By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘જંગલેશ્વર બચાવો આંદોલન’માં ભાગલા પાડો રાજ કરો! ફાટફૂટ, આગેવાન એટલા ગ્રુપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

‘જંગલેશ્વર બચાવો આંદોલન’માં ભાગલા પાડો રાજ કરો! ફાટફૂટ, આગેવાન એટલા ગ્રુપ

Editor
Last updated: 2025/12/26 at 4:35 PM
3 months ago
Share
‘જંગલેશ્વર બચાવો આંદોલન’માં ભાગલા પાડો રાજ કરો! ફાટફૂટ, આગેવાન એટલા ગ્રુપ
SHARE

એક જૂથ થઇને લડવાના બદલે તાંતણા તૂટ્યા, અનેક ગ્રુપ મહાસભા, રેલીમાં ન જોડાયા

કલેકટર તંત્રે દાખલ કરેલી કેવીએટ સામે ૧૭૨થી વધુ અસામીઓએ અલગ અલગ ૬ પીટીશન હાઇકોર્ટમાં દાખલ કરતા કાનૂની જંગ જામ્યો

રાજકોટમાં હાલ તો ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશન જંગલેશ્વરમાં એકસાથે ૧૪૦૦થી વધુ વર્ષો જૂના મકાનના તોળાતા ડિમોલિશનનું પ્રકરણ સળગી રહ્યુ છે. મનપાની ચૂંટણી ગણતરીના દિવસોમાં જ છે ત્યારે આ સળગતા ઇશ્યુને લઇને જંગલેશ્વરમાં ધામાસાણ શરૂ થઇ ગયુ છે. ડિમોલિશન માટે કલેકટર તંત્રે તો તખ્તો તૈયાર કરી નાંખ્યો છે. સંભવિત અસરગ્રસ્તો ડિમોલિશનને રોક લગાવતો સ્ટે લઇ ન આવે એ માટે રેવન્યુ વિભાગે કોર્ટમાં કેવીએટ પણ દાખલ કરી નાંખી છે. સંભવિત અસરગ્રસ્તોને સ્ટે આપતા પૂર્વે સરકાર પક્ષે રેવન્યૂ વિભાગને સાંભળવુ એ મતલબની કેવીએટ દાખલ થઇ છે તો સામે અત્યાર સુધીમાં જંગલેશ્વરના ૧૭૨ આસામીઓએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. આ કાનૂની લડત વચ્ચે હવે રાજકારણ વચ્ચે પડ્યુ છે. ડિમોલિશન ન થાય એ માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે. આજે કોંગ્રેસે ‘જંગલેશ્વર બચાવો આંદોલન’ હેઠળ કોઠારિયા પોલીસ ચોકી પાસેના ક્રિષ્ના ચોકમાં મહાસભા, ત્યાથી સોરઠિયાવાડી ચોક સુધી મહારેલી અને એ પૂર્વે સંભવિત અસરગ્રસ્તોને સાથે રાખીને કલેકટર કચેરીએ આવેદન આપવામા આવ્યુ હતુ. જો કે આ તમામ આંદોલાત્મક કાર્યક્રમમાં અનેક સંભવિત અસરગ્રસ્તો જોડાયા ન હતા. ડિમોલિશનના આ સળગતા પ્રકરણમાં ભાગલા પાડો અને રાજ કરો તેવી એક નીતિ સાથે શાસકપક્ષ ભાજપે પડદા પાછળ રાજકીય દાવપેચ અજમાવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જંગલેશ્વરમાં આગેવાન એટલા જૂથ બની ગયા. આ અલગ અલગ જૂથ પોત પોતાનો અલગ ચોકો જમાવીને બેઠા છે. એક જૂથ થઇને લડવાના બદલે વિખેરાયેલા તાંતણા વચ્ચે શાસક પક્ષ ફાવી ગયુ હોવાની ચર્ચા છે.

રાજકોટના જંગલેશ્વરમાં સરકારી જગ્યામાં વર્ષોથી ઉભેલા મકાનના સંભવિત ડિમોલિશનને લઇને ભારે ગરમાગરમીભર્યો માહોલ સર્જાયો છે. આ જગ્યા મનપાની માલિકીની નથી. સરકાર એટલે કે કલેકટરને ફાળવેલી છે. અંદાજે ૮૦ હજાર ચો.મી.થી પણ વધુ વિશાળ જગ્યામાં આશરે ૧૪૦૦થી વધુ મકાન છે. આ તમામના ડિમોલિશનનો તખ્તો ઘડાઇ ચુક્યો છે. રાજકોટ(પૂર્વ) મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને નોટિસની બજવણી કરી દીધી છે. આ અગાઉ જંગલેશ્વરના આજી નદી કાંઠા અને ટીપી રોડ પરના ૯૯૨ બાંધકામને તોડી પાડવા માટે મહાનગરપાલિકાએ તો તખ્તો તૈયાર પણ કરી નાંખ્યો હતો. દબાણકારોને રૂબરૂ બોલાવીને હીયરીંગ સહિતની તમામ કાયદેસરની કાર્યવાહી પણ પૂર્ણ કરી નાખવામા આવી છે. કોઇપણ ભોગે ડિમોલિશન થશે જ તેવો નિર્ણય પણ કરી નખાયો છે. ડિમોલિશનની ફાઇનલ ફાઇલ પણ તૈયાર થઇ ચુકી છે. એ ઉહાપોહ સમ્યો નથી ત્યાં કલેકટરે એકસાથે ૧૪૦૦થી વધુ બાંધકામનો કડૂસલો બોલાવવા તૈયારી કરતા સમગ્ર જંગલેશ્વર જબરો દેકારો બોલી ગયો છે.

રાજકોટ(પૂર્વ)ના મામલતદાર નિલેષ અજમેરાએ ‘અગ્ર ગુજરાત’ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યુ હતુ કે, જંગલેશ્વરમાં આવેલી ટીપી સ્કીમ નં.૬ ફાઇનલ થઇ ચુકી છે. તેમા ફાઇનલ પ્લોટ નં.૧33, ૧3૪, ૧3૭ અને ૧૫૯ના અંદાજે ૮૦ હજાર ચો.મી.થી વધુ જગ્યામાં અંદાજે ૧૪૦૦થી વધુ મકાન ઉભા છે. આ તમામના બાંધકામ તોડી પાડવાનો હુકમ થયેલો છે.

અમુક પાસે ૧૯૬૨થી રહેતા હોવાના રાશકાર્ડ સહિતના પુરાવા

૧૪૦૦થી વધુ પરિવારને ડિમોલિશનની નોટિસ આપવામા આવી છે તેમાથી અમુક આસામીઓ એવો છે કે, છેલ્લા ૬3 વર્ષથી અહીં રહે છે તેવા રાશનકાર્ડ, લાઇટબીલ સહિતના પુરાવાઓ પણ છે. આમછતા ઘર ખાલી કરવા નોટિસ મળતા ઉહાપોહ મચી ગયો છે. અમુક આસામીએ તો રાજકોટ સુધરાઇ એટલે કે નગરપાલિકા હતી ત્યારના પુરાવા કાઢ્યા છે. અગાઉ તંત્રએ એવુ કહ્યુ હતુ કે, જે પરિવાર ૨૦૧૦ પહેલાથી રહેતો હશે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવશે. આમછતા આવા પરિવારને નોટિસ આપવામા આવી હોવાનું સ્થાનિક આગેવાનોનું કહેવુ છે.

૨૯મીએ હીયરીંગમાં હાજર રહેવા છેલ્લુ અલ્ટીમેટમ, બાદમાં ગમે ત્યારે ડિમોલિશન

૭૦૦થી વધુ પરિવારને કલમ ૬૧ મુજબ ડિમોલિશનની જે નોટીસ આપવામા આવી રહી છે તેમા એવી તાકીદ કરવામા આવી છે કે, ‘આપના દ્વારા ગેરકાયદેસર કબજો કરીને સરકારી જમીનમાં દબાણ કરવામા આવ્યુ છે. આ દબાણવાળી જમીન નિયમોનુસર દંડ વસુલ કરી અથવા તો ખુલ્લી શા માટે ન કરવી, અન્ય કાયદાકીય પગલાં શા માટે ન લેવા?’ તે અંગે તા.૨૯ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી મામલતદાર(પૂર્વ) કચેરી ખાતે હીયરીંગમાં હાજર રહેવુ. સાથે જ હોય તો જમીનના માલિકી અંગેના આધાર-પુરાવા રજૂ હોય તો કરવા. મુદતે તમે જાતે અગર કુ.મુ. અગર વકિલ મારફતે હાજર રહી આધાર પુરાવા સાથે જે કંઇ રજૂઆત કરવાની હોય તો કરશો. મુદતે ગેરહાજર રહેશો તો તમે સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે કબજો/બાંધકામ કરી દબાણ કર્યાનુ માની દબાણ દૂર કરવા જમીન મહેસુલ કાયદા તળે દબાણ દૂર કરવાની આગળની કાર્યવાહી કરવામા આવશે. જેની નોંધ લેવી.

વૈકલ્પિક જગ્યા આપો, પીટીશનરોની માગણી

જંગલેશ્વરના જે ૧૭૨ જેટલા આસામીઓને અલગ અલગ ૬ જેટલી પીટીશન હાઇકોર્ટમાં દાખલ કરવામા આવી છે તેમા મુખ્ય માગણી એ છે કે, ડિમોલિશન કરતા પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. કાં તો જગ્યા આપો કાં તો સરકારી આવાસમાં ફ્લેટ આપો. પીટીશનરોની આ માગણીને લઇને રેવન્યુ વિભાગ અને સંભવિત અસરગ્રસ્તો વચ્ચે કાનુની જંગ જામ્યો છે. રેવન્યુ વિભાગે જંગલેશ્વરવાસીઓને સ્ટે આપતા પૂર્વે અમને સાંભળો એવી કેવીએટ દાખલ કરી દીધી છે.

કોઇ પક્ષાપક્ષી નહીં, અમે ભાજપના MLA, નગરસેવકો અને ‘આપ’ પાર્ટીને પણ આંદોલનમાં જોડાવા આહવાન કર્યુ

સંભવિત ડિમોલિશનને અટકાવવા માટે કોંગ્રેસે ‘જંગલેશ્વર બચાવો આંદોલન’ સમિતિ બનાવીને લડત ચાલુ કરી છે. ગઇકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદ બોલાવીને આંદોલનની વિગતો જાહેર કરી હતી. એ પૂર્વે પણ કોંગ્રેસે એવી ચીમકી આપી હતી કે, જંગલેશ્વરમાં જો ડિમોલિશન થશે તો આંદોલન રાજ્યવ્યાપી બનાવવામા આવશે. જો ડિમોલિશન થશે તો રાજકોટના ઇતિહાસનું આ સૌથી મેગા ડિમોલિશની વિરુધ્ધમાં કોંગ્રેસે ઝંપલાવતા આ સમગ્ર ઇશ્યુ હવે રાજકીય બની ગયો હોવાની હવા વહેતી થતા આ મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખે એવુ કહ્યુ હતુ કે, આ આંદોલન કોઇ પક્ષાપક્ષીનું નથી. લોકો બેઘર ન થાય એ માટેનું છે. આજે રખાયેલી મહાસભા, રેલીમાં હાજર રહી સંભવિત અસરગ્રસ્તોની સાથે રહેવા માટે અમે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ તેમજ આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરોને પણ હાજર રહેવા આમંત્રણ મોકલાવ્યુ હતુ.

મનપાની માલિકીની જગ્યાના અસરગ્રસ્તોને વિકલ્પ મળે તો વચ્ચે આવતી કલેકટરની જગ્યામાં કેમ નહીં?

જેમને નોટિસ આપવામા આવી છે એ સંભવિત અસરગ્રસ્તોનું કહેવુ એ છે કે, જંગલેશ્વરમાં આજી નદી કાંઠે અગાઉ મનપાએ જગ્યા ખાલી કરાવી હતી અને એ વખતે અસરગ્રસ્તોને વૈકલ્પિક સવલત માટે આવાસ યોજનામાં ક્વાર્ટર આપવામા આવ્યા હતા. જ્યારે બીજીબાજુ ટીપીના રોડ પર કપાતમાં આવતા અસરગ્રસ્તોને પણ વિકલ્પનો લાભ આપવામા આવ્યો હતો. આ બે જગ્યા વચ્ચે કલેકટરની એફ.પી.(ફાઇનલ પ્લોટ) આવેલા છે અને તેમા ઉભેલા બાંધકામ તોડવામા આવે તો તેના અસરગ્રસ્તોને વૈકલ્પિક સવલત શા માટે આપવામા ન આવે? આવો સવાલ ઉઠાવવામા આવ્યો છે.

‘અમે કોંગ્રેસના આંદોલન સાથે નથી’, પીટીશનની આગેવાની આપ પાર્ટીએ અલગથી લીધી

‘જંગલેશ્વર બચાવો આંદોલન’થી આમ આદમી પાર્ટી કોંગ્રેસની લડતથી અળગી રહી છે. આ વાત ખુદ આમ આદમી પાર્ટીના જંગલેશ્વર વિસ્તારના કાર્યકર આગેવાન અફઝલભાઇ રાઉમાએ કરી હતી. આજે તેઓ હાઇકોર્ટ ગયા છે. તેમના કહેવા મુજબ અમે કોંગ્રેસની લડત સાથે નથી. અમે પાર્ટી લેવલે અલગથી લડત ચલાવીએ છીએ. જંગલેશ્વરમાંથી અત્યાર સુધી જેટલી પીટીશન દાખલ થઇ છે તે આમ આદમી પાર્ટીના જ પ્રયાસથી થઇ છે. આજે પીટીશનના કામ માટે જ હું અમદાવાદ હાઇકોર્ટ આવ્યો છું.

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
રાજકોટ

રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર

Editor By Editor 2 days ago
હોટેલ-રેસ્ટોરાંને તાત્કાલિક PNG કનેક્શન
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?