By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી

Editor
Last updated: 2026/05/18 at 5:09 PM
3 days ago
Share
દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી
SHARE

દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી

સામા કાંઠે ભગીરથ સોસાયટીમાં બનેલી ઘટનામાં ઝેરી કેમિકલ ભેળવેલો દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાનો પરિવારનો આક્ષેપ, પોલીસે ત્રણ શખ્સોને સકંજામાં લઈને શરૂ કરી પૂછપરછ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાએ માત્ર સ્થાનિક વિસ્તારમાં જ નહીં પરંતુ કોળી સમાજમાં પણ અરેરાટી ફેલાવી દીધી છે. મૃતકોના પરિવારજનોએ આ કેસને માત્ર દારૂના સેવનથી થયેલું મોત માનવાને બદલે, ઝેરી કેમિકલ ભેળવેલો દારૂ પીવડાવી પૂર્વયોજિત રીતે હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પોલીસે પરિવારના આક્ષેપોને ધ્યાને લઈ જીણા ભગત નામના શખ્સ સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે ઉઠાવી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૃતકોમાં નવાગામ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ડાભી (ઉ.વ. ૫૦) અને કનકનગર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ. ૪૩)નો સમાવેશ થાય છે. બંને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ઘટના સ્થળેથી દેશી દારૂની ખાલી કોથળી તેમજ થોડો દારૂ ભરેલી બીજી કોથળી મળી આવતા સમગ્ર ઘટનાએ વધુ શંકાસ્પદ વળાંક લીધો છે.
માહિતી મુજબ મનસુખભાઈ ડાભી સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટી-૧૦માં આવેલા તેમના વડીલોપાર્જિત જૂના મકાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રહેતા હતા. આ મકાનનું રિનોવેશન અને નવું બાંધકામ શરૂ થવાનું હોવાથી તેઓ ત્યાં જ દેખરેખ માટે રોકાતા હતા. રાત્રિના સમયે તેઓ તેમના મિત્ર અલ્પેશભાઈ સાથે ત્યાં હાજર હતા. દરમિયાન બંનેએ દેશી દારૂનું સેવન કર્યું હોવાનું અનુમાન છે. થોડા સમય બાદ બંને અચાનક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મનસુખભાઈના મોટા પુત્ર વિનય ડાભીના જણાવ્યા મુજબ રાત્રે લગભગ ૯:૧૦ વાગ્યે તેમના પિતાએ ફોન કરીને કડિયા ક્યારથી કામે આવશે તે અંગે પૂછ્યું હતું. ત્યારબાદ રાત્રે લગભગ ૯:૩૮ વાગ્યે નાનો ભાઈ નિલેષ ટિફિન આપવા માટે ભગીરથ સોસાયટી સ્થિત મકાને પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં તેણે મનસુખભાઈને બેભાન હાલતમાં જોયા હતા, જ્યારે થોડા અંતરે અલ્પેશભાઈ પણ ઢળી પડેલા દેખાયા હતા. નિલેષે તાત્કાલિક પરિવારને જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા.
સ્થળ પર તપાસ કરતાં દેશી દારૂની એક ખાલી કોથળી અને બીજીમાં થોડો દારૂ બાકી હોવાની માહિતી મળી હતી. પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બે મિત્રોના એકસાથે થયેલા મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ બનાવમાં મૃતક મનસુખભાઈના પુત્ર વિનય ડાભીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ભગીરથ સોસાયટીની પાછળની શેરીમાં રહેતો જીણા ભગત નામનો શખ્સ દેશી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. થોડા સમય પહેલા પોલીસે મનસુખભાઈ પાસે વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગાર અંગે પૂછપરછ કરી હતી. ત્યારે મનસુખભાઈએ પાછળની શેરીમાં કોઈ શખ્સ આ પ્રવૃત્તિ ચલાવતો હોવાની માહિતી આપી હતી. આ વાતને કારણે જીણા ભગત મનદુઃખ રાખતો હતો. વિનયનો વધુ આક્ષેપ છે કે તેમનું જૂનું મકાન પણ જીણા ભગત લેવા માગતો હતો, પરંતુ પરિવાર દ્વારા રિનોવેશન શરૂ કરાતા તે નારાજ હતો. આ જ અદાવતમાં જીણા ભગતે પોતાના નજીકના માણસ ગણાતા અલ્પેશભાઈ મારફતે મનસુખભાઈ સુધી દેશી દારૂ પહોંચાડ્યો હતો. દારૂમાં કોઈ ઝેરી કેમિકલ અથવા જલદ પ્રવાહી ભેળવવામાં આવ્યું હોવાની તેમને પૂરી શંકા છે. વિનયે તો એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ પણ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મોત થયા હતા, પરંતુ તેમાં હાર્ટ એટેક જેવા તારણો સામે આવ્યા હતા.
પોલીસે પરિવારના આક્ષેપોને ગંભીરતાથી લઈને તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જી.આર. ચૌહાણ, પીએસઆઇ જે.આર. સોલંકી સહિતનો કાફલો ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ અને એસીપી વી.બી. જાડેજાની રાહબરી હેઠળ સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જીણા ભગત સહિત ત્રણ શખ્સોને પૂછપરછ માટે સકંજામાં લીધા હોવાનું જાણવા મળે છે.
પોલીસના જણાવ્યા મુજબ હાલ બંને મૃતદેહોના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે. વિસેરા સેમ્પલ સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે જ ચોક્કસ કારણ બહાર આવશે. દારૂમાં ઝેરી કેમિકલ હતું કે અન્ય કોઈ કારણસર મોત થયા તે અંગેનો સ્પષ્ટ ખુલાસો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ થશે. પોલીસે ઘટનાસ્થળેથી મળેલી દારૂની કોથળીઓ પણ કબ્જે લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપી છે.
મૃતક મનસુખભાઈ ડાભી પરિવારના એકમાત્ર ભાઈ હતા અને તેમને પાંચ પુત્રો છે. તેઓ યાર્ડમાં તેમજ ઇમિટેશન કામમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અવસાનથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ અલ્પેશભાઈ સાબરીયા ચાર ભાઈઓમાં સૌથી નાના હતા અને અવિવાહિત હતા. તેઓ પણ છૂટક મજૂરી કામ કરતા હતા. તેમના મોતથી પરિવારજનો શોકમગ્ન બન્યા છે.
આ બનાવે ફરી એકવાર શહેરમાં ચાલી રહેલા દેશી દારૂના કાળા કારોબાર અને ઝેરી દારૂના જોખમ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો સમયસર આવા તત્વો સામે કડક કાર્યવાહી થાત, તો કદાચ બે પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો ન આવ્યો હોત. હાલમાં સમગ્ર શહેરની નજર હવે ફોરેન્સિક રિપોર્ટ અને પોલીસ તપાસના અંતિમ તારણો પર ટકેલી છે.

બોક્સ : 1

પુત્રનો ગંભીર આક્ષેપઃ મારા પિતાને ઝેરી દારૂ પીવડાવી મારી નાખ્યા

મૃતક મનસુખભાઈ ડાભીના પુત્ર વિનય ડાભીએ આક્ષેપ કર્યો હતો કે જીણા ભગત નામના શખ્સ સાથે તેમના પિતાને જૂનું મનદુઃખ ચાલતું હતું. વરલી મટકાના જુગાર અંગે પોલીસે પૂછપરછ કરતાં તેમના પિતાએ પાછળની શેરીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી આપી હતી. આ બાબતનો ખાર રાખી કેમિકલ ભેળવેલો દેશી દારૂ મોકલી દેવાયો હોવાની પરિવારને પૂરી શંકા છે. પરિવારના આક્ષેપ બાદ પોલીસે જીણા ભગત સહિત ત્રણ શખ્સોને પૂછપરછ માટે સકંજામાં લીધા છે.

ઘટનાસ્થળેથી શું મળ્યું?

ભગીરથ સોસાયટીના જૂના મકાનમાંથી દેશી દારૂની એક ખાલી કોથળી અને બીજીમાં થોડો દારૂ ભરેલી કોથળી મળી આવી હતી. બંને મિત્રો બેભાન હાલતમાં અલગ-અલગ જગ્યાએ પડેલા મળ્યા હતા. પરિવારજનોએ ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે દારૂના નમૂનાઓ કબ્જે લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

પોલીસ એક્શનમાંઃ ફોરેન્સિક રિપોર્ટ બાદ થશે મોટો ખુલાસો

બે મિત્રોના શંકાસ્પદ મોત બાદ બી-ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ડીસીપી હેતલ પટેલ અને એસીપી વી.બી. જાડેજાની રાહબરી હેઠળ પીઆઇ જી.આર. ચૌહાણ, પીએસઆઇ જે.આર. સોલંકી અને ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પરિવારના આક્ષેપોના આધારે જીણા ભગત સહિત ત્રણ શખ્સોને સકંજામાં લઈ સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ઘટના સ્થળેથી મળેલી દેશી દારૂની કોથળીઓ અને અન્ય પુરાવાઓ કબ્જે કરી ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. હવે પોસ્ટમોર્ટમ અને કેમિકલ એનાલિસિસ રિપોર્ટ આવ્યા બાદ મોત ઝેરી દારૂથી થયા કે પાછળ કોઈ કાવતરું હતું તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરી છે.

 

You Might Also Like

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૨૧ જૂનની PSI, HC, વાયરલેસની પરીક્ષા મોકુફ

 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી
અમદાવાદ

આર્મી અને એરફોર્સમાં નોકરી આપવાની લાલચ આપી પ્રોફેસરની છાત્રો સાથે છેતરપિંડી

Editor By Editor 6 days ago
ગોંડલ લાયન્સ ક્લબ દ્વારા વધુ 5 ગરીબ પરિવારો માટેના પાકા મકાનનું લોકાર્પણ
સોમનાથ કોરિડોરમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીરોનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો
નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?