ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ-પીએલ કેપીટલ દ્વારા રાજકોટમાં નવી શાખાનો શુભારંભ
PL કેપીટલ બજારની વૃધ્ધીની ગતિ વિશે આશાવાદી, રાજકોટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યકત કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
80 વર્ષના વારસા સાથેની ભારતની સૌથી સન્માનિત નાણાકીય સેવાઓની કંપનીમાંથી એક ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ- પીએલ કેપિટલ દ્વારા રાજકોટમાં તેની શાખા શરૂ (7મો માળ, ઓફિસ નં. 711, 712, 713, આરકે પ્રાઈમ, નાના માવા સર્કલ નજીક, 150 ફીટ રિંગ રોડ) કરવામાં આવી હોવાની ઘોષણા કરી છે, જે મુખ્ય પ્રાદેશિક બજારમાં તેની હાજરી વધુ મજબૂત બનાવવાની અને પ્રદેશમાં ગ્રાહકો માટે વ્યાપક નાણાકીય સેવાઓને પહોંચ આપવાની તેની એકદારી કટિબદ્ધતા દર્શાવે છે.
રાજકોટ શાખા પીએલની સ્ટાર પ્રોડક્ટ એક્વાપીએમએસ સહિત બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ ઓફર કરતી સંપૂર્ણ સેવા શાખા રહેશે. ટોપ ક્વોર્ટાઈલમાં ભારતની પ્રથમ કવેન્ટ પીએમએસ રેન્ક્ડ પીએલ પ્રાઈવેટ વેલ્થ ડિવિઝન એચએનડબ્લ્યુઆઈ, વ્યક્તિગતો, કોર્પોરેટ ટ્રેઝરીઓ અને પારિવારિક ઓફિસો સહિત વ્યાપક શ્રેણીના ગ્રાહકોને સેવા આપવા માટે એસેટ ક્લાસીસ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ સર્વિસીસ અને સિક્યુરિટીઝ ફાઈનાન્સને બીસ્પોક સલાહ આપશે. શાખા રોકાણકારોને પીએલની એવોર્ડ વિજેતા સંશોધન ક્ષમતાઓનો લાભ લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તેમને સંપત્તિ નિર્માણ અને સંવર્ધન હેતુઓમાં મદદરૂપ થશે. આ હાજરીને કારણે અમે પ્રદેશમાં મુખ્ય ઉત્પાદન કેન્દ્રોની નજીક પહોંચી શકીશું, જે તેના માળખાબદ્ધ મૂડી સમાધાન અને એડવાઈઝરી સાથે પીએલ કેપિટલની ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગમાં લાભ લઈ શકે છે.
આ વિસ્તરણ પર બોલતાં પીએલ કેપિટલના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી અમીષા વોરાએ જણાવ્યું હતું કે, “રાજકોટ ઘણા બધા ઉદ્યોગપતિ રોકાણકારો વ્યક્તિગત અથવા તેમના ઉદ્યોગો માટે સંપત્તિ નિર્મિતી માટે વિવિધ વિકલ્પો જોતા હોવાથી આકર્ષક અને ઝડપથી ઉત્ક્રાંતિ પામતી બજાર બનાવે છે. આ શહેરમાં અનોખી અને સંશોધન આધારિત રોકાણ યોજનાઓ જોતા મોટા ભાગના રોકાણકારો પાસેથી પણ રુચિ જોવા મળી રહી છે, જ્યાં અમારી ક્વેન્ટ- પ્રેરિત ઓફરો મૂલ્ય ઉમેરવા માટે ઉત્તમ સ્થાનબદ્ધ છે. આ અમને રાજકોટ શહેરમાં નજીક હોવાથી અમારું શ્રેષ્ઠતમ પ્રદાન કરવાની અમને તક આપે છે.
પીએલ કેપિટલે અનુભવી બેંકર ઝરીન દારૂવાલા કંપનીમાં જોડાયાં હોવાથી તેની લીડરશિપને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. જેથી રાજકોટ સહિત મુખ્ય બજારોમાં મજબૂત બેંકિંગ અને સંસ્થાકીય ક્ષમતાઓ નિર્માણ કરવા પર તેની એકાગ્રતા પર વધુ ભાર આપે છે. તેઓ પીએલ કેપિટલ- ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપમાં ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે.
રિટેઈલ બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના સીઈઓ સંદીપ રાયચુરાએ ઉમેર્યું હતું કે, “અમે રાજકોટ જેવાં મુખ્ય ટિયર 2 શહેરોમાંથી આવતી પૂરતી ગતિ સાથે રિટેઈલ રોકાણકારોમાં સ્પષ્ટ પ્રવાહ જોયો છે. દેખીતી રીતે જ લોકોની રુચિ હવે બચત સાથે તેમનાં નાણાં નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ વધુ આધુનિક અને વૈવિધ્યપૂર્ણ રોકાણ સાધનોમાં રોકાણ કરવા માગે છે. રાજકોટમાં અમારા પ્રવેશને કારણે અમે સ્થાનિક રોકાણકારો સાથે જોડાણ સાધી શકીશું. તેમની વધતી જરૂરતોને સમજી શકીશું અને અમારા મજબૂત સંશોધન અને અમલબજાવણીને આધારે નાવીન્યપૂર્ણ સમાધાન પૂરા પાડીશું. અમે માનીએ છીએ કે આનાથી રોકાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો નિર્માણ કરવામાં અમને મદદ થશે.”
2026 પર નજર ફેરવતાં પીએલ કેપિટલ ભારતીય બજારની વૃદ્ધિની ગતિ વિશે આશાવાદી છે. રાજકોટ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા છે. વધતો પ્રભાવ, બચતોનું વિધિસરકરણ અને ઈક્વિટીઝ અને આલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઈએફ) જેવી ડાઈવર્સિફાઈડ રોકાણ ક્ષિતિજોમાં વધતી રુચિ પ્રદેશમાં સક્ષમ ગતિ પ્રેરિત કરવાની શક્યતા છે.
રાજકોટ વિસ્તરણ આ શહેર પ્રત્યે પીએલ કેપિટલની લાંબા ગાળાની કટિબદ્ધતા પર ભાર આપે છે, કારણ કે આ શહેરો મજબૂત પ્રાદેશિક ક્ષમતાઓ નિર્માણ કરવામાં અને મૂલ્યપ્રેરિત નાણાકીય સમાધાન પ્રદાન કરવા માટે તેનું રોકાણ ચાલુ રાખ્યું છે.


