By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 hour ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં કેસરિયો કારવાં : હર્ષ સંઘવીના રોડ શોએ ચૂંટણી માહોલ ગરમાવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં કેસરિયો કારવાં : હર્ષ સંઘવીના રોડ શોએ ચૂંટણી માહોલ ગરમાવ્યો

Editor
Last updated: 2026/04/24 at 5:25 PM
12 minutes ago
Share
રાજકોટમાં કેસરિયો કારવાં : હર્ષ સંઘવીના રોડ શોએ ચૂંટણી માહોલ ગરમાવ્યો
SHARE

રાજકોટમાં કેસરિયો કારવાં : હર્ષ સંઘવીના રોડ શોએ ચૂંટણી માહોલ ગરમાવ્યો

વેપારી વિસ્તારોમાં વર્ષો બાદ ભવ્ય શક્તિ પ્રદર્શન, હજારો લોકો ઉમટ્યા : પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક, વોર્ડ મુલાકાતોથી ઉમેદવારોમાં ઉમંગ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આંગળીના વેઢે ગણાય એટલી નજીક આવી ગઈ છે અને આ અંતિમ તબક્કામાં રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં પૂરી તાકાત ઝોકાઈ રહી છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં ગઈકાલે જોવા મળેલા રાજકીય દ્રશ્યો એ દર્શાવ્યું કે ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના રાજકોટ પ્રવાસ અને તેમના ભવ્ય રોડશોએ ભાજપના પ્રચારને નવી ઉર્જા આપીને આખા શહેરમાં કેસરિયો માહોલ છવાઈ ગયો હતો.
ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યાના અરસામાં હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા અને મોડી રાત સુધી શહેરમાં સક્રિય રહ્યા હતા. તેમની મુલાકાતની શરૂઆત સર્કિટ હાઉસથી થઈ, જ્યાં તેમણે સ્થાનિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવી અને પ્રચારની વ્યૂહરચનાને અંતિમ સ્પર્શ આપ્યો. ત્યારબાદ તેઓ શહેરના હૃદય સમાન ત્રિકોણ બાગ ખાતે પહોંચ્યા, જ્યાંથી તેમના રોડશોની ધમાકેદાર શરૂઆત થઈ હતી.
ત્રિકોણ બાગથી શરૂ થયેલો આ રોડશો લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, કંસારા બજાર, સોની બજાર, માંડવી ચોક, પેલેસ રોડ અને ભૂપેન્દ્ર રોડ જેવા શહેરના અતિ વ્યસ્ત અને ઐતિહાસિક વેપારી વિસ્તારોમાંથી પસાર થયો હતો. ખાસ વાત એ હતી કે રાજકોટના આ મધ્ય વિસ્તારમાં ઘણા વર્ષો બાદ આટલો વિશાળ રોડશો યોજાયો હતો, જેના કારણે વેપારીઓ અને સામાન્ય જનતા વચ્ચે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રોડશો દરમિયાન બંને બાજુ દુકાનો અને શોરૂમમાંથી લોકો બહાર આવી ગયા હતા અને ફૂલોથી સ્વાગત કરતા નજરે પડ્યા હતા. સમગ્ર માર્ગ પર ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે આખું વાતાવરણ ચૂંટણીમય બની ગયું હતું. યુવાઓ અને કાર્યકરો દ્વારા ગરબાની રમઝટ પણ જોવા મળી હતી, જે રોડશોને વધુ જીવંત બનાવી રહી હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ રોડશો માત્ર પ્રચાર કાર્યક્રમ નહોતો, પરંતુ ભાજપ માટે શક્તિ પ્રદર્શન પણ હતો. ખાસ કરીને વેપારી વિસ્તારોમાં મળેલા પ્રતિસાદને કારણે ભાજપના ઉમેદવારોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. ચૂંટણી પહેલા આ પ્રકારનો પ્રચાર પક્ષ માટે બૂસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે.
રોડશો પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ શહેરના પ્રતિષ્ઠિત સૈયાજી હોટેલ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને વકીલો સહિતના સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ જોડાયા હતા. હર્ષ સંઘવીએ અહીં સરકારની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી તેમજ શહેરના વિકાસ માટે સૂચનો પણ માગ્યા હતા. બેઠક બાદ ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ અનૌપચારિક વાતચીત કરી ચૂંટણીના માહોલ પર ચર્ચા કરી હતી. આ પ્રકારની બેઠક દ્વારા ભાજપે માત્ર મતદારોને નહીં, પરંતુ સમાજના પ્રભાવશાળી વર્ગને પણ જોડવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ત્યારબાદ હર્ષ સંઘવીએ શહેરના વિવિધ વોર્ડની મુલાકાત લઈને ઉમેદવારો અને કાર્યકરોમાં નવો જુસ્સો ભર્યો હતો. ખાસ કરીને વોર્ડ નં. 10, 14, 11 અને 5માં તેમણે કાર્યકરો સાથે સીધી વાતચીત કરી અને ચૂંટણી માટે વધુ મહેનત કરવા પ્રેરણા આપી હતી. તેમની એક ખાસ શૈલી એ રહી કે તેઓ દરેક જગ્યાએ ઉમેદવારોને સીધો સવાલ કરતા હતા, કેટલી માર્જિનથી જીતશો?, જે કાર્યકરોમાં ઉત્સાહ જગાડતો હતો. મુલાકાત દરમિયાન તેઓએ અમુક વિસ્તારોમાં ચા સ્ટોલ પર ઉભા રહી સામાન્ય નાગરિકો સાથે પણ વાતચીત કરી હતી, જે તેમના સરળ સ્વભાવને દર્શાવે છે. આ રીતે તેમણે પ્રચારને માત્ર ભાષણ સુધી સીમિત ન રાખતા જનસંપર્કને પ્રાથમિકતા આપી હતી.
રાત્રિના લગભગ 12 વાગ્યા સુધી સતત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ હર્ષ સંઘવી અમદાવાદ તરફ રવાના થયા હતા. તેમનો આ સમગ્ર પ્રવાસ ભાજપ માટે ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો પોતાના પક્ષમાં મતદારોને ખેંચવા માટે પ્રયત્નશીલ છે. જોકે, હર્ષ સંઘવીના આ ભવ્ય રોડશો બાદ ભાજપના કેમ્પમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. વેપારી વર્ગ, યુવા વર્ગ અને પ્રબુદ્ધ નાગરિકોમાં મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લેતા ભાજપને આ કાર્યક્રમથી રાજકીય રીતે મજબૂતી મળ્યાનું મનાય છે. આ રીતે ચૂંટણી પહેલા રાજકોટમાં થયેલા આ શક્તિ પ્રદર્શનથી રાજકીય સમીકરણોમાં હલચલ મચી છે અને આગામી મતદાન માટેનો માહોલ વધુ રસપ્રદ બની ગયો છે. હવે મતદારો શું નિર્ણય લે છે તે જોવા સૌની નજર આગામી દિવસો પર ટકી રહી છે.

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ બાલાજી હનુમાનજીના દર્શન કરી તેલ અર્પણ કર્યું

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તાજેતરની મુલાકાત ચર્ચામાં રહી છે. શહેરમાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ તેમણે ધાર્મિક ભાવના વ્યક્ત કરતાં પ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાજકોટમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે હર્ષ સંઘવીનો વિશાળ રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો. રોડ શો પૂર્ણ થયા બાદ તેઓ શહેરના કરણસિંહજી હાઈસ્કૂલ પરિસરમાં આવેલ પ્રાચીન અને લોકપ્રિય બાલાજી હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. મંદિરે પહોંચતા જ તેમણે હનુમાનજી મહારાજના ભાવપૂર્વક દર્શન કર્યા અને પરંપરા મુજબ તેલ અર્પણ કર્યું હતું. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું હતું. હર્ષ સંઘવીએ અહીં પ્રાર્થના કરી રાજ્યના સુખ-સમૃદ્ધિ તેમજ શાંતિ માટે કામના વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
મંદિરે તેમના આગમનને લઈ પૂર્વ તૈયારી કરવામાં આવી હતી અને સુરક્ષાની વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના વિવેક સ્વામી તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત અને સ્થાનિક આગેવાન ચેતન રામાણી સહિતના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિર ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિ માટે વિશેષ ઓળખ ધરાવે છે, જ્યાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. હર્ષ સંઘવીના આગમનથી મંદિરમાં ખાસ ચહલપહલ જોવા મળી હતી.
રાજકીય કાર્યક્રમો વચ્ચે ધાર્મિક સ્થળે જઈ દર્શન કરવાની પરંપરા મુજબ હર્ષ સંઘવીએ આ મુલાકાત લીધી હતી, જેને કાર્યકરો અને ભક્તોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે આવી ધાર્મિક મુલાકાતો રાજકીય અને સામાજિક બંને સ્તરે મહત્વ ધરાવે છે.

 

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત
રાજકોટ

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

Editor By Editor 6 days ago
રાજકોટના આંગણે આજથી નવ દિવસીય “ગૌધામ શિવ કથા”ના રૂડા ઓવારણા
“માનવ ઉત્કર્ષ મહોત્સવ”માં ઝળહળ્યું નારી નેતૃત્વ
રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો
રવિવારે વૈશાખ સુદ દશમ પ્રભુ મહાવીર સ્વામીનો જ્ઞાન કલ્યાણક મહોત્સવ દિવ ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?