By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: આમ થોડું ચાલ્યું જવાય, દિલીપભાઇ – જયવંત પંડયા (વરિષ્ઠ પત્રકાર)
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

આમ થોડું ચાલ્યું જવાય, દિલીપભાઇ – જયવંત પંડયા (વરિષ્ઠ પત્રકાર)

agragujaratnews
Last updated: 2024/01/27 at 8:18 PM
2 years ago
Share
આમ થોડું ચાલ્યું જવાય, દિલીપભાઇ  – જયવંત પંડયા (વરિષ્ઠ પત્રકાર)
SHARE

અભ્યાસ પૂર્ણ કરી માત્ર રૂ.10ના પગારે જનસત્તામાં જોડાયા

રાજપથ ક્લબ પાસે નાની ચાની કિટલી સુધી રોજ સાંજે સાઇકલ લઈ પહોંચતા અને ચાની ચૂસકી લગાવતા

તેમના પ્રાણપ્રિય મિત્ર નીલેશ રૂપાપરા સાથે અવનવા વિષય પર પૂર્તિઓ કાઢી

ક્યાંથી શરૂ કરવું અને કેમ શરૂ કરવું તે મોટો પ્રશ્ન છે. દિલીપભાઈ એક તંત્રી-પત્રકાર-લેખક-રાજકીય વિશ્લેષક વિશે લખવું કે એક વરિષ્ઠ મિત્ર વિશે?

પહેલાં પત્રકાર દિલીપભાઈ વિશે જ વાત કરીએ. રાજુલાના નિવાસી દિલીપભાઈએ ભાવનગરની શામળદાસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક કર્યું. એ પછી રાજકોટમાં એ. ડી. શેઠ ભવનમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો.

અભ્યાસમાં ઇન્ટર્નશિપ જનસત્તા જેવા તે વખતના ખૂબ પ્રતિષ્ઠિત દૈનિકમાં દિનેશ રાજાના તંત્રીપદ હેઠળ ત્રણ મહિના કરી. તેમના કામથી પ્રભાવિત થઈ તેમને ઇન્ટર્નશિપ સમાપ્તિના બીજા જ દિવસથી રોજના રૂ. ૧૦ના વાઉચર પર નોકરીએ ટપાલ પાને રાખી લીધા. આમ, અભ્યાસ પછી વચ્ચે ગેપ વગર તરત નોકરી મળી જાય તે અનોખો સંયોગ થયો.

તે વખતે પત્રકારની ઉજળી અને સંતોષ અપાવે તેવી કારકિર્દી મુંબઈમાં બનતી. રાજુલાના કોઈ મનોજભાઈ (દિલીપભાઈ ઘણી વાર કાં નામ બોલે, કાં અટક..તેથી કેટલાંક નામો અધ્યાહાર રહી જતા) મુંબઈ હતા. તેથી તેમનો સાથ મળ્યો. કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટના ‘અભિયાન’ તરીકે ઓળખાતા ‘અભિયાન’માં વાત થઈ પણ રાજકોટ આવી ગયા પછી થોડી અસમંજસ હતી. ‘જનસત્તા’માં સરકારની નોકરીની જેમ પત્રકારને પગાર પંચ મળતું. બધા લાભો મળતા. પણ તે નકારી તેમણે મુંબઈમાં ‘યુવદર્શન’માં ડેસ્કનું કામ સ્વીકાર્યું. ને યુવાઑ વયે જ એડિટર બની ગયા.

એ પછી ‘સમકાલીન’માં પત્રકારત્વની સ્કૂલ જેવા હસમુખ ગાંધી હેઠળ તેમના પ્રાણપ્રિય મિત્ર નીલેશ રૂપાપરા સાથે અવનવા વિષય પર પૂર્તિઓ કાઢી. શીલા ભટ્ટ સાથે ગુજરાતી ‘ઇન્ડિયા ટૂડે’માં કામ કર્યું. એ પછી ‘ચિત્રલેખા’માં થોડો સમય કામ કર્યું. હજુ ગુજરાતી તો શું અંગ્રેજી-હિન્દી ડિજિટલ જર્નાલિઝમનો યુગ પણ પા-પા પગલી ભરતો હતો ત્યારે રિડીફની ગુજરાતી વેબસાઇટમાં શીલા ભટ્ટ સાથે કામ કર્યું. ૨૦૦૧ના કચ્છ ભૂકંપનું વિગતવાર કવરેજ કર્યું.

પોતે ભણ્યા આર્ટ્સનું પણ વેબસાઇટની ટૅક્નિકલ એબીસીડી જ નહીં, ગ્રામર પણ શીખી લીધું. ને તે પછી ગુજરાતી ટીવી પત્રકારત્વના ઇટીવી રૂપે મંડાણ થયા તો હૈદરાબાદ પહોંચી ગયા. દર વખતે ઓછા સંસાધનો ને તે સમયની ટૅક્નિકલ મુશ્કેલીઓમાં કેમ કામ કરવું તે તેમને સુપેરે ફાવતું. વચ્ચે મનોજ ભીમાણીના ‘આરપાર’ મેગેઝિનમાં પણ કામ કર્યું.

અમદાવાદના કદાચ એક માત્ર બપોરના દૈનિક ‘સમભાવ મેટ્રૉ’નો પ્રારંભ કરાવ્યો. ને પછી બીજું અલ્પજીવી ‘ડીબી ગૉલ્ડ’માં કામ કર્યું. આ રીતે તેમણે અનેક લૉન્ચિંગ કર્યા. તેમને લૉન્ચિંગ એડિટર કહીએ તો પણ ખોટું નથી.

એ પછી તેઓ ૨૦૦૯ આસપાસ ‘અભિયાન’માં તંત્રી તરીકે જોડાયા. મારો પરિચય હું ‘દિવ્ય ભાસ્કર’માં હતો ત્યારે તેઓ ‘ડીબી ગૉલ્ડ’માં હતા. આમેય તંત્રી હોય તો રાડારાડી, ખિજાવાનું બને, દોડાદોડી કરતા હોય ને એમાંય લૉન્ચિંગ હોય ત્યારે તો ખાસ. પણ દિલીપભાઈ ખૂબ જ શાંતિથી કામ કરતા ને કરાવતા.

‘અભિયાન’માં તેમની હેઠળ કામ કરવાનું થયું. પણ બૉસ કરતાં એ મિત્ર જેવા વધુ લાગતા. બૉસ હોય તો બહાર નાની કિટલીએ ચા પીવા ન આવે. એ આવતા. ને હું, દિનેશ દેસાઈ, પ્રજ્ઞેશ શુક્લ, નિલેશ કવૈયા, દીપક મહેતા વગેરેની સૂર્યા કિટલીએ સભા થતી.

બે વર્ષમાં પાછું ભગવાને ઘર બદલ્યું. સાધુ તો ચલતા ભલા તેમ કહે છે તેમ સન્યાસ વગરના સાધુ દિલીપભાઈના જીવનમાં એક જગ્યાએ લાંબો સમય નોકરીનો યોગ જ નહોતો. થોડા સમય પછી તેઓ રાજકીય વિશ્લેષક બન્યા. તે પણ ગુજરાતી ટીવી ચેનલના ઇતિહાસમાં પ્રારંભિક હતું. તે વખતે આજના જેટલા રાજકીય વિશ્લેષકો નહોતા. આજના જેવા ભવ્ય સ્ટુડિયો પણ નહીં.

ટીવી નાઇનની અમદાવાદના વેજલપુરના ડી માર્ટ પાસે ઑફિસમાં તેઓ કન્સલ્ટિંગ એડિટર તરીકે ૨૦૧૨ની ચૂંટણી આસપાસ જોડાયા. એ પછી ગુજરાત સમાચારે જીએસટીવી ૨૦૧૩માં શરૂ કરી ત્યારે તેમાં તંત્રી બન્યા અને ૨૦૧૪ની ચૂંટણી પહેલાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો આકરો ઇન્ટરવ્યૂ લીધો.

એકાદ-બે વર્ષ પછી ફરી દિલીપભાઈ ચલતા ભલા બન્યા. એ પછી ‘૭ ન્યૂઝ’, ‘મંતવ્ય ન્યૂઝ’માં કામ કર્યું. ૨૦૧૭ કે ૧૮ની આસપાસ સંપૂર્ણ સ્વતંત્ર પત્રકાર બન્યા. ‘ચિત્રલેખા’ ડિજિટલ, ‘ઇટીવી ભારત’, ‘બીબીસી ગુજરાતી’ અને ‘દિવ્ય ભાસ્કર’ ડિજિટલમાં સ્વતંત્ર પત્રકાર તરીકે કામ કર્યું. મોટા ભાગની ગુજરાતી ટીવી ચેનલો પર રાજકીય વિશ્લેષક તરીકે સેવા આપી. આર. આર. શેઠ પ્રક્શન સાથે અનેક પુસ્તકોનો અનુવાદ કર્યો.

છેલ્લા એક વર્ષથી વળી મુકામ બદલી રાજકોટ ગયા. મિત્ર સુનિલ જોશીના ‘અગ્ર ગુજરાત’માં પણ લૉન્ચિંગ એડિટર બન્યા. ત્યાંય સરસ દિવાળી અંક કાઢ્યો.

પણ પત્રકાર મિત્ર નીલેશ રૂપાપરાની થોડા મહિનાઓ પહેલાં અણધારી વિદાય તેમને ખૂબ મોટો આંચકો આપી ગઈ હોય તેમ લાગે છે. તેમના વિશે ‘સ્વ મિત્ર કથા’ શ્રેણી હેઠળ સાતેક પૉસ્ટમાં નિલેશભાઈ સાથે પોતાના અંગત જીવનની પણ ઝલક આપી.

૧૯મીએ શરદી-ઉધરસની ફરિયાદ સાથે ‘રાજુલા જઈ આરામ કરીશ તો સારું થઈ જશે’ તેમ વિચારી ગયા પણ તબિયત વધુ બગડી. ૨૪મીએ ઑક્સિજન લેવલ ખૂબ ઘટી જતાં ભાવનગરની બજરંગદાસ બાપા હૉસ્પિટલ આવ્યા. બે દિવસ ઝીંક ઝીલી પણ ૨૬-૨૭ની રાત્રે ૧૨.૩૦ આસપાસ અંતે તેમણે ફરી ચાલતી પકડી…આ વખતે કદાચ નીલેશભાઈની સાથે કોઈ સ્વર્ગીય આવૃત્તિ શરૂ કરવાની હશે.

તેમના પરિવારમાં પત્ની, દીકરો કૃણાલ અને દીકરી કુંજલ છે. દીકરો એન્જિનિયર છે. દીકરી કુંજલ એક વર્ષ પહેલાં કેનેડા ગઈ અને ત્યાં નોકરી સાથે સેટ થઈ ગઈ તેનો તેમને હાશકારો હતો.

તેમના પિતાનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયેલું. એ પછી નિલેશ રૂપાપરાનું અવસાન…

નખશીખ પ્રમાણિક, સ્પષ્ટ વક્તા, આઇડિયાની ફૅક્ટરી, દરેક પ્રકારનું જર્નાલિઝમ, અને ગુજરાત-મુંબઈના દરેક ખૂણે જર્નાલિઝમ…લેખક…છતાંય ધરાતલના માણસ. કોઈ વ્યસન નહીં. રોટલો/ભાખરી, શાક, ખીચડી, દૂધ જેવો મિતાહાર લે. સવારે વહેલા ઊઠી જાય. હા, રાજકોટ રહેલા એટલે રાજકોટની ટેવ ઘર કરી ગયેલી, વામકુક્ષીની પણ એ પંદર-વીસ મિનિટ પૂરતી જ. એમાંય ડિબેટ હોય તો એ પણ ન લે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી તેમના મિર્ચી રૉડ પરના ઘરથી રાજપથ ક્લબ પાસે નાની ચાની કિટલી સુધી રોજ સાંજે સાઇકલ લઈ પહોંચી જતા. અઠવાડિયામાં એકાદ વાર હું જતો, બીજા કોઈ મિત્ર મળે તો ઠીક, નહીંતર એકલા ચા પીતા.

એમને કુદરત અને કુદરતી જીવન પસંદ હતું. એટલે ૨૦૦૯-૨૦૧૧માં ‘અભિયાન’ વખતેય સાંજ પડે ને છેક સિંધુભવન રૉડ પૂરો થાય ને એસપી રિંગ રૉડ આવે ત્યાં ચાની કિટલીએ પહોંચી જતા. મંગ્ળવારે અંક પૂરો થયા પછી બુધવાર જેવો રાહતનો દિવસ હોય તો દિનેશ દેસાઈ ને હું પણ તેમની સાથે ત્યાં જોડાતા.

આવા વ્યક્તિ જેનું ફિટ શરીર, ક્યારેય બીમારી નહીં તેઓ આમ ચાલ્યા જશે તેની કોઈને ક્યાંથી કલ્પના હોય !

એમણે તંત્રી તરીકે ઘણા પત્રકારોને તૈયાર કર્યા. ચીમનભાઈ પટેલ કૉલેજમાં પત્રકારત્વ ભણાવવા પણ જતા. ખૂબ મોટું વર્તુળ છતાંય ‘ભીડ મેં અકેલા’ જેવા અંતર્મુખી હતા. અમુકની પાસે જ ખુલે.

અમારાં બંનેનાં ઘર નજીક હતાં. તેથી ટીવી ડિબેટ માટે સ્ટુડિયોએ જવાનું હોય તો એક કારમાં જવાનું, કોઈ ન્યૂઝ પેક માટે બાઇટ લેવાની હોય તો મારા ઘરે મારી અને એમની બાઇટ ગોઠવાય, કોઈ પત્રકારનું બેસણું હોય, ટીવી ન્યૂઝ ચેનલનો કૉન્ક્લેક્વ હોય તો સાથે જવું…પણ ગઈ જાન્યુઆરીમાં મેઁ હરણ સર્કલથી બોપલ ઘર બદલ્યું ને એમણે રાજકોટ નોકરી સ્વીકારી. પણ તે પછી એ અમદાવાદ તેમની સૉસાયટીના રિડેવલપમેન્ટના કામે, બૅન્કના કામે કે અન્ય કામે આવતા ત્યારે અમે અચૂક સાથે ચા પીતા. હવે એ સથવારો જતો રહ્યો. આવું હોય દિલીપભાઈ?

પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે. ॐ શાંતિ…

 

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
ધર્મ

 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ

Editor By Editor 3 days ago
વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન
RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 
કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
વાસી ખોરાક વેચતા શ્રીરામ અને બાલાજી ઢોસા સેન્ટર સીલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?