- વલસાડમાં બીમાર ભીક્ષુકનું સારવાર દરમિયાન મોત
- તબીબો સહિત 108ના કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા
- ભીક્ષુક પાસેથી મળેલા પૈસા પોલીસ મથકે કરાવ્યા જમા
વલસાડમાં બીમાર ભીક્ષુકનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં મૃતકના કપડામાંથી રૂપિયા 1.14 લાખની રોકડ મળી આવી છે. તેમાં તબીબો સહિત 108ના કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમજ ભીક્ષુક પાસેથી મળેલા પૈસા પોલીસ મથકે જમા કરાવ્યા છે.
મૃતક ભીક્ષુકના પરિજનોની ઓળખ થઈ નથી
મૃતક ભીક્ષુકના પરિજનોની ઓળખ થઈ નથી. વલસાડમાં લખપતિ ભિક્ષુકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જેમાં બીમાર ભીક્ષુકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમાં ટૂંકી સારવાર બાદ ભિક્ષુકનું હોસ્પિલમાં મોત નિપજ્યું હતું. ભીક્ષુક વ્યક્તિના કપડામાંથી 1 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવતા હોસ્પિટલના તબીબો સહિત 108 ના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો
ભીક્ષુક પાસેથી મળેલા 1 લાખ 14 હજાર રૂપિયાની રકમ પોલીસ મથકે જમાં કરાવી છે. તેમજ ભીક્ષુક વ્યક્તિની ઓળખ થઈ નથી. વલસાડના રામરોટી ચોક પર 2 દિવસથી એક ભીક્ષુક દુકાનોના ઓટલા પર સુઈ રહ્યો હતો. આસપાસના દુકાનદારો સતત બે દિવસથી આ ભીક્ષુકને સુતેલા જોઈ રહ્યા હતા. જોકે ત્યારબાદ આ ભીક્ષુકના શરીરમાં કોઈ હલનચલન ન થતા આખરે સ્થાનિક દુકાનદારોએ પોલીસ અને 108 ને જાણ કરી હતી. આથી 108 ની ટીમે આ ભીક્ષુકને ગંભીર હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જોકે આ દરમિયાન ભીક્ષુકનું મોત નીપજ્યું હતું.
ભીક્ષુકના કપડાઓમાંથી એક લાખ 14 હજારથી વધુની રોકડ રકમ મળી
તપાસ કરતા આ ભીક્ષુકના કપડાઓમાંથી એક લાખ 14 હજારથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આથી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ચોકી ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતક ભીક્ષુકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે આ ભીક્ષુક પાસેથી મળેલા એક લાખ 14 હજારથી વધુની રકમ પોલીસે કબજે કરી છે.


