દિલ્હી અને નોઇડામાં પ્રદુષણની પરિસ્થતિ ભયજનક સપાટીએ છે. એક્યુઆઇનુ સ્તર સતત વધતુ જઇ રહ્યુ છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં ગંભીર સ્તરની સાથે AQI રેડઝોનમાં છે. દિલ્હી-નોઇડાની ઝેરીલી હવા લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. જેને લઇને સરકારે ગ્રેપ-4 લાગુ કરી દીધુ છે. ઉપરાંત, ગ્રેપ-૩ હેઠળ ગ્રેપ-૪ ના કેટલાક નિયમો અને જોગવાઈઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે અને આ આદેશ આજથી 18 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે.
50 ટકા કર્મચારી કરશે ઘરેથી કામ
દિલ્હીના શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે આજથી દરેક સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કર્યુ છે. આજથી 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે અને 50 ટકા કર્મચારીઓ જ ઓફિસ આવશે, દૈનિક વેતન મજૂરોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે, પરંતુ નિયમનું ઉલ્લંઘન કરનારી કંપનીને કાર્યવાહીનો સામનો કરવો પડશે.આનાથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટશે અને વાહનોના એક્ઝોસ્ટથી થતા પ્રદૂષણમાં ઘટાડો થશે.
No PUC No Fuelનો નિયમ લાગુ રહેશે
દિલ્હી અને નોઇડાની વધુ ઝેરી બનતી હવાને જોતા સરકારે પ્રદુષણ ફેલાવનારા વાહનો પર કડકાઇ વર્તી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આદેશ આપ્યો છે કે 18 ડિસેમ્બર એટલે કે આજથી જે વાહન ચાલકોની પાસે PUC સર્ટિફિકેટ નહીં હોય, તેમના વાહનોમાં પેટ્રોલ પંપ વાળા પેટ્રોલ ડિઝલ નહીં ભરે, આ સર્ટિફિકેટ વાહનો આ પ્રમાણપત્ર વાહનોમાંથી નીકળતા બળતણ ઉત્સર્જનની તપાસ કર્યા પછી જારી કરવામાં આવે છે અને આ પ્રમાણપત્ર 12 મહિના માટે માન્ય છે.
BS-4 વાહનોની દિલ્હીમાં એન્ટ્રી બેન રેહશે
દિલ્હીના પર્યાવરણ મંત્રીએ આદેશ પણ આપ્યો છે કે દિલ્હીમાં નિર્માણ સામગ્રી લઇને જવા વાળા વાહનોને એન્ટ્રી નહીં મળે. BS-4 વાહનોની એન્ટ્રી પણ દિલ્હીમાં પ્રતિબંધિત રહેશે. દિલ્હીમાં બહારથી આવનારા લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે તે એ વાહનોનો લઇને દિલ્હી આવે જે BS-6 કેટેગરીના છે. GRAP-3 અને GRAP-4 ના અમલીકરણ દરમિયાન, દિલ્હીમાં BS-6 શ્રેણીથી નીચેના અને દિલ્હીની બહાર નોંધાયેલા તમામ વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ જેદ્દાહથી કાલિકટ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું કેરળમાં ઇમરજન્સી લેન્ડિંગ


