By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ

Editor
Last updated: 2026/04/18 at 4:51 PM
51 minutes ago
Share
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ
SHARE

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ

મંદિરના મહંત અને સેવકને મંદિર બહાર કાઢવા માગણી : રજૂઆત નહીં સંતોષાય તો ગામ અચોક્કસ મુદત સુધી બંધની ચીમકી

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે અત્યંત પૌરાણિક મુરલી મનોહર મંદિર માં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. મંદિરના મહંત અને સેવક દ્વારા મંદિરમાં મનસ્વી વહીવટ કરાતો હોય અને ગ્રામજનોને ધાક ધમકી

અપાતી હોવાના આક્ષેપ અને ફરિયાદ સાથે સુપેડીના ગ્રામજનોએ સુપેડી ગામ સજ્જડ બંધ રાખી ધોમ ધખતા તાપ માં બહોળી સંખ્યામાં મહિલા પુરુષોને બાળકો ધોરાજી પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને મંદિરના મહંત અને સેવકને મંદિરમાંથી હટાવવા માટે માગણી ઉચ્ચારી હતી અને મંદિરના ગેર વહીવટ અંગે લેખિત આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો સુપેડી ગામ અચોક્કસ મુદત સુધી બંધ રાખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી હતી.

ગામના સરપંચ જતીનભાઈ અને ગામના અન્ય વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યું હતું કે મંદિરના મહંત અને ડી સી પટેલ નામના સેવક દ્વારા ગ્રામજનો સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે અને મંદિર અમારા બાપનું છે અમે જેમ ઇચ્છીશું તે પ્રકારે મંદિરે વહીવટ થશે આ ઉપરાંત મારા પર 18 જેટલા ગુના છે તમારાથી થાય તે કરી લો તે પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમ જણાવ્યું હતું.

સમગ્ર બનાવને લઈ ગતરોજ સુપેડી ખાતે ગ્રામજનોની મીટીંગ યોજાઇ હતી અને મંદિરના મનસ્વી વહીવટ અને ધાગધમકીઓ સામે વળતો જવાબ આપવા માટે સમસ્ત ગ્રામજનોએ સુપેડી ગામ ની બજારો સ્વયંભૂ બંધ રાખી હતી અને સુપેડીથી મોટી સંખ્યામાં મહિલા પુરુષો અને બાળકો ટ્રેક્ટરમાં અને ખાનગી વાહનો લઇ ધોરાજી પ્રાંત કચેરી ખાતે બપોરે બળબળતા તાપમા આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોના આક્ષેપ મુજબ, મંદિરના મહંત દ્વારા વારંવાર નજીવી બાબતોમાં ગામલોકો સાથે માથાકૂટ કરવામાં આવી રહી છે. ઉપરાંત, કેટલાક ગ્રામજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને મંદિર ખાતે દર્શન કરવા માટે પણ રોકવામાં આવે છે, જેના કારણે ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. મંદિરમાં શ્રાદ્ધ વિધિ પૂજન તેમજ હિન્દુ સંસ્કૃતિના મોળાકત જેવા નાના મોટા તહેવારોમાં દીકરીઓને પૂજન કરવા દેવામાં આવતું નથી આ ઉપરાંત સરકાર હસ્તકનું મંદિર હોવા છતાં મન ફાવે તે પ્રકારે બાંધકામ કરવામાં આવે છે ધજાજી ઉત્સવમાં આવતા યજમાનો પાસે મોટી રકમ વસૂલવામાં આવી રહી છે આ ઉપરાંત મંદિરના સેવક ડી સી પટેલ દ્વારા ગ્રામજનોને ધમકી અને મંદિરનો મનસ્વી વહીવટ ચલાવવામાં આવે છે.  ત્યારે આ મંદિર પુરાતત્વ વિભાગ હસ્તકનું છે જેથી સરકાર આ મંદિરનો વહીવટ સંભાળી લે અને મંદિરના મહંત અને તેના સેવકને તાત્કાલિક અસરથી મંદિરની બહાર કાઢવામાં આવે ગ્રામજનોની આ માગણી સંતોષવામાં નહીં આવે તો ગામ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવશે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી સમક્ષ જણાવવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિરોધ સ્વરૂપે પોસ્ટર લગાવી આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. તેમની મુખ્ય માંગ મંદિરના મહંત અને સેવકને હટાવવાની છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.ઠાકોર સહિતનો પોલીસ કાફલો ગામ ખાતે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી ગામ ખોલવા અપીલ કરવામાં આવી રહી છે. અને મંદિર ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ધોરાજી પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલ સુપેડીના ગ્રામજનોએ સૂત્રોચારો પોકારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ત્યારે તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપવામાં આવી હતી.

બીજી તરફ મંદિરના મહંત રવિન્દ્રદાસ બાપુ એ મીડિયા સમક્ષ જણાવેલ કે આ મંદિર પૌરાણિક મંદિર છે અહીં સુપેડી ઉપરાંત દૂર દૂરથી ભાવિકો શ્રદ્ધાળુ આવે છે આ મંદિર પરત્વે લોકોની આસ્થા છે. અહીં બે સમય અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે. તમામ 18 વર્ણના લોકો માટે આ મંદિરમાં પ્રવેશવા છૂટ છે. અમારા દ્વારા કોઈનું દિલ દુખાય તેવું વર્તન ક્યારે કરવામાં આવ્યું નથી. અને મંદિરમાં મોટી સંખ્યામાં સેવક સમાજ હોય ત્યારે સેવક સમાજ દ્વારા જો કશું થયું હોય તો તેની મને જાણ નથી સાધુ માટે સેવા પૂજા અને તપ જેટલું જ કાર્ય રહે છે.

હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રશાસન દ્વારા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા છે.

You Might Also Like

મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું

જેતપુરના મેવાસા-હરીપર માર્ગ પર લટકતી પુલની કામગીરીથી લોકો પરેશાન

જેતપુરના ચારણ સમઢીયાળા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઇ

જેતપુરમાં ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના સમાવેશ મુદ્દે આવેદન

રાજુલામાં ડો. બાબાસાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર શખ્સ સામે ગુનો દાખલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ
રાજકોટ

 મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ

Editor By Editor 5 days ago
થરાદના ડોડગામના તળાવમાં પાણી ભરવા ગયેલા ત્રણ ભાઇ-બહેનના ડૂબી જતાં મોત
લાઠીના દામનગરમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૭૬૮૬ બોટલ ઝડપાઇ
રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા
બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?