છત્તીસગઢમાં દારૂની બોટલો પર લગાવવામાં આવનાર હોલોગ્રામ નાસિકના ચલણી પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવી રહ્યા છે.આ છાપણી માટે સરકારને 1 વર્ષમાં 75 કરોડ રૂપિયા પણ ખર્ચ કરવા પડી રહ્યા છે.એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે આખરે સરકાર આ હોલોગ્રામને નોટ વાળા પ્રિન્ટિંગ પ્રેસમાં કેમ છપાવી રહી છે?
આપને જણાવી દઇએ કે પહેલાની સરકારમાં થયેલા 3200 કરોડના દારૂ કૌભાંડ મામલે નકલી હોલોગ્રામનો મામલો પણ સામેલ હતો. આ જ કારણે આ વખતે છત્તીસગઢ આબકારી વિભાગે હોલોગ્રામ સિસ્ટમ સંપૂર્ણપણે બદલી નાખી છે. છત્તીસગઢમાં વેચાતી દરેક દારૂની બોટલ હવે નાસિકમાં છાપેલા હોલોગ્રામનો ઉપયોગ કરે છે.
નથી બનાવી શકતા હોલોગ્રામ
ખાસ વાત તો એ છે કે આને સાત લેયરમાં સીધી રીતે બનાવવામાં આવે છે.એટલે કે આ હોલોગ્રામનુ ડુપ્લીકેટ બની જ નથી શકતુ. કોઇ પણ નકલી હોલોગ્રામ બનાવવાનો પ્રયાસ કરે છે તો તેને સરળતાથી પકડી શકાય છે. એક વર્ષમાં આશરે 75 કરોડ રૂપિયા હોલોગ્રામ બનાવવામાં ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ રૂપિયા સરકારે નથી આપવા પડતા. છત્તીસગઢમાં બોટલિંગનુ કામ કરવા વાળી કંપનીઓ પોતાના ઓર્ડર અનુસાર પહેલા જ હોલોગ્રામના પૈસા સરકાર પાસે જમા કરાવી દે છે. બાદમાં આ જ પૈસા સરકાર નાસિક પ્રિન્ટ વાળાને આપે છે.
ટેન્ડર કાઢવાની પ્રણાલી જ બંધ
પાછલી ભૂપેશ બઘેલ સરકાર દરમિયાન હોલોગ્રામ માટે ટેન્ડર કાઢવામાં આવતા હતા. તેમાં ભારે ગડબડી કરવામાં આવતી હતી. અધિકારીઓ, રાજકારણીઓ અને વેપારીઓનું એક સિન્ડિકેટ બનીને તે જ કંપનીને ટેન્ડર અપાવતા હતા, જેઓ સાથે તેમની સાથે સેટિંગ હતુ. આ કારણે તેઓ પોતાની મરજી મુજબ નકલી અને અસલી હોલોગ્રામ છપાવી શકતા હતા. હવે આ પ્રણાલી જ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
હવે છત્તીસગઢના આબકારી વિભાગ દ્વારા હોલોગ્રામ છાપવાનું કામ સીધું કેન્દ્ર સરકારની કંપનીને સોંપવામાં આવે છે. જેટલી છપાઈ કરાવવાની હોય એટલું જ ચૂકવણી કરવામાં આવે છે. ન તો કોઈ ટેન્ડર કાઢવામાં આવે છે અને ન તો બીજી કોઈ ખાનગી કંપની સાથે વાત કરવામાં આવે છે.


