તહેવારમાં જ માંદગીના ખાટલા, વાઇરલ ઇન્ફેકશનનો હાહાકાર
શરદી-ઉધરસના ૧૦૫૪, સામાન્ય તાવના ૧૦૧૭, ઝાડા-ઉલ્ટીના 3૪૭, ટાઇફોઇડ, ડેંગ્યુના એક-એક દર્દી નોંધાયા : ૨3૪૦ આરસી ટેસ્ટ કરાયા : મચ્છરના લારવા મળતા ૪૯૫ આસામીઓને નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓના કેસમાં ઉછાળો આવ્યો છે. શરદી-ઉધરસના ૧૦૫૪, સામાન્ય તાવના ૧૦૧૭, ઝાડા-ઉલ્ટીના 3૪૭, ટાઇફોઇડ અને ડેંગ્યુના એક-એક કેસ નોંધાયા છે. સરકાર અને ખાનગી હોસ્પિટલો દર્દીઓની ઉભરાઇ રહી છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૭/૦૮/૨૦૨૬ થી તા.૨૩/૦૮/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW દ્વારા ૧,૧૨,૩૬૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૯૭૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૨૦૭ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૯૨ અને કોર્મશીયલ ૨૦3 આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત તા. તા. તા.૧૭/૦૮/૨૦૨૬ થી તા.૨૪/૦૮/૨૦૨૬ દરમ્યાન કુલ ૨,૭૮,૨૬૩ જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન કુલ ૭,૧૪૫ જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ ૧,૨૯૦ જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ ૨,૩૪૦ જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવેલ છે.


