રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ
વડાપ્રધાને વડનગરની શાળામાંથી શિક્ષણ મેળવ્યું છે ત્યાંથી ત્રણ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
રાજયના ૨૫.૫૮ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા કવાયત : ગુણવત્તા-સુવિધાની કરાશે સમીક્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને બાળકોને આવકારવા માટે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો આજથી (23 જૂન) ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલો આ ત્રણ દિવસીય શૈક્ષણિક સેવા યજ્ઞ 25 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાશે.
આ વર્ષે પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરની ઐતિહાસિક B.N. હાઈસ્કૂલથી કરાવી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. મુખ્યમંત્રી અહીં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 થી 11 ના કુલ 389 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના અડાલજ ખાતેથી આ અભિયાનમાં જોડાયા હતા.
રાજ્ય સરકારના આયોજન પ્રમાણે ગુજરાતની 38,400 સરકારી શાળાઓમાં આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે 28 લાખ 58 હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. વય મર્યાદાના નિયમો અનુસાર લાયક બાળકોને બાલવાટિકા તેમજ ધોરણ-1, ધોરણ-9 અને ધોરણ-11 માં પ્રવેશ આપીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં 23મી જૂનથી 11 તાલુકાની 800થી વધુ શાળાઓમાં ત્રિદિ વસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. સહિતના વરીષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તરફથી મળતી માહિતી મુજબ, આ વર્ષે જિલ્લામાં 11 તાલુકામાં 69 જેટલા રૂટની 800થી વધુ શાળાઓમાં પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી મહોત્સવ યોજાશે.
આ દરમિયાન આઈ.એ.એસ. નેહાકુમારી (મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન), આઈ.પી.એસ. વલય વૈદ્ય (સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ), આઈ.પી.એસ. સાહિત્ય વી. (એસ.પી. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર), આઈ.એફ.એસ. જી.આર. મુર્થી (એ.પી.સી.સી.સી.એફ. નાણાકીય પ્રબંધન અને આયોજન, ગાંધીનગર), જ્વાલરી ઝા, સંયુક્ત સચિવ (સ્કૂલ કંટ્રોલ, ગુજરાત રાજ્ય હાયર સેક્ધડરી એજ્યુ. બોર્ડ) સહિતના ઉચ્ચ અધિકારીઓ વિવિધ રૂૂટની શાળાઓમાં ઉપસ્થિત રહીને કુમાર તેમજ ક્ધયા છાત્રોનો શાળાપ્રવેશ કરાવીને શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈને માળખાકીય સુવિધાઓ તેમજ વાલીઓ સાથે મીટિંગ કરીને શાળાકીય શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ વિદ્યાર્થીઓની નિયમિત રીતે અભ્યાસ કરે તે બાબતે મંથન પણ કરવામાં આવશે.
465 મહાનુભાવો દ્વારા શાળાઓની મુલાકાત
આ મોટા ગજાના શૈક્ષણિક અભિયાનને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી, મંત્રીઓ, રાજકીય પદાધિકારીઓ સહિત IAS, IPS અને IFS કક્ષાના ૪૬૫ જેટલા ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે. આ તમામ મહાનુભાવો દરરોજ ત્રણ-ત્રણ શાળાઓની વ્યક્તિગત મુલાકાત લઈને બાળકોનો ઉત્સાહ વધારશે.
શિક્ષણ અને સુવિધાઓની સમીક્ષા
આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ માત્ર બાળકોના નામાંકન પૂરતો સીમિત નથી, પરંતુ મુલાકાતે આવેલા મહાનુભાવો શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા, ભૌતિક સુવિધાઓ અને સંસાધનોની સમીક્ષા પણ કરશે. આ ઉપરાંત, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), વાલીઓ અને સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક યોજીને ગ્રામીણ કક્ષાએ શિક્ષણ સુધારણા અંગે ચર્ચા કરવામાં આવશે.


