- ભારતમાંથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગ્રાફ 40 ટકા સુધી નીચો ઊતર્યો છે
- કેનેડા જવા માગતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સની અરજીની સંખ્યા ઘટીને 86,562 થઈ ગઈ
- આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કુલ આંકડામાંથી અડધી જેટલી સંખ્યા તો ભારતીયોની હોય છે
પહેલાં કેનેડાને ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી મનાતું હતું, પણ હવે મન કચવાતું હોય તેમ દેખાઈ રહ્યું છે. આ વાતના સંકેતો અરજીઓના આંકડામાંથી મળે છે, જેનો ગ્રાફ 40 ટકા સુધી નીચો ઊતર્યો છે. ખાસ વાત એ છે કે કોવિડ-19 મહામારી બાદ પહેલી વાર ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં આટલી મોટી ઘટ નોંધાઈ છે. સાથે જ એમ પણ કહેવાઈ રહ્યું છે કે ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની સ્થિતિ સુધરવાની શક્યતા ઓછી છે.
2022માં કેનેડા જવા માગતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સની અરજીની સંખ્યા 1,44,881 હતી. જે ઘટીને હવે 86,562 પર આવી ગઈ છે. સંખ્યામાં ઘટાડાની માહિતી પહેલાં બેટર ડ્વેલિંગે આપી હતી અને પોતાના રિપોર્ટમાં કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના શોષણના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવાયું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં જે મુશ્કેલીઓનો સામનો કરે છે તેને હવે તેઓ સોશિયલ મીડિયા પર વધારે પોસ્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ્સમાં, ખાસ કરીને, થનારા વધારે ખર્ચ અને ઓછી તકોની વાત કહેવાઈ રહી હતી.
બીજા આંકડા પણ છે
એક મીડિયા એજન્સીએ IRCC એટલે કે ઇમિગ્રેશનS, રેફ્યૂજિસ એન્ડ સિટિઝનશિપ કેનેડાના આંકડાની માહિતી એકઠી કરી હતી. 2022માં IRCCને ભારતીય વિદ્યાર્થીઓની 2,63,541 અરજી મળી હતી, જે 2021ના 2,36,077ના કરતાં વધારે હતા. ઓક્ટોબર 2023 સુધીમાં 2,61,310 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કુલ આંકડામાંથી અડધી સંખ્યા ભારતીયોની હોય છે, તેને જોતાં કુલ અરજીઓની સંખ્યા પર પણ ખાસ્સી અસર પડી છે.
ખાલિસ્તાનનો મુદ્દો કારણ છે?
ખાસ વાત એ છે કે અરજીઓમાં થઈ રહેલા આ ઘટાડાનાં કારણોમાં ભારત અને કેનેડા વચ્ચેના તણાવગ્રસ્ત સંબંધો સામેલ નથી. હકીકતમાં, ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ કર્યા હતા કે તેમાં ભારતીય એજન્ટ્સ સામેલ હોઈ શકે છે, તેને સંખ્યા ઘટાડાનું કારણ માનવામાં આવે છે. જોકે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આ આરોપ બાબતમાં કેનેડા તરફથી એક પણ પુરાવો રજૂ કરાયો નહોતો. ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે.


