શિયાળામાં લોકો શરદી-ઉધરસની ફરિયાદ વધુ હોય છે. શરદી-ઉધરસ માટે ડોક્ટર પાસે ગયા વગર આ સમસ્યા દૂર કરી શકો છો. ઠંડીના કારણે કેટલાક લોકોને વારંવાર શરદી-ઉધરસ રહેતા હોય છે. આવા સમયમાં એન્ટીબાયોટિક દવા લેવાની જરૂર નથી. તમે ઘરના રસોડામાં રહેલ સામગ્રીથી આ બીમારીને સરળતાથી ભગાડી શકો છો. રસોડામાં હળદરથી લઈને આદુ સુધી એવા મસાલા છે જે આર્યુવેદિક ઔષધિ માનવામાં આવે છે.
રસોડાના મસાલામાંથી બનાવો દેશી કફ સિરપ
તમે બજારની નહી પણ આદુમાંથી દેશી કફસિરપ બનાવી આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. રોજિંદા જીવનમાં નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરે છે રસોડામાં રહેલા ચમત્કારિક મસાલા. રસોડાની સામગ્રી ફક્ત સ્વાદ નહીં દવાનું પણ કામ કરે છે. બજારના કફ સિરપ આજે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બન્યા છે. તમે કુદરતી ઉપચાર કરી શકો છો. ઘરના મસાલા વધુ શુદ્ધ હોય છે એટલે આ દેશી કફ સિરપથી કોઈ આડઅસર પણ થશે નહીં. બાળકોથી લઈને ઘરના વડીલોને તમે આ દેશી દવા આપી શકો છો.
દેશી કફ સિરપ માટે સામગ્રી
આ સિરપ બનાવવા માટે તમારે આદુનો એક નાનો ટુકડો (લગભગ 10 રૂપિયાનું આદુ), એક કપ તુલસીના પાન, 1 ચમચી સીતોપલડી પાવડર (કોઈપણ હર્બલ દુકાન પર ઉપલબ્ધ), 1 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી મધની જરૂર પડશે (આ ચાસણીમાં મીઠાશ અને પોષક તત્વો ઉમેરશે, જેનાથી પીવામાં સરળતા રહેશે.)
દેશી કફ સિરપ બનાવવાની રીત
આ સિરપ બનાવા માટે પહેલા તાજા આદુને સારી રીતે ધોઈ લો અને તેને સ્વચ્છ કપડાથી લૂછી લો. હવે આદુને થોડું શેકી લો. (ખાસ કરીને ખાંસી, શરદી અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ દરમિયાન, પાચનક્રિયા પણ થોડી નબળી પડી જાય છે, તેથી આદુ શેકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.) શેકેલા આદુને છોલીને નાના ટુકડા કરી લો. આનાથી તેને પીસવામાં સરળતા રહેશે. હવે તુલસીના પાનને ધોઈને સાફ કરો અને પછી તેને આદુના ટુકડા સાથે પીસીને પેસ્ટ બનાવો. આ પછી, ચાળણી અથવા સ્વચ્છ બારીક કપડાથી ગાળીને તેનો રસ કાઢો. સીતોપલદી પાવડરને આદુ અને તુલસીના રસ સાથે મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણમાં કાળા મરી પાવડર, હળદર અને મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ રીતે, તમારું કફ સિરપ સરળ રીતે તૈયાર થઈ ગયું. આ કફ સિરપ દિવસમાં બે વાર, સવારે અને સાંજે એક ચમચી લો. રેફ્રિજરેટરમાંથી પીતા પહેલા તેને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો.
આ પણ વાંચો : Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


