By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

 વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત

Editor
Last updated: 2026/06/25 at 3:09 PM
2 months ago
Share
 વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત
SHARE

 વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત

GPSCની સંયુકત પરીક્ષા યોજવાનો પ્રસ્તાવ : ૨૭ વિભાગને પત્ર લખી ભરતી નિયમમાં સુધારો કરવા સામાન્ય વહિવટની ભલામણ

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાત સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વહીવટી અધિકારી વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી માટે અત્યાર સુધી જે પાંચ અને ત્રણ વર્ષના અનુભવની જરુરિયાત હતી તે દૂર કરી દેવાની તૈયારી કરવામાં આવી રહી છે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) તમામ અધિક મુખ્ય સચિવો (ACS)ને લખવામાં આવેલો પત્ર હાથ લાગ્યો છે. જેમાં વહીવટી અધિકારીઓની ભરતીમાંથી અનુભવની ફરજિયાત જોગવાઈ દૂર કરવાની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીપીએસસીની સંયુક્ત પરીક્ષા યોજવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જે ભરતી કરવામાં આવે તેમાં કોઈપણ સ્નાતકને તક આપવાની પણ વિચારણા છે. જો ભરતી નિયમોમાં આ ફેરફાર લાગુ કરવામાં આવે છે તો એ ઉમેદવારો માટે વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાના દરવાજા ખુલ્લી જશે કે જેઓ અનુભવ ન હોવાના કારણે ભરતીથી વંચિત રહેતા હતા.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ 27 વિભાગને પત્ર લખી ભરતી નિયમોમાં સુધારાની દરખાસ્ત કરવા જણાવવામાં આવ્યું છે. જે દરખાસ્તો થયા બાદ સામાન્ય વહીવટી વિભાગ નવા ભરતી નિયમોની જાહેરાત કરી શકે છે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તમામ અતિરિક્ત મુખ્ય સચિવો (ACS)ને મોકલાયેલા પત્રથી ભરતી પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારાની વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.વર્ગ-1 અને વર્ગ-2ના વહીવટી અધિકારીઓની ભરતીમાંથી અનુભવની ફરજિયાત જોગવાઈ દૂર કરવાની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારની વિચારણા મુજબ, હાલ વર્ગ-1 માટે 5 વર્ષ અને વર્ગ-2 માટે 3 વર્ષનો અનુભવ જરૂરી હોવાની શરત નાબૂદ કરવામાં આવી શકે છે. આ સાથે કોઈપણ સ્નાતક ઉમેદવારને પરીક્ષા આપવાની તક મળે તે દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત GPSC દ્વારા લેવામાં આવતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં બંને સંવર્ગોની ભરતીનો સમાવેશ કરવાનો પણ પ્રસ્તાવ છે.

GAD દ્વારા GPSCને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યું છે. પત્રમાં ભરતી સંસ્થાઓ પરનું ભારણ ઘટાડવું, નિયમિત ભરતી પ્રક્રિયા યોજવી અને લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ઝડપથી ભરવી જેવા તર્ક રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નિર્ણય અને સવાલ ઉઠાવતા વિદ્યાર્થી નેતા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ નિર્ણય અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રથમ નજરે આ નિર્ણય લાખો ડિગ્રીધારક યુવાનો માટે લાભદાયી જણાય છે, પરંતુ જો અગાઉ અનુભવને જરૂરી ગણવામાં આવતો હતો તો હવે તે શા માટે દૂર કરવામાં આવી રહ્યો છે તેની સરકાર અને GPSCએ સ્પષ્ટતા કરવી જોઈએ. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ભરતી અને પરીક્ષાઓ સમયસર લેવામાં નિષ્ફળ રહેલા તંત્રએ ભરતી પ્રક્રિયામાં સુધારો કરવાને બદલે અનુભવનો નિયમ જ દૂર કરવાનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે વર્ગ-1 અને વર્ગ-2 જેવા જવાબદારીભર્યા પદો પર અનુભવ વગરની ભરતી પાછળનું કારણ જાહેર થવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે નિયમોમાં ફેરફાર કરવો ખોટો નથી, પરંતુ યુવાનોને માત્ર વધુ ફોર્મ ભરાવવાના બદલે સમયસર ભરતી, પારદર્શક પરીક્ષા પ્રક્રિયા અને કૌભાંડમુક્ત પરિણામોની ગેરંટી આપવી જરૂરી છે. GPSC અને સામાન્ય વહીવટ વિભાગે આ સમગ્ર મામલે ખુલાસો કરવો જોઈએ તેવી માંગ પણ તેમણે કરી છે.

 

You Might Also Like

રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરનાર જિલ્લાઓની ગ્રાન્ટમાં વધારો કરાયો

વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી સત્તાવાર નોટીફાય

સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ

એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા

ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
ગાંધીનગર

એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા

Editor By Editor 4 days ago
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
GIDC કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
રાજકોટ ડિવિઝનના પાંચ રેલવે કર્મચારીઓ PCCM એવોર્ડથી સન્માનિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?