રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી
ક્રાઈમ બ્રાન્ચ, EOW, SOG, AHTU સહિતની મહત્વની શાખાઓમાં નિમણૂકો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર પોલીસ તંત્રમાં આંતરિક વહીવટી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે શહેરના વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા 30 ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ અનેક કર્મચારીઓને ક્રાઈમ બ્રાન્ચ, EOW, SOG, AHTU અને અન્ય મહત્વની શાખાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
ફેરબદલ હેઠળ માલવીયનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI રાજદીપસિંહ ગોહિલને પેરોલ-ફર્લો સ્ક્વોડમાં મુકવામાં આવ્યા છે. તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ નિકુંજ મારવીયા અને રણજીતસિંહ જાડેજાની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે.
આજીડેમ પોલીસ મથકના ભાવેશ વાઘેલાને આર્થિક ગુના શાખા (EOW)માં, જ્યારે એ. ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ સાગર માવદિયા અને ધર્મેશ ખાંટિયાને ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવ્યા છે. મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા શાંતુબેન મુલીયાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)માં નિમણૂક કરવામાં આવી છે. આજીડેમ પોલીસ ચોકીમાં કાર્યરત એએસઆઇ આર.ડી.વાંકને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ માં મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક શાખાના અમીતકુમાર ટૂંડિયાને ક્રાઈમ બ્રાન્ચમાં અને બાદલ દવેને પોલીસ કમિશનરની રીડર શાખામાં મુકવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના જીજ્ઞેશભાઈ અમરેલીયાની EOWમાં બદલી કરાઈ છે. બી. ડિવિઝન પોલીસના લાલજી કડગડાની ક્રાઈમ બ્રાન્ચમાં, તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાની AHTUમાં તથા ભુપતભાઈ દેસાઈની EOWમાં બદલી કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસ મથકના યશપાલસિંહ ઝાલાને SOGમાં અને યુનિવર્સિટી પોલીસ મથકના ભરતસિંહ પરમારને પણ SOGમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
પોલીસ વિભાગના આ આંતરિક ફેરબદલને કામગીરીમાં વધુ કાર્યક્ષમતા, ગુનાખોરી નિયંત્રણ અને વિશેષ શાખાઓને મજબૂત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


