એ.વી.જસાણી વિદ્યા મંદિરના ચાર બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 315 સત્સંગ સેવા કેન્દ્રમાં યોજાયેલ સત્સંગ દીક્ષા અભિયાનમાં રાજકોટ કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત એ.વી જસાણી વિદ્યામંદિરના ચાર બાળકોએ ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને શાળાનું અને 119 વર્ષ જૂની બાલાશ્રમ સંસ્થાનું ગૌરવ વધારી નામ રોશન કરેલ છે.
સમગ્ર ગુજરાતમાં 315 સત્સંગ સેવા કેન્દ્રમાં યોજવામાં આવેલ “સત્સંગ દીક્ષા” અભિયાનમાં કુલ 12,723 બાળકોએ ભાગ લીધો. જેમાં ગૌરવપૂર્ણ પ્રસંગે એ.વી. જસાણી વિદ્યામંદિરના ચાર બાળકો સર્વ દેવકી પિત્રોડા રાજવીલા જાડેજા યશરાજસિંહ જાડેજા અને વિદિતી તરાવીયા એ અદ્વિતીય સિદ્ધિ મેળવી શાળા તથા પરિવારના સંસ્કારોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવેલ છે જે સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ છે.
એ.વી. જસાણી વિદ્યામંદિરના પ્રિન્સિપાલ જલ્પાબેન પંડ્યા તથા આનલબેન મહેતા ના માર્ગદર્શન હેઠળ શાળાના સંસ્કૃત વિષયના શિક્ષિકા કુમુદબેન ઉપાધ્યાયે બાળકોના ઉજજવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંસ્કૃતનું જ્ઞાન આપવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. જે પ્રશંસનીય છે શાળા સમિતિના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ સહિત બાલાશ્રમની સમગ્ર કારોબારી કમિટીએ શાળાનું ગૌરવ વધારવા બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ છે.


