- ગરીબોની કસ્તુરી ફરી એક વાર થઈ મોંઘી
- ડુંગળીના ભાવ રૂ.80થી 90 પ્રતિ કિલોએ પહોંચ્યા
- બે દિવસ પહેલા ડુંગળીના ભાવ રૂ.50 હતા
ગરીબોની કસ્તુરી ફરી એક વાર મોંઘી થઈ છે. જેમાં અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. ડુંગળીના ભાવ રૂ.80થી 90 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. ડુંગળીના ભાવ વધતા જનતા બેહાલ થઇ છે. બે દિવસ પહેલા ડુંગળીના ભાવ રૂ.50 હતા.
ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવમાં પહેલા રૂ.20 હતો હવે રૂ.80 છે તેમ ગૃહિણીઓએ જણાવ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારોને ન પોસાય તો ગરીબોનું શું? ગરીબોની કસ્તુરી ફરી એક વાર મોંઘી થઈ છે. જેમાં શહેરમાં ડુંગળીના ભાવ રૂપિયા 80 થી 90 કિલોએ પહોંચ્યા છે. ગૃહિણીઓની માંગણી છે કે સરકારે ડુંગળી અને ટામેટાના ભાવ અંકુશમાં રાખવા કઈ કરવું જોઈએ.
શાકાહારી ભોજનની કિંમતમાં 5 ટકાનો વધારો થયો
કમોસમી વરસાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. બદલાતી મોસમ દરમિયાન માગમાં વધારો થવાને કારણે ડિસેમ્બર 2023માં વેજ થાળી મોંઘી થઈ ગઈ છે. મોંઘા ડુંગળી અને ટામેટાંના કારણે ઓક્ટોબર 2023ની સરખામણીમાં ડિસેમ્બર મહિનામાં શાકાહારી ભોજનની કિંમતમાં 5 ટકાનો વધારો થયો છે. રેટિંગ એજન્સીએ આ ડેટા જાહેર કર્યો છે.
દેશમાં ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયો
જૂન 2023 ના મહિનાથી દેશમાં ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયો હતો જ્યારે છૂટક બજારમાં ટામેટાં 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતા. સપ્ટેમ્બરથી ટામેટાના ભાવમાં નરમાઈ આવી અને ઓક્ટોબરથી ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. આના કારણે ગત વર્ષના નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023માં શાકાહારી ભોજનની પ્લેટની કિંમત 9 ટકા મોંઘી થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ નવેમ્બર મહિનામાં ડુંગળીના ભાવમાં 93 ટકા અને ટામેટાના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. દાળના ભાવમાં વધારાને કારણે વેજ થાળી પણ મોંઘી થઈ ગઈ છે. નવેમ્બર 2022ની સરખામણીએ આ વર્ષે નવેમ્બરમાં દાળના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે.


