાવત આ પ્રજાને મંજુર હોય તો તમે તેને રોકી ન શકો. તેઓ મેચ જોઇ અને તાળીઓ પાડી શકે તો તમે તેને રોકી ન શકો. તમે દુશ્મન દેશ સાથે ક્રિકેટ રમો તો ન કરે નારાયણ અને ફરી કોઇ વખત આપણા દેશ ઉપર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હૂમલો થાય. આવા સંજોગોમાં વિશ્વ તમારી વાત ગંભીરતાથી નહિ લ્યે. તમારા બેવડા ધોરણથી તમારી કટીબધ્ધતાને ફટકો પડશે. વિશ્વનો કોઇ વિચક્ષણ મોંફાટ નેતા તમને મોઢા મોઢ ચોપડાવી પણ શકે છે. કે તમે નકકી કરો પાકિસ્તાન તમારુ દોસ્ત છે કે દુશ્મન.

જે ઇઝરાયલની આજે ભારતમાં ખુબ પ્રસંશા થાય છે એ ઈઝરાયલની એક જ નીતિ છે. ઇઝરાયલના એક પણ નાગરિક ઉપર વિશ્વમાં કયાંય પણ કોઇ આતંકવાદી ઘટના બને તો તેના પાછળના કારસ્તાનીઓ તેમના દુશ્મન ગણાશે. આપણી પ્રજા દ્વિધામાં છે. આપી નેતાગીરી તેના દ્વિધામાં નાંખે છે. ભારત ઇઝરાયલને ટેકો આપે છે. પણ ઇઝરાયલ જેવી બેબાંક નીતિ નથી રાખતુ તે વાસ્તવિકતા છે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
6,6,6  વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
હેલ્થ

6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?

By 3 days ago
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
Hepatitis Diseases : તાવ આવવો, ભૂખ ના લાગવી કયાંક હેપેટાઇટિસ બીમારીનો નથી સંકેત, જાણો લક્ષણો
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
Health News : યુવાનોમાં વધ્યો ડાયટ કોલ્ડ ડ્રિંકસનો ક્રેઝ, કોના માટે હાનિકરાક, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?