- અયોધ્યા રામમંદિરનું નિર્માણ કાર્ય પૂરઝડપે
- મંદિર ટ્રસ્ટ દ્વારા શેર કરાયા ફોટા
- ગ્રાઉન્ડ ફ્લોરનું કામ થઇ ગયુ છે પૂર્ણ
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પાવન નગરી અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિરના નિર્માણનું પુરજોશમાં કામકાજ ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થઇ ગયુ છે હવે ફર્સ્ટ ફ્લોરનું નિર્માણ કાર્ય પણ 80 ટકાથી વધારે પૂર્ણતાને આરે છે. ત્યારે રામમંદિર નિર્માણ કાર્ને લઇને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા કામગીરીની તસવીરો શેર કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટે શેર કર્યા ફોટા
મહત્વનું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ ભક્તોને મંદિર નિર્માણની પ્રગતિ વિશે સમયાંતરે માહિતગાર કરતું રહે છે. ત્યારે ટ્રસ્ટે ફરી એકવાર મંદિરના નિર્માણની ચાર નવીનતમ તસવીરો જાહેર કરી છે. આ તસવીરો દ્વારા સરળતાથી જોઈ શકાય છે કે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર કેટલી ઝડપથી બની રહ્યું છે.
પહેલા માળની કામગીરી તેજગતિએ
ઉલ્લેખનીય છે કે ભગવાન રામના નવનિર્મિત મંદિરનો અભિષેક કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024 ના રોજ થનાર છે. જેના માટે નિર્માણ કાર્યની ગતિ ખૂબ જ ઝડપી થઇ રહી છે. ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ ફોટોગ્રાફ્સ સમગ્ર મંદિર સંકુલનું હવાઈ દૃશ્ય દર્શાવે છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રથમ માળે બાંધકામની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર થઇ રહી છે સાફસફાઇ
ગ્રાઉન્ડ ફ્લોર પર ભગવાન રામના ગર્ભગૃહની સાથે રંગ મંડપ નૃત્ય મંડપ તૈયાર છે. મંદિરની આજુબાજુના કોટનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર થયેલા બાંધકામની ભવ્યતા મંદિરના પહેલા માળેથી જાણી શકાય છે. મુખ્ય દ્વારથી પ્રવેશ્યા બાદ અંદરના પરિસરને સાફ કરી 22મી જાન્યુઆરી માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.અયોધ્યામાં ચાલી રહેલા મંદિર નિર્માણને લગતી તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ટ્રસ્ટ 31મી ડિસેમ્બર પહેલા શક્ય તેટલું વધુ બાંધકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.


