By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર

Editor
Last updated: 2026/07/11 at 4:12 PM
8 minutes ago
Share
સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર
SHARE

સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર

ડાયમંડ ઉદ્યોગમાં રૂ.3૦૦૦ અને ટેકસટાઇલમાં રૂ.૫૦૦ કરોડના વેપાર અટકી પડયા : ચાર દિવસથી ઠપ્પ થઇ ગયેલા ઉદ્યોગો

 

અગ્ર ગુજરાત, સુરત

સુરત શહેરમાં પડેલા અનરાધાર વરસાદથી ટેકસટાઇલ અને ડાયમંડના ઉદ્યોગને ભારે નુકશાન થયું છે. ડાયમંડ ઉદ્યોગમાં ત્રણ હજાર કરોડ અને ટેકસટાઇલમાં ૫૦૦ કરોડના વ્યવહારને અસર પડી છે. પૂરના પાણીમાં ઉદ્યોગનો સોથવળી જતાં વેપારીઓ પર પણ આર્થિક બોઝ વધી ગયાનું ચર્ચાઇ રહ્યું છે.

સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી વિનાશક સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ અસરગ્રસ્તોને 500 કરોડની કેશડોલ્સ આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને મુલાકાત લીધી હતી. ત્યારે શહેરમાં ખાડી પૂરને કારણે વેપારીઓ અને ઉદ્યોગને નુકસાન થયું છે તેને લઈને રોષ વધી રહ્યો છે. શહેરમાં ચાર દિવસમાં ભારે વરસાદને કારણે થયેલા મૃત્યુનો આંક 41 પર પહોંચી ગયો છે. આફતનો વરસાદ સુરતના ડાયમંડ અને ટેકસટાઇલ ઉદ્યોગ માટે પણ આફત બની ગયો છે.

સુરતમાં છેલ્લા ચાર દિવસમાં વરસેલો આફતનો વરસાદ ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આફતનો વરસાદ બન્યો છે. સુરતના વરાછામાં મીની બજાર ડાયમંડના દલાલોનું બજાર કહેવામાં આવે છે. ત્યાં નાની મોટી ડાયમંડની ફેક્ટરીઓ છે. આ વિસ્તારમાં વરસાદને કારણે પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે ડાયમંડને કટ પોલીસ કરવાનો સામાન બગડી ગયો છે. રાછાથી લઈ સીમાડાનાકા સુધીના વિસ્તારોમાં ખાસ રત્ન કલાકારો રહે છે. તેઓના મકાનોમાં પણ ખાડીપૂરના પાણી ઘૂસ્યા હતા. જેથી ચાર દિવસ ડાયમંડ ફેક્ટરીઓ બંધ રહી હતી. વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાવાથી ડાયમંડ ઉદ્યોગમાં બે હજારથી ત્રણ હજાર કરોડનો કારોબાર અટકી પડ્યો હતો.

બીજી તરફ આ આફતનો વરસાદ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પણ આફત બન્યો છે. શહેરમાં ટેક્સટાઈલની કૂલ 240 બજારો આવેલી છે. 17 હજારથી વધુ દુકાનોમાં વેપાર થાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પરની એક હજાર દુકાનોની હાલત ખસ્તા છે. તમામ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી મોટા પાયે નુકસાન થયું છે. આશરે 200થી 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દુકાનોમાં માત્ર ફ્લેટ સાડીનું જ નહીં પણ ત્યાં ફર્નિચર, એસી, કોમ્પ્યુટર, બિલબુક , જીએસટી બિલ, હિસાબના ડેટાને પણ નુકસાન થયું છે. આ બધી વસ્તુઓ હવે ફરીવાર ઉપયોગમાં લઈ શકાય એમ નથી. આ ઉપરાંત માર્કેટમાં પાર્કિગની વ્યવસ્થા માટે બેઝમેન્ટ તૈયાર કરાયું છે. જ્યાં પાણી ભરાઈ જવાને કારણે મોંઘી ગાડીઓ પણ ડૂબી ગઈ હતી. શહેરમાં 2006માં આવેલા પૂર બાદ આ વર્ષે મોટી નુકસાની થઈ છે. લોકોનું કહેવું છે કે, પાણી આવવા પાછળનું કારણ ડ્રેનેજ અને મેટ્રોની કામગીરીછે. શહેરમાં પડેલો 20 ઈંચ વરસાદ પણ સૌથી મોટું કારણ છે.

DyCM હર્ષ સંઘવીએ બીજા દિવસે પણ વિસ્તારોની મુલાકાત લીધી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બીજા દિવસે પણ સુરતના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતાં. તેમણે ખાડી પૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, એક પરિવાર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવી છે. ભટાર વિસ્તારમાં બે હજાર લોકોને સહાય અપાશે. બીજી તરફ કામરેજમાં તાપી કિનારે વસતા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. નદીના ધસમસતા પાણીથી કાંઠાનું મોટા પાયે ધોવાણ થયું છે. આ ધોવાણ છેક રહેણાંક વિસ્તારના વાડા સુધી પહોંચ્યું છે. 16 ઈંચ વરસાદથી જમીનનો મોટો ભાગ નદીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક જગ્યાએ જમીનમાં મોટી તિરાડો પડી છે. અંદાજે 200 જેટલા પરિવારો પર સંકટ તોળાઈ રહ્યું છે.

You Might Also Like

શામપરા ગામની 225 બહેનોનું સુરત ખાતે ભવ્ય સ્નેહ મિલન યોજાયું 

સુરત બન્યું ફ્લડ સિટી, 9ના કરુણ મોત

સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ

કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જગન્નાથ પુરી યાત્રા’માં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ

ફિગર મેઇન્ટેનન્સ રાખવામાં યુવતીઓનો પોકેટ ખાલી થયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુંડલિયા કોલેજ દ્વારા “એનેમિયા સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિર” યોજાઇ
રાજકોટ

કુંડલિયા કોલેજ દ્વારા “એનેમિયા સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિર” યોજાઇ

Editor By Editor 4 days ago
આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન
પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે
આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક
બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?