By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ

Editor
Last updated: 2026/06/22 at 4:53 PM
22 minutes ago
Share
 રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ
SHARE

રૂખડિયા ફાટક પર નિર્માણ પામશે અંડરબ્રિજ

૭૫૦, ૬૦૦ અને 3૦૦ મેટ્રિક ટનની ક્રેન અને ૭૫ માનવબળ તૈનાત : ગરનાળુ નિર્માણ થતા ફાટકમાંથી વાહન ચાલકોને મળશે મુકિત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યો અંતર્ગત ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ સ્ટેશનના દ્વિતીય પ્રવેશદ્વાર (સેકન્ડ એન્ટ્રી)ના વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ યાર્ડમાં આવેલા લેવલ ક્રોસિંગ સંખ્યા 125 ને નાબૂદ કરવાનું મહત્વપૂર્ણ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે. આ લેવલ ક્રોસિંગના સ્થાને સડક વાહનવ્યવહારને અવરોધરહિત, સુરક્ષિત અને સુગમ બનાવવા માટે રોડ અંડર બ્રિજ (ગરનાળા) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ સ્ટેશન યાર્ડમાં રોડ અંડર બ્રિજનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી પ્રગતિ પર છે. આ પરિયોજના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિકસાવવામાં આવી રહેલા રાજકોટ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના પૂર્ણ થવાથી સ્ટેશન સુધી પહોંચવું વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત બનશે.

​તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિયોજના અંતર્ગત અત્યાધુનિક “કટ એન્ડ કવર” ટેકનિકના માધ્યમથી પ્રીકાસ્ટ આરસીસી (RCC) બોક્સનું લોન્ચિંગ અને સ્થાપન કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકની નજીક મર્યાદિત કાર્યસ્થળ હોવા છતાં અને રેલ પરિવહનને અસર કર્યા વિના કાર્ય પૂર્ણ કરવાના પડકારને જોતાં, અત્યંત ઉચ્ચ ક્ષમતા ધરાવતી ક્રેનની મદદથી આ કામગીરી કરવામાં આવી રહી છે.

​આ મહત્વપૂર્ણ પરિયોજના હેઠળ તાજેતરમાં જ આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટ માટે મેગા ટ્રાફિક અને પાવર બ્લોક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. નિર્ધારિત બ્લોક સમયગાળા દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા ભારે મશીનરી અને મોટી સંખ્યામાં માનવબળ તૈનાત કરવામાં આવ્યું હતું.

​કાર્યસ્થળ પર 750 મેટ્રિક ટન, 600 મેટ્રિક ટન અને 300 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી ત્રણ અત્યાધુનિક હેવી ક્રેન, ચાર હાઇધ્રોલિક એક્સ્કેવેટર, સાત ડમ્પર/ટીપર તેમજ આશરે 75 કુશળ અને અકુશળ શ્રમિકો સાથે ઇજનેરો અને સુપરવાઇઝરોની ટીમને તૈનાત કરવામાં આવી હતી. તમામ વિભાગોના સંકલિત પ્રયાસોથી આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટનું કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

​આ પરિયોજના પૂર્ણ થયા બાદ રાજકોટના શહેરવાસીઓને રેલવે ફાટક પર થતા ટ્રાફિક જામ અને અવરોધોમાંથી મુક્તિ મળશે. સાથે જ સડક વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, સુગમ અને ઝડપી બનશે. આ ઉપરાંત, સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી મળશે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકો બંનેને લાંબાગાળાનો લાભ થશે.

​રાજકોટના ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યોને તબક્કાવાર રીતે આગળ ધપાવવામાં આવી રહ્યા છે. લેવલ ક્રોસિંગ સંખ્યા 125 ના સ્થાને નિર્માણ પામનારો રોડ અંડર બ્રિજ માત્ર સડક વાહનવ્યવહારને વધુ સુરક્ષિત અને અવિરત નહીં બનાવે, પરંતુ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તાર સુધીની પહોંચને પણ સરળ બનાવશે. આ પરિયોજના મુસાફરોની સુવિધા, સુરક્ષા અને આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

You Might Also Like

 એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ

ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો

જેતપુરના ફૂલવાડી ઢોરા પાસે ૪.૬૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા

 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ

નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
રાજકોટ

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

Editor By Editor 6 days ago
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ
રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?