વોર્ડ નં.૧૧માં ૫૦૭ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૨ લોકોના લોહીના નમૂના લેવાયા
મચ્છર ઉત્પત્તિ સબબ ૧૧૨ આસામીઓને નોટીસ: ૧૮૪૯૧ ઘરમાં મનપાનું ચેકિંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪/૦૮/૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત તા.૧૯/૦૮/૨૦૨૬ ના રોજ વોર્ડ નં. ૧૧ વાહક નિયંત્રણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જેમાં દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્ડવર્કર, MPHW, અર્બન ASHA ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી – જુદી પ્રવૃતીઓ કરાવવામાં આવી રહી છે.
જેમાં વોર્ડ નં.૧૧ માં ૧૮,૪૯૧ ઘરની મુલાકાત લઇ ૭૧,૧૭૪ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૫૦૭ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. ૧૭૮ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ ૧૧૨ આસામીઓને નોટીસ આ૫વામાં આવેલ છે. ફિવર સર્વે દરમ્યાન ૫૨ વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ.
વાહકજન્યમ રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વતનું ૫રિબળ છે. મચ્છારથી થતા રોગો અને મચ્છલર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તત ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્યવ રીતે સાફ કરી સુકવ્યાા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. વરસાદ ૫હેલા અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લાઅ રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ.
મચ્છારના કરડવાથી બચવા માટે મચ્છકરદાની, મોસ્કીયુટો રીપેલન્ટ , મચ્છીર અગરબતી નો ઉ૫યોગ કરીએ તથા તાવ આવે તો તરત જ નજીકના આરોગ્યછકેન્દ્ર માં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્યવ કેન્દ્રતમાં વિનામુલ્યેક ઉ૫લબ્ઘી છે.
“આ ઝુંબેશનો હેતુ વાહજન્ય રોગો પર નિયંત્રણ લાવવાનો છે. નાગરિકોએ પણ ઘરોની અંદર તથા આસપાસ પાણી સંગ્રહિત ન થાય તે માટે તકેદારી રાખવી, અને આરોગ્ય ઝુંબેશમાં સહકાર આપવો’’


