વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકો-પરીવાર માટે આનંદોત્સવ’ યોજાયો
વિવિધ રમતનો પીડિત બાળકોએ આનંદ માણ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
વિવેકાનંદ યુથ કલબ દ્વારા લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે સ્વ. ડો. મનોરમાબેન મહેતા પરીવાર તથા ગં.સ્વ.રંજનબેન મનસુખભાઈ લાલ પરીવારનાં સહયોગ થી રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું હતું. તમામ બાળકોને સંગીતમય શૈલીમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવી હતી.
થેલેસેમીક બાળકોને આશીર્વાદ આપવા તથા પુરસ્કૃત કરવા માટે દિલીપભાઈ સોમૈયા, લતાબેન પોપટ, રાજેશભાઈ સેજપાલ, આકાશભાઈ બાટવીયા, અરવીંદભાઈ પારેખ, રાહુલભાઈ ગોહેલ ઉપસ્થિત રહી બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહીત કર્યા હતા.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતી ચારણસમાજના અગ્રણી રામભાઈ જામંગ, યુવા ભાજપના પૂર્વ મહામંત્રી સહદેવભાઈ ડોડીયા, વોર્ડ નં. 6 ના કોર્પોરેટર અનીલભાઈ પ્રજાપતિ, વેપારી અગ્રણી મિતુલભાઈ લાલ, હિરેનભાઈ લાલ, દીલીપભાઈ સુચક, રોનકભાઈ ધુલીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિવેકાનંદ યુથ કલબ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓને બિરદાવેલ અને ભવિષ્યમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લગતી કોઈપણ મુશ્કેલીમાં સાથ—સહકાર આપવાની ખાત્રી આપેલ હતી.
સમગ્ર આયોજન સફળ બનાવવા માટે અનુપમ દોશી, મિતલ ખેતાણી, સુરેશભાઈ બાટવીયા, પંકજ રૂપારેલિયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, હિતેષભાઈ બાલાજી, વિનેશભાઈ હિંડોચા, જીતુભાઈ ગાંધી, વિપુલભાઈ ભટ્ટ, પરસોતમભાઈ વેકરીયા, ઉપમન્યુ રાવલ, મહેશભાઈ જીવરાજાણી, પરિમલભાઇ જોશી, રમેશભાઈ શિશાંગીયા, મીતેષભાઈ ઓંધીયા, ધર્મેશભાઈ સાકરીયા, ડો. રાહુલભાઈ ગોહેલ, જીમીભાઈ ઓંધીયા, લલીતભાઈ પુજારા, મિત ખખ્ખર સહિતની ટીમ જહેમત ઉઠાવી હતી.
થેલેસેમીયા અંગેની વિશેષ માહિતી માટે વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી (મો. 94282 33796), મિતલ ખેતાણી (મો. 98242 21999), સુરેશભાઈ બાટવીયા (મો. 94282 56262) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


