By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: 10 દિવસમાં 24,662 કરોડનું રોકાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

10 દિવસમાં 24,662 કરોડનું રોકાણ

Editor
Last updated: 2026/07/14 at 4:35 PM
28 minutes ago
Share
10 દિવસમાં 24,662 કરોડનું રોકાણ
SHARE

ભારતીય બજારમાં વિદેશી મૂડીનો સુવર્ણ પ્રવાહ

10 દિવસમાં 24,662 કરોડનું રોકાણ

માર્ચથી મે સુધી સતત વેચવાલી બાદ જુલાઈમાં બદલાયું ચિત્ર; રૂપિયાની સ્થિરતા, મજબૂત અર્થતંત્ર અને બેંકિંગ શેરોમાં વધતા વિશ્વાસે FPIs ફરી ભારત તરફ વળ્યા

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

ભારતીય શેરબજાર માટે જુલાઈ મહિનાની શરૂઆત અત્યંત શુભ સંકેતો લઈને આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય બજારમાંથી સતત નાણાં પાછાં ખેંચી રહેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) હવે ફરી એકવાર ભારતીય બજાર તરફ આકર્ષાયા છે. જુલાઈ મહિનાના માત્ર પ્રથમ 10 દિવસમાં જ વિદેશી રોકાણકારોએ અંદાજે 2.59 અબજ ડોલર એટલે કે રૂ. 24,662 કરોડનું નેટ રોકાણ કરતાં શેરબજારમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
માર્ચથી મે મહિનાના ગાળામાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ઊંચા મૂલ્યાંકન અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે FPIs સતત ભારતીય બજારમાં વેચવાલી કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે 24 અબજ ડોલરથી વધુની રકમ બજારમાંથી બહાર કાઢી હતી. તેમાં માત્ર માર્ચ મહિનામાં જ આશરે 13.6 અબજ ડોલરની રેકોર્ડબ્રેક વેચવાલી નોંધાઈ હતી. જોકે હવે જુલાઈમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ભારતીય રૂપિયાની મજબૂત સ્થિતિ, દેશના મજબૂત આર્થિક પાયા અને વૈશ્વિક રોકાણકારોમાં ભારત પ્રત્યે વધેલા વિશ્વાસના કારણે ફરીથી વિદેશી મૂડીનો પ્રવાહ શરૂ થયો છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર સહિતના વૈશ્વિક ક્ષેત્રોમાં રોકાણનું વલણ બદલાતા ભારત રોકાણ માટે વધુ સુરક્ષિત અને આકર્ષક બજાર તરીકે ઉભરી આવ્યું છે.
જુલાઈના પ્રથમ 10 દિવસ દરમિયાન થયેલા કુલ રોકાણમાંથી 61 ટકાથી વધુ એટલે કે આશરે 1.6 અબજ ડોલર (રૂ. 15,157 કરોડ) સીધા ઈક્વિટી માર્કેટમાં રોકાયા છે. આ દર્શાવે છે કે વિદેશી રોકાણકારો માત્ર સરકારી બોન્ડમાં જ નહીં પરંતુ ભારતીય કંપનીઓના શેરોમાં પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં FPIsએ મુખ્યત્વે સરકારી બોન્ડમાં રોકાણ વધાર્યું હતું. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક દ્વારા કરાયેલા ટેક્સ સંબંધિત કેટલાક અનુકૂળ ફેરફારોને કારણે ડેબ્ટ માર્કેટમાં રોકાણ વધ્યું હતું. જોકે જુલાઈમાં રોકાણનું કેન્દ્ર ફરી શેરબજાર બન્યું છે.
આંકડાઓ મુજબ જુલાઈના પ્રથમ 10 દિવસના તમામ ટ્રેડિંગ સેશનમાં FPIs ખરીદદારો તરીકે રહ્યા હતા. ખાસ કરીને 9 જુલાઈના રોજ એક જ દિવસમાં આશરે 978 મિલિયન ડોલરનું રોકાણ નોંધાતા બજારમાં સકારાત્મક સંકેતો વધુ મજબૂત બન્યા હતા.
નિષ્ણાતોના મતે હાલનો મોટો રોકાણ પ્રવાહ બેંકિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્ર તરફ જઈ રહ્યો છે. કોરિયા અને તાઈવાન જેવા બજારોમાં વધતી અસ્થિરતાની વચ્ચે ભારત સ્થિર અર્થવ્યવસ્થા, મજબૂત વૃદ્ધિદર અને વિશ્વસનીય નીતિઓના કારણે વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો ભારતીય રૂપિયો આગામી દિવસોમાં પણ સ્થિર રહેશે અને વૈશ્વિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર નહીં થાય તો વિદેશી રોકાણનો પ્રવાહ વધુ તેજ બની શકે છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર, રોકાણકારોના વિશ્વાસ અને દેશના અર્થતંત્ર પર સકારાત્મક જોવા મળી શકે છે.

માત્ર 10 દિવસમાં કેટલું રોકાણ?

કુલ નેટ વિદેશી રોકાણ: 2.59 અબજ ડોલર
ભારતીય ચલણમાં મૂલ્ય: રૂ. 24,662 કરોડ
ઈક્વિટી માર્કેટમાં રોકાણ: રૂ. 15,157 કરોડ
કુલ રોકાણમાંથી 61 ટકા કરતાં વધુ હિસ્સો શેરબજારમાં આવ્યો.

માર્ચથી મે સુધી કેમ થઈ હતી ભારે વેચવાલી?

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા
ભારતીય શેરોના ઊંચા મૂલ્યાંકન
વૈશ્વિક બજારોમાં વધતી અસ્થિરતા
માર્ચ મહિનામાં જ 13.6 અબજ ડોલરની રેકોર્ડ વેચવાલી
ત્રણ મહિનામાં કુલ 24 અબજ ડોલરથી વધુની ઉપાડ

ભારત ફરી કેમ બન્યું FPIsની પ્રથમ પસંદગી?

ભારતીય રૂપિયાની સ્થિરતા
મજબૂત આર્થિક વૃદ્ધિ
બેંકિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની મજબૂતી
વૈશ્વિક રોકાણ માટે સુરક્ષિત બજાર તરીકે ભારતની છાપ
સરકારની સ્થિર નીતિઓ અને રોકાણકારમૈત્રી વાતાવરણ

કયા સેક્ટરમાં સૌથી વધુ ખરીદી?

વિદેશી રોકાણકારોનો સૌથી મોટો ઝોક હાલ બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને અન્ય મજબૂત લાર્જ-કેપ કંપનીઓ તરફ જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રો આગામી દિવસોમાં પણ બજારની તેજીનું નેતૃત્વ કરી શકે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે.

આગામી દિવસોમાં બજાર શું કહે છે?

નિષ્ણાતોના મતે જો રૂપિયો સ્થિર રહેશે, વૈશ્વિક તણાવ નહીં વધે અને કોર્પોરેટ પરિણામો સારા રહેશે તો વિદેશી રોકાણનો પ્રવાહ યથાવત રહી શકે છે. તેના કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં વધુ મજબૂતી, રોકાણકારોના વિશ્વાસમાં વધારો અને ભારતીય અર્થતંત્રને નવી ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

18 જુલાઈ પછી મેઘરાજા કરશે ધમાકેદાર વાપસી

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત
રાજકોટ

રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત

Editor By Editor 3 days ago
રેલવે ભ્રષ્ટાચાર મુદ્દે અમરેલી સાંસદ ભરત સુતરીયા લાલઘૂમ
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, SCA પૂર્વ પ્રમુખે જયદેવ શાહે સહપરિવાર બાલાજી દાદાના દર્શન કર્યા
નવી દિલ્હી ખાતે કોન્ક્લેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬’ એનાયત
 રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા વધારાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?