‘ગુજરાતના મહાન લોક્નેતા અજાતશત્રુ સ્વ.વિજયભાઈ રુપાણીજી ’
(પ્રથમ પુણ્ય તિથિ નિમિતે સાદર શ્રધ્ધાંજલિ -સ્વ.તા.૧૨-૬-૨૦૨૫)
તા.૧૨.જુન,૨૦૨૫ એ કદાચ વિશ્વની હવાઈ મુસાફરી માટેના ખૂબજ વિનાશક અને કરુણાજનક દિવસો પૈકીનો એક અન્ય દિવસ હતો કારણ કે,આ દિવસે જ અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ એ ઉડાન ભર્યાના માત્ર૩૨ સેકન્ડ પછી રનવેથી ૧.૭ કિલોમીટર દૂર ક્રેશ થઈ ગઈ અને આગમાં હોમાઈ ગઈ એમ કહી શકાય.વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી બધા ૧૨ ક્રૂ-સભ્યો અને ૨૩૦ મુસાફરોમાંથી ૨૨૯ લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને જમીન પર ૧૯ લોકો માર્યા ગયા અને ૬૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ ૨૬૦પીડિતોના અવશેષો ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેઓની ઓળખ મુખ્યત્વે ડી.એન.એ.વિશ્લેષણ દ્વારા થયેલ.હવાઈ અક્સ્માતમાં ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીજીનું પણ અવસાન થયેલ.આજે તેઓની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેઓને તેમજ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેકને સાદર શ્રધ્ધાંજલિ અર્પણ.
સ્વ.વિજયભાઈ રૂપાણીજી:-તા.૨-૮-૧૯૫૬ના રોજ રંગૂન, બર્મામાં (હાલમા મ્યાનમાર દેશ)એક જૈન વાણિયા પરિવારમાં થયો હતો.તેઓ આ દંપતીના સાતમા અને સૌથી નાના પુત્ર હતા.ઈ.સ.૧૯૬૦માં બર્મામાં રાજકીય અસ્થિરતાને કારણે તેમનો પરિવાર રાજકોટ-ગુજરાતમાં આવ્યા હતા અને બસ ત્યારથી તેઓનો પરિવાર અહિં સ્થાયી થયેલ.સ્વ.વિજયભાઈજીએ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બી.એ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું.વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય વિજયભાઈ રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા.૧૯૭૧માં તેઓ ભારતીય જન સંઘમાં જોડાયા હતા.કટોકટી પહેલા રૂપાણીએ આર્થિક કટોકટી અને ભ્રષ્ટાચાર સામેના સામાજિક-રાજકીય આંદોલન નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો હતો.કટોકટી દરમિયાન તેઓને ૧૧ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા અને ભુજ અને ભાવનગરની જેલોમાં રાખવામાં આવ્યા હતા.૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી જ તેની સાથે જોડાયેલા હતા. તેઓ ૧૯૮૭માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા હતા.૧૯૯૬ થી ૧૯૯૭સુધી રાજકોટના મેયર તરીકે સેવા આપી હતી.તેઓ ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય તરીકે ચૂંટાયા અને ત્યારે જ ૨૦૦૬માં સ્વ.રૂપાણીજીને ભાજપના ગુજરાત રાજ્ય એકમના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.તેઓએ ૨૦૧૪ થી ૨૦૨૨ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.રાજકોટ પશ્ચિમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. નવેમ્બર ૨૦૧૪માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં તેઓને મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને પરિવહન,પાણી પુરવઠા,તેમજ શ્રમ અને રોજગાર જેવા રાજ્ય વિભાગો સોંપવામાં આવ્યા હતા.તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સ્વ.વિજયભાઈ રૂપાણીજી ગુજરાતના ભાજપના પ્રમુખ બન્યા અને ઓગસ્ટ ૨૦૧૬ સુધી આ પદ સંભાળ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી:-તા.૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ભાજપના નેતૃત્વ દ્વારા રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રૂપાણીએ ભાજપનું નેતૃત્વ કર્યું જેમાં ભાજપ પક્ષે સત્તા જાળવી રાખી અને તેઓ મુખ્યમંત્રી તરીકે તેઓશ્રી બીજી ટર્મ માટે પણ પસંદ થયા હતા.
તેઓએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન મુખ્ય માળખાકીય, ઔદ્યોગિક અને સામાજિક પહેલનું નેતૃત્વ કર્યું. તેમનું શાસન “પારદર્શક, સમાવિષ્ટ અને ઝડપી વિકાસ” પર કેન્દ્રિત હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરાયેલી પહેલોને આગળ ધપાવતું હતું.તેઓના સમયમાં ઔદ્યોગિક અને શહેરી વિકાસ ગુજરાત ઔદ્યોગિક નીતિ (૨૦૨૦)-સૂક્ષ્મ,નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારીનું સર્જન કરવા માટે શરૂ કરવામાં આવી છે.અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં ઉંચી ઇમારતોના બાંધકામને મંજૂરી આપવા માટે કોમન જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ(GDCR)માં સુધારો કરવામાં આવ્યો.આ ઉપરાંત દુરગામી પરિણામો આપનાર એવી સુજલામ સુફલામ યોજના જળ અભિયાન પણ તેઓના કાર્યકાળ દરમ્યાન ૨૦૧૮ થી શરુ થયેલ જે આજે પણ કાર્યરત છે.-રાજ્યભરમાં તળાવો ઊંડા કરવા,ડેમ બંધાવવા અને રાજ્યના સિંચાઈ અને ભૂગર્ભજળ નેટવર્કને વિસ્તૃત કરવા માટે આ જળ સંરક્ષણ મિશનને સમર્થન આપવાની કામગીરી થયેલ.દર વર્ષે હજારો યાત્રાળુઓને લાભ મળે તે માટે દહેજ ખાતે નર્મદા પરિક્રમા જેટીને મંજૂરી આપવામાં આવી અને તેનો પાયો નાખ્યો.અમદાવાદમાં બાળરોગ હૃદય હોસ્પિટલો જેવી મુખ્ય આરોગ્ય સંભાળ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું.તા.૧૩,ઓગષ્ટ-૨૦૨૧ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતેથી ભારતની નવી વાહન સ્ક્રેપેજ પોલીસી-૨૦૨૧ની શરુઆત ભારતના માનનીય મંત્રીશ્રી નિતિન ગડકરીજી દ્વારા જાહેર થયેલ તે કદાચ તેઓનો અંતિમ જાહેર કાર્યક્ર્મ હતો એવું યાદ આવે છે.માર્ચ ૨૦૨૧માં ધ ઇન્ડિયન એક્સપ્રેસે ભારતના ૧૦૦સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં વિજયભાઈ રૂપાણીજીનો સમાવેશ કર્યો.તા.૧૧-૯-૨૦૨૧ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ લોકસેવાના અન્ય કાર્યોમાં વ્યસ્ત થતા ગયા.
સ્વ. વિજયભાઈ રુપાણીજીનું અંગત જીવન:-વિજય રૂપાણીના લગ્ન ભાજપ મહિલા મોરચા પાર્ટીની મહિલા પાંખના સભ્ય અંજલિબેન સાથે થયા હતા. આ દંપતીને ત્રણ બાળકો હતા,રાધિકા નામની પુત્રી અને ઋષભ અને પુજીત નામના બે પુત્રો. તેમના પુત્ર પુજીતનું ત્રીજા માળની બાલ્કનીમાંથી પડી જવાથી દુઃખદ અવસાન થયું હતું. આ દુ:ખદ અને કરુણા જનક ઘટના પછી વિજય રૂપાણી અને અંજલિબેન રૂપાણીજીએ ૧૯૯૪માં બાળકોને મદદ કરવા, મહિલાઓને સશક્તિકરણ કરવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી. ભૂતપૂર્વ સ્ટોક બ્રોકર એવા સ્વ.વિજયભાઈએ સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી.
જાહેર જીવન અને આધ્યાત્મિક વારસો:-સ્વ.વિજયભાઈ રૂપાણીજી જૈન ધર્મના એક શ્રધ્ધાળુ અનુયાયી હતા.પોતાના રાજકીય અને જાહેર જીવનમાં આંતરિક રીતે શ્રધ્ધા વણી લીધી હતી.તેઓ સેવાનો તેમનો કાયમી વારસો જૈન ધર્મના અહિંસા,કરુણા અને સમુદાય કલ્યાણના ઉપદેશોમાં ઊંડે સુધી મૂળ ધરાવતા હતા.તેઓએ જૈન આધ્યાત્મિક નેતાઓ સાથે નજીકથી કામ કર્યું,પાલિતાણા જેવા પવિત્ર સ્થળોના સંરક્ષણ અને જાળવણી માટે સમર્પિત પ્રયાસો કર્યા.તેઓ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર જેવા સંગઠનોના અડગ સમર્થક હતા જે શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધી વચ્ચેના આધ્યાત્મિક બંધનને પ્રોત્સાહન આપતા હતા.પોતાના વિશ્વાસ પ્રત્યે પ્રતિબધ્ધ હોવા છતાં સ્વ.રૂપાણીજીએ ભારતના સાંસ્કૃતિક સિધ્ધાંતોને સતત સમર્થન આપ્યું,સ્વામિનારાયણ સંપ્રદાય સહિત વિવિધ પરંપરાઓના કાર્યક્રમોમાં નિયમિતપણે ભાગ લીધો.તેઓના પત્ની અંજલીબેન સાથે મળીને તેમણે તેમના સ્વર્ગસ્થ પુત્રની સ્મૃતિમાં એક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.જે એક બિન-સરકારી સંસ્થા છે.આ ટ્રસ્ટ વંચિત અને સંવેદનશીલ સમુદાયો માટે રાહત અને ઉત્થાન પૂરું પાડવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે,જે દયા (કરુણા)ના જૈન સિધ્ધાંતનું સક્રિયપણે પાલન કરે છે.આમ જોઈએ તો સ્વ.વિજયભાઈ રુપાણીજીની સેવાકિય પ્રવૃતિઓ અને માનવીય ગુણોના કારણે તેઓ જીવનભર અજાતશત્રુ જેવું જીવન જીવ્યા હતા એમ કહીએ તો અતિશ્યોકિત નથી.આજે સ્વ.વિજય રૂપાણીજીની પુણ્યતિથિ નિમિતે તેઓને તેમજ કરુણાજનક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેકને સાદર શ્રધ્ધાંજલિ અર્પણ સાથે વંદન
સંકલન અને રજુઆત:-કિરીટ બી.ત્રિવેદી-‘નિમિત’, ગાંધીનગર, મો-૯૯૯૮૮૭૯૬૧૯


