ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર
પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનો પોલીસ વડાને પત્ર, હવે નહીં જાગો તો ગીર સોમનાથ બનશે બીજું બોટાદ!
દારૂબંધી એ ગુજરાતની સૌથી મોટી ઠગાઈ, મૃતકની વિધવાનો આક્રંદથી વાતાવરણ ગમગીન
પોલીસની કામગીરી પર લોકોમાં ઉઠેલા સવાલો
અગ્ર ગુજરાત, ઉના
ગાંધીના ગુજરાતના ભાલે કલંકનું વધુ એક લોહિયાળ ટપકું ચોંટી ગયું છે. ? સોમનાથના ઉના તાલુકા ના શિલોજ ગામમાં ઝેરી દેશી દારૂના મહાવિષે એક ગરીબ ખેતમજૂરનો પ્રાણ હરી લીધો છે.બીજો જુવાન ICUના બિછાને યમરાજ સાથે બાથ ભીડી રહ્યો છે, જ્યારે બે યુવાનો ઘરે પથારીવશ પડ્યા છે.એક જ રાતમાં ચાર જિંદગીઓને મોતના મુખમાં ધકેલી દેવાની આ ગોઝારી ઘટનાએ સમગ્ર ઉના પંથક ને હચમચાવી રહ્યું છે.
તા. 3-6-2026ની મનહૂસ રાત્રેશિલોજ ગામના 40 વર્ષીય ધરતીપુત્ર ભાણાભાઈ મેણશીભાઈ સોલંકીએ કાળ બનેલા દેશી દારૂનું ઘૂંટડો ભર્યો.પળવારમાં જ ઝેરી રસાયણ નસોમાં પ્રલય બનીને ફરી વળ્યું.કાળમુખા વિષે ભાણાભાઈને કાળના ખોળે સુવાડી દીધા.તેમની સાથે દારૂ પીનાર અન્ય એક યુવાન પાવન હોસ્પિટલના ICU માં ઓક્સિજનના સથવારે મૃત્યુ સામે ઝઝૂમે છે, જ્યારે બે યુવકો ઘરે પથારીવશ છે.
મૃતકની અર્ધાંગિની નીરૂબેનનો હૈયાફાટ આક્રંદ પથ્થર દિલને પણ પીગળાવી દે તેવો છે.બે નાના ભૂલકાં ઓના માથેથી પિતૃછાયા હટી ગઈ,એક સૌભાગ્યવતી ની માંગનું સિંદૂર કાળે ભૂંસી નાખ્યું. ચોધાર આંસુએ નીરૂબેને સવાલ કર્યો મારા ધણીનો હત્યારો કોણ? ગામ માં બેરોકટોક ઝેર વેચનારા હરામખોર બુટલેગરો કેપછી મહિને-મહિને હપ્તા ઉઘરાવી આંખ મીંચીને બેઠેલું પોલીસ તંત્ર? મારા જેવી કેટલી બહેનોની કંકુડી ભૂંસાશે ત્યારે તંત્ર જાગશે? નીરૂબેનના સવાલોખાખીની નૈતિકતા પર મોટું સવાલિયા નિશાન મૂકે છે.ન્યાયની પોકાર કોના દ્વારે જાય આમ આદમી?એક તરફ મોર્ગમાંપડેલુંભાણા ભાઈનું નિષ્પ્રાણ શરીર તંત્રની નિષ્ફળતાની ચીસ પાડે છે, તો બીજી તરફ ICUમાં ઝઝૂમતો યુવાન જીવતો પુરાવો બનીને તંત્રને પડકાર ફેંકે છે.જો આજે પણ ઝેરી દારૂના સોદાગરો પર કાળનો કોરડો નહીં વિંઝાય, તો ઉનાનું શિલોજ એ ગુજરાતના લઠ્ઠાકાંડના નકશા પરનું છેલ્લું નામ નહીં હોય.પુંજાભાઈ વંશનો આ પત્ર માત્ર રજૂઆત નથી, પરંતુ તંત્રને આપેલો અલ્ટીમેટમ છે. જો હજુ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રહેશેતોગીરસોમનાથ જિલ્લો બીજા બોટાદમાં ફેરવાઈ જશે તે નિશ્ચિત છે.
પૂર્વ ધારાસભ્યનો હુંકાર: SPને પત્ર
આ લોહિયાળ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકને આક્રોશ ભર્યો પત્ર લખી તંત્રની નિષ્ક્રિયતા પર લાલ આંખ કરી છે.પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યું ઉના શહેર, ઉના તાલુકા અને શિલોજ ગામે દેશી અને વિદેશી દારૂ બેફામ રીતે વેચાય છે.ભૂતકાળમાં મેં પણ આપશ્રીને અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરેલ છે, છતાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકાતી નથી.લઠ્ઠાકાંડના કારણે અનેક લોકો પોતાના જાન ગુમાવે છે, નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને કેટલાય પરિવાર નોંધારા થઈ જાય છે. પુંજાભાઈ વંશે ચેતવણી ઉચ્ચારી આ બનાવના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની ભીતિ છે.બોટાદમાં જે રીતે માસૂમ જીવો હોમાયા હતા,એવી દુર્ઘટના ગીર સોમનાથ માં ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી દારૂનું નેટવર્ક નેસ્તનાબૂદ કરો.જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી સત્વરે થવા માંગણી કરી છે
હાર્ટ એટેકનું બહાનું કે સત્યને દફનાવવાનું કાવતરું?
ઉના DYSP મહાદેવ ચૌધરીએ જણાવ્યું કે મૃતકના વિસેરા FSLમાં મોકલાયા છે અને AD નો ગુનો નોંધી તપાસ ચાલુ છે.પ્રાથમિક તબીબી રિપોર્ટમાં હાર્ટ એટેક ની શક્યતા દર્શાવાઈ છે.પરંતુ જનતાનો સળગતોસવાલ છે દારૂ પીધા બાદ જ ચારેયની તબિયત એકસાથે કેમ લથડી?હાર્ટ એટેક’ના ઓઠા હેઠળ સત્યને દફનાવવા નો પ્રયાસ તો નથી ને? જો ગામલોકોની વારંવારની લેખિત રજૂઆતોને પોલીસે કચરાપેટીમાં ન નાખી હોત, તો આ હૃદયદ્રાવક દ્રશ્યો જોવાનો વારો ન આવત!


