- કેનેડાના મલ્ટિપલ વિઝા હેક કરીને અન્ય પેસેન્જરો ઘુસાડવાનું ષડ્યંત્ર
- કેનેડાથી આવતા પેસેન્જરોની વિઝા ડિટેઇલ નહીં દેખાતા ઇમિગ્રેશન ચોંકી ઊઠયું
- સેન્ટ્રલ એજન્સીઓને કેટલાક મહત્વના ઇનપુટ મળ્યા
કેનેડાથી મુબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર આવતા કેટલાક પેસેન્જરોને રોકીને તપાસ શરૂ કરી દેવાઇ છે. વિઝા હેક કરીને અન્ય ત્રાહિત શખસો ટ્રાવેલિંગ કરીને ભારતમાં ઘુષણખોરી કરી રહ્યા હોવાની માહિતીના પગલે તમામ સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. પંજાબના કેટલાક ગેગસ્ટર કેનેડાના ખાલિસ્તાની આંતકવાદી સંગઠનો સાથે મળીને કાવતરૂ કરી રહ્યા હોવાની બાતમીના આધારે તમામ એરપોર્ટ પર એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે અને એરપોર્ટ બહાર નિકળી ગયેલા પેસેન્જરોની દેસભરમાં તપાસ થઇ રહી છે.
હાલ ભારત અને કેનેડાના સંબંધો ખાલિસ્તાની આંતકવાદી સંગઠનોની ભારતમાં ચાલી રહેલી ગતિવિધીઓના કારણે તણાવભર્યા છે એટલુ જ નહિ મલ્ટીપલ વિઝા મેળવીને કેનેડા પહોચી ગયેલા ભારતીયોના મલ્ટિપલ વિઝા હેક કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે.હેક કરેલા વિઝાની કોઇ માહિતી વિઝા મેળવનારને હોતી નથી પણ હેક કરનાર કેનેડાની ગેંગ આ વિઝાનો ઉપયોગ કરીને તેમના માણસોને ભારતમાં યેનકેન પ્રકારે મોકલી રહ્યા છે. આ પ્રકારને હેક કરેલા વિઝા પર ભારત આવતા કેટલાક પેસેન્જરોને મુબઇ ,દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર રોકી દેવાયા છે. અને તેમના પાસપોર્ટ અને વિઝાનું વેરિફિકેશન ચાલી રહ્યુ છે. વેરિફિકેશન કરતા 24 કલાક જેટલો સમય લાગી રહ્યો છે તેનુ કારણ એવુ છે કે, કેનેડાથી આવતા પેસેન્જરો ત્યાંનુ ઇમિગ્રેશન ક્રોસ કરીને એરલાઇન્સમાં ટ્રાવેલ કરીને ભારતમાં આવે ત્યારે તેમના વિઝાની ડિટેઇલ ભારતના એરપોર્ટ પરના ઇમિગ્રેશન સિસ્ટમમાં દેખાતી નથી જેના કારણે મલ્ટિપલ વિઝા હોવા છતાં પેસેન્જરોને ક્લીયરન્સ મળતુ નથી. મલ્ટિપલ વિઝા હેક કરવાના કૌભાડની સાથે સાથે એક એવો પણ ઇસ્યુ સામે આવ્યો છે કે, મલ્ટીપલ વીઝા ખરેખર સાચા છે કે બોગસ વીઝા છે. લાંબા સમય સુધી ટ્રાવેલ નહિ કરતા પેસેન્જરોના મલ્ટિપલ વિઝા હેક કરી દેવાનું સુઆયોજિત ષડયંત્ર કેનેડાના આંતકવાદી સંગઠનો પંજાબના ગેગસ્ટર મારફત ચલાવી રહ્યા છે. સેન્ટ્રલ એજન્સીઓને કેટલાક મહત્વના ઇનપુટ મળ્યા છે પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે.
કેનેડાના બે ગેંગસ્ટરની હત્યાનો બદલો લેવા ઘૂષણખોરીની શંકા
કેનેડામાં બે ગેગસ્ટરોની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ સ્વીકારી લીધા પછી વીઝા હેક કરવાના કિસ્સા વધી ગયા છે. ભારતમાં કેટલા લોકો આવી રીતે ઘૂષણખોરી કરી ગયા છે તેની સેન્ટ્રલ એજન્સીઓ તપાસ કરી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર દંપતીને કેનેડા પરત જવું પડયું
અમદાવાદના એરપોર્ટ પર કેનેડાથી આવેલા એક દંપતીના વિઝા ડિટેઇન ઇમિગ્રેશન સિસ્ટમમાં નહિ દેખાતા દંપતીને પરત જવુ પડયુ હતુ. દંપત્તિના પાસપોર્ટમાં કેનેડાના વિઝા હતા પણ કેનેડાથી નિકળ્યા પછી ઓટોમેટિકલી તેમના વિઝાની ડિટેઇલ અમદાવાદ એરપોર્ટ ઇમિગ્રેશનની સિસ્ટમમા આવી જાય છે તે આવી નહતી. જેના કારણે લાંબી તપાસ બાદ તેમને પરત જવુ પડયું હતું. દંપતી કેનેડિયન ઇમિગ્રેશનમાં તપાસ કરે તો સાચી માહિતી બહાર આવી શકે તેમ છે.
રિફ્યૂઝ-ટુ-લેન્ડિંગ હેઠળ પાછા મોકલી દેવાય છે
જો પેસેન્જરના પાસપોર્ટમાં મલ્ટીપલ વીઝા છે પણ ઇમિગ્રેશન સિસ્ટમમા વિઝાની કોઇ ડિટેઇલ દેખાતી નહોય તો પેસેન્જરને રિફ્યૂઝ-ટુ-લેન્ડિંગ હેઠળ બીજી ફ્લાઇટમાં કેનેડા પરત મોકલી દેવાય છે.આંતકી સંગઠનોએ કેનેડા ઇમિગ્રેશનમાં ગોઠવેલી સોફેસ્ટીકેટેડ સિસ્ટમનો ભાગ ભારતીય નાગરિકો બની રહ્યા છે. જો વીઝા બોગસ હોય તો ક્યાંથી અને કોના મારફત મેળવાયા તેની તપાસ પણ હાલ ચાલી રહી છે.


